SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ પર્યાયરહિત (વિશેષરહિત) જણાય અને પર્યાયો (વિશેષો) ઉપર દષ્ટિ કેન્દ્રિત કરીએ તો વસ્તુ દ્રવ્યરહિત (સામાન્યરહિત) જણાય. પ્રત્યેક વસ્તુમાં અસ્તિત્વ, નાસ્તિત્વરૂપ પરસ્પર વિરોધી ધર્મો જુદી જુદી અપેક્ષાએ જ પ્રતિપાદિત કરવામાં આવે છે, એટલે અહીં વિરોધથી ડરવાનું કોઈ કારણ નથી.૧૪ દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ વસ્તુ અનિત્ય છે. વસ્તુ અનેકાન્તાત્મક છે, તે સર્વથા નિત્ય નથી કે સર્વથા અનિત્ય નથી. પરંતુ કથંચિત્ નિત્ય છે અને કથંચિત્ અનિત્ય છે. તેથી એકાન્તનિત્યવાદ અને એકાન્તક્ષણિકવાદમાં જે દોષો આવે છે તે અનેકાન્તવાદમાં આવતા નથી. એકાન્તનિત્યવાદ અને એકાન્તક્ષણિકવાદમાં સુખભોગ-દુઃખભોગ, પુણ્ય-પાપ, બંધ-મોક્ષ ઘટતા નથી.૧૫ ‘વસ્તુ સર્વથા સત્ છે એમ કહેવું દુર્નય છે. ‘વસ્તુ સત્ છે” એમ કહેવું નય છે. ‘વસ્તુ કથંચિત્ સત્ છે” એમ કહેવું પ્રમાણ છે. ૧૬ નય સ્વાભિમત ધર્મનું પ્રતિપાદન કરે છે. સ્વાભિમત ધર્મથી ભિન્ન ધર્મોની પંચાતમાં તે પડતો નથી, તેમનો પ્રતિષેધ કરતો નથી, તે યોગ્ય મર્યાદામાં રહે છે. પરંતુ જે સ્વાભિમત ધર્મના નિવેદન સાથે ઈતર ધર્મનો નિષેધ કરે તે નય નહિ, પણ દુર્નય છે. “ચાત' શબ્દથી બીજા પણ ધર્મો સાપેક્ષ રીતે ધ્વનિત કે સૂચિત થાય ત્યારે તેને પ્રમાણ કહેવાય છે. નય વસ્તુમાં એક અંશને ગ્રહે છે જ્યારે પ્રમાણ સમગ્ર અખંડ વસ્તુને ગ્રહે છે. લોકો સ્વપક્ષ અને પરપક્ષ એવો ભેદ કરી દેખતા હોઈ એકબીજાની ઇર્ષા કરે છે પણ જે એવો ભેદ કર્યા વિના બધા પક્ષોને અપનાવી એમનો સમન્વય કરી અખંડને ગ્રહે છે તે કોઈની ઇર્ષ્યા કરતો નથી.૧૭ આ છે સ્યાદ્વાદ કે અનેકાન્તવાદ, જૈનો અહિંસાને પરમ ધર્મ માને છે. આ અહિંસાધર્મે જે સ્યાદ્વાદને કે અનેકાન્તવાદને જન્મ આપી બીજાના મતોમાં સત્ય જોવાનું, બૌદ્ધિક સહિષ્ણુતા કેળવવાનું અને વૈચારિક સમત્વ ધારણ કરવાનું શીખવ્યું છે. સ્વાવાદ એ સંઘર્ષના માર્ગને છોડી સમન્વયના માર્ગને ગ્રહવાનું બોદ્ધિક દબાણ કરે છે. સ્યાદ્વાદ સુમેળ અને સંવાદિતાને પોષનારો સિદ્ધાન્ત છે. ક્યારેય ન હતી તેટલી અત્યારે તેની ઉપયોગિતા અને પ્રસ્તુતતા છે. ૧૩. અપર્ચર્ય વસ્તુ સમયમનમદ્રવ્યતન વિવિખ્યાનમ્ | શર્મોતિતસનમમીદશર્ત વુધરૂપવેદ્યમ્ | ૨૩ ૧૪. ઉપાધમેવોપતિ વિરુદ્ધ નાર્હષ્યત્વે સવાગત છે | ૨૪ ૧૫. નૈઋન્તિવા સુરદુઃgમોૌ ને પુષ્યપાપે ન વન્યૂમોક્ષૌ I ૨૭ ૧૬. સવ સત્ સત્સિિત ત્રિધાર્થો મીત ટુર્નાતિનયામક | ૨૮ ૧૭. શ્લોક ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001478
Book TitleHem Sangoshthi
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1995
Total Pages130
LanguageGujarati, Hindi, Prakrit
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy