________________
૧૩
મનોજ્ય માટે અમનસ્કતા, અર્થાત મનોલય એ અચૂક ઈલાજ છે. એ સિદ્ધ થતાં યોગીને પોતાનું શરીર જાણે કે હોય જ નહીં એવું લાગે છે. પરમ અમૃતનો આસ્વાદ અનુભવાય છે; રેચક, પૂરક અને કુંભક વગેરે પ્રાણાયામ વગર આપોઆપ જ પ્રાણગતિ સ્તંભન અને લય પામે છે, શ્વાસોચ્છવાસ પણ આપોઆપ થંભી જાય છે; જાગ્રત અવસ્થામાં પણ જે યોગી લય પામીને આ શ્વાસોચ્છવાસરહિત સ્વસ્થ સુષુપ્ત જેવી અવસ્થામાં રહેતો થાય છે, તે જીવતાં જ મુક્ત બની જાય, છે; તત્ત્વમાં લીન થયેલ યોગી નથી જાગ્રત હોતો નથી કે સુપ્ત હોતો;૩૫ તે તો પોતાની આગવી આત્માનંદની મસ્તીમાં વિહરતો રહે છે.
અંતે, નૈષ્કર્મનો પુરસ્કાર કરતાં હેમચંદ્રાચાર્ય કહે છે કે કર્મો દુઃખહેતુરૂપ છે, જ્યારે નિષ્કર્મીપણું સુખહેતુક છે; ભલે મોક્ષ પ્રાપ્ત થાય કે ન થાય, પણ આ મનોલયની અવસ્થાથી પરમાનંદનો અનુભવ ચોક્કસ થાય છે, અને બીજાં બધાં દુન્યવી સુખો તેની તુલનામાં નગણ્ય લાગે છે. આ ઉન્મનીભાવ અને એનો ઉપદેશ કરનાર સરુની ઉપાસના કરવી એ જ સાધનાનું લક્ષ્ય બની જવું જોઈએ એવું હેમચંદ્રાચાર્યનું તાત્પર્યકથન છે. ૩૦
ઉપર આલેખેલા હેમચંદ્રાચાર્યના અનુભવસિદ્ધ યોગના નિરૂપણમાં નજર નાખતાં ક્યાંય જૈનદર્શનમાંનાં પંચમહાવ્રતો, પાંચ સમિતિઓ, ત્રણ ગુપ્તિઓ, પાંત્રીસ ગુણો, સમ્યક્ત્વ, મિથ્યાત્વ, પાંચ અણુવ્રતો, શ્રાવકની અગિયાર પ્રતિમાઓ, સંખનાવિધિ, અતિચારો, બાવીસ પરિષદો તથા ઉપસર્ગો, આત્માના સ્વરૂપની ચર્ચા, કષાયો, મૈત્રી આદિ ભાવનાઓ, આસન, પ્રાણાયામ, ધ્યાનના રૌદ્રાદિ પ્રકારો- આ બધાનો કશો જ સીધી કે આડકતરો ઉલ્લેખ કર્યો નથી અને ઉપયોગ દર્શાવ્યો નથી, એ બાબત ખાસ નોંધવા જેવી છે, કારણ કે પ્રત્યક્ષ યોગસાધનાનાં એ બધા બહિરંગ કે બાહ્ય પાસાં છે, જ્યારે ધ્યાન દ્વારા મનોલય એ આંતરિક પાસું છે.
હેમચંદ્રાચાર્યના અનુભવસિદ્ધ યોગના ઉપર દર્શાવેલ નિરૂપણના સંદર્ભમાં ભગવદ્ગીતાના “ધ્યાનયોગ” નામના છઠ્ઠા અધ્યાયમાંના નિરૂપણની તુલના કરીએ તો ઘણું સામ્ય જોવા મળશે : ભગવદ્ગીતા કહે છે કે કર્મફળનો આશ્રય લીધા વિના જે કર્તવ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી છે અને તે જ યોગી છે, નહીં કે અગ્નિનો ત્યાગ ક્રિયામાત્રનો ત્યાગ કરનાર.૩૮ સંકલ્પમાત્રનો ત્યાગ કર્યા વગર કોઈ યોગી બની શકતો નથી.૩૯ જ્યારે યોગી ઇન્દ્રિયોના વિષયોમાં કે કર્મોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org