SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ મદશી ત્વનુખાસક્ત હર્ષબાષ્પકલોમિભિઃ, અપ્રેક્ષ્યપ્રેક્ષણભૂત ક્ષણાત્સાલયમાં મલમ્. ૨૦. ૨ . તારા મુખમાં આસક્ત મારી આંખો હર્ષજન્ય અશ્રુપ્રવાહથી, ન જોવા યોગ્ય વસ્તુ જોવાથી ઉદ્ભવેલા મેલને ક્ષણમાં જ ધોઈ નાખો.” પોતાનું સર્વ કંઈ વીતરાગદેવની પ્રીતિ-સેવાભક્તિ અર્થે હોય એવું ઇચ્છી કવિ સર્વસમર્પણભાવમાં લીન થાય છે : - ત્વદાસ્યવિલાસિની નેત્ર, તંદુપાતિકરી કરી, - ત્વગુણશ્રોતૃણી શ્રોત્રે ભૂયાતાં સર્વદા મમ. ૨૦.૬ “મારાં નેત્રો સદા તમારા મુખમાં રમણ કરનારા હો, હાથ તમારી ઉપાસના - સેવા કરનારા હો, કાન તમારા ગુણોનું શ્રવણ કરનારા હો.” અને નરી શરણાગતિને મૂર્ત કરતું આ ચિત્ર જુઓ : “તારા પગે આળોટતા મારા મસ્તકે પુણ્યના પરમાણુ સમી તારા પગની રજ ચિરકાલ વસ્યા કરો.” (૨૦.૧) પણ શરણાગતિની - સમર્પણભાવની પરાકાષ્ઠા તો આ શ્લોકમાં છે : તવ શ્રેષ્યોડર્મિ દાસોસ્મિ સેવકોડમ્યમિ કિડ્રકર, - ઓમિતિ પ્રતિપદ્યસ્વ નાથ ! નાતઃ પર બ્રુવે. ૨૦.૮ “પ્રેષ્ય', ‘દાસ', “સેવક', “કિંકર' આ પર્યાયાત્મક શબ્દોથી શરણાગતિનો - સમર્પણનો ભાવ ઘૂંટાતો અનુભવાય છે. પર્યાયશબ્દોની જુદીજુદી અર્થછાયાઓ સેવકભાવનો વિસ્તાર દર્શાવી સર્વાગી શરણાગતિનું સૂચન કરે છે - “પ્રેષ્યએટલે કાસદ, આંટાફેરા કરનારો; ‘દાસ’ એટલે ગુલામ, ક્ષુદ્ર પુરુષ; “સેવક એટલે અંગસેવા કરનાર; ‘કિંકર એટલે શું કરું એમ પૂછતો રહેતો માણસ, નર્યો આજ્ઞાપાલક. આ શરણાગતિને ‘ભલે” એમ કહીને સ્વીકારની મહોર મારવા કવિ વીતરાગદેવને વિનવે છે અને “આથી વધારે હું કંઈ કહેતો નથી” એ શબ્દો વડે પોતાના પ્રયત્નની અવધિ દર્શાવે છે, પોતાની કથા પૂરી કરે છે. બેશક, આ કૃતિ વીતરાગકથા છે તે સાથે કવિકથા પણ છે. વીતરાગચરિત્રમાં શાંત રસની સામગ્રી છે ને એના મહિમાનિરૂપણમાં અભુત રસની સામગ્રી છે, તો કવિકથામાં - કવિના મનોભાવના આલેખનમાં ભક્તિ રસની સામગ્રી છે. રસોનો જાણે પુનિત ત્રિવેણીસંગમ અહીં રચાયો છે. કવિએ આ કાવ્યમાં પોતાનો ભક્તિભાવ વહાવ્યો છે તેમ ભક્તિનો મહિમા પણ ગાયો છે. એક આખો પ્રકાશ (નવમો) ભરીને કલિકાલની પ્રશંસા કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy