SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જ મેજ મજા છે ? સુખ પાપ માગે છે કે પુષ્ય માગે ? મૂળમાં આપણું ગણિત જ ખાટુ છે. ત્યાં શું થાય? જે બાળકને પાપની ભારે સજાનું ભાન કરાવીને પણ પાપની સામે લાલબત્તી ધરી દેવામાં આવશે તે તે સમજેલે બાળક ભાવિમાં મોટો થયા પછી પણ જ્યારે પાપ નહીં આચરે, અને પાપથી બચીને અલિપ્ત રહેશે, અને ધર્મનું તત્ત્વજ્ઞાન વગેરે સમજશે ત્યારે એને આનંદ થશે કે મારા બાપ દાદાએ મને પાપથી બચાવ્યો એ ઘણું સારું થયું મારામાં પપના સંસ્કારે ન પડવા દીધા એ ઘણું સારું થયું બાળક યુવક થઈ ને પણ ભાવિમાં બાપ-દાદાને ઉપકાર માનશે. જયારે જે બાળકોને માતા-પિતા તરફથી આચાર વિચારના સારા સંસ્કારે નથી મળ્યા, ઉપરથી પાપ કરવાની બધી છૂટ મળી હોય, અને મિત્રાદિ વગેમાં ફસાઈને ઘણા પાપો જે એ બાળકે કરતા જ જશે ? અને જ્યારે ભાવિમાં પાપની ભારે સજાનું ભાન થશે ત્યારે ગુરૂ ભગવંતે, અથવા ધર્મ શાસ્ત્રો આદિમાંથી અથવા અનુભવી વડીલો વગેરે પાસેથી જ્યારે તેમને જ્ઞાન થશે ? ત્યારે તેઓ મનમાં ને મનમાં જ પિતાના માતા પિતા બાપદાદા આદિને ધિક્કારશે. તેમને તિરસ્કારશે, તેમને ઉપકર નહી માને પરંતુ તેમને અપકારી ગણશે. એમના મનમાં ભારે તિરસ્કાર : ધિકારની લાગણી વછૂટી જશે. વિચાર કરે. જે ઉપકારી છે તે કાળાંતરે અપકારી ઠરી જાય છે. એ વખતે કેટલી કરૂણ દશા થઈ જશે? માટે જ માતા-પિતા બાપ દાદા વિચારક છે ભલે બાળક વિચાર શીલ નથી. પરંતુ વડીલે તે વિચારશીલ છે ને ? તેઓ તે આ સંસાર ના અનુભવી છે ને? તેમને તેમના જીવનમાં જે જે કર્યું હોય તેના આધારે ચઢતી-પડતી તો જોઈ જ લીધી છે ને ? માટે વહેલી તેમની ફરજ છે કે તેઓ તેમના જ્ઞ નના આધારે....પિતાના સંતાનોને આચારની પ્રક્રિયા સારામાં સારી શીખવાડે આચાર ધર્મના સારા સંસ્કાર પાડે અને પાપથી બચાવવા પાપની લાલબત્તી સામે ધરે પૂરેપૂરી કાળજી રાખે કે મારા સંતાનો આ કૂમળી વયમાં ખાટા પાપાના રસ્તે કયાંક ચઢી ન જાય? હકીકતમાં માતા પિતાની આ પવિત્ર ફરજ છે. પરંતુ અફસોસ! કે કુવામાં હોય તે અવાડામાં આવે ને? માતા. પિતા સ્વયં પાપથી બચ્યા હોય, તેમને તે વિષેનું જ્ઞાનાદિ મેળવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001487
Book TitlePapni Saja Bhare Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy