SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હસ્તે પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની સ્થાપના થઈ, તેમાં દલસુખભાઈને માનદ મંત્રી તરીકેની માનભરી જવાબદારી સોંપાઈ. આ અરસામાં તેઓ પંડિતજીની સાથે આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીના સમાગમમાં આવ્યા, અને તેઓના મનમાં વસી ગયા. શ્રી પુણ્યવિજયજી મહારાજે પોતાની પ્રેરણાથી અને શેઠશ્રી કસ્તૂરભાઈની આર્થિક સખાવતથી સન ૧૯૫૭ના વર્ષે અમદાવાદમાં સ્થપાયેલ સંસ્થા ‘લા. દ. વિદ્યામંદિર'ના નિયામક તરીકે દલસુખભાઈ ઉ૫૨ ૫સંદગીનો કળશ ઢોળ્યો, અને તે નિમિત્તે તેઓ અમદાવાદમાં આવીને વસ્યા. વિદ્યામંદિરમાં આવ્યા પછી, તેના સર્વાંગીણ વિકાસ માટે દલસુખભાઈએ પોતાનો પ્રાણ રેડ્યો એમ કહેવામાં લેશ પણ અત્યુક્તિ નથી, પોતે મૂળ સ્થાનકવાસી પરિવારના સંતાન. એ પરંપરામાં ગૃહસ્થોને પણ આગમોના વાંચનાદિની સંપૂર્ણ છૂટ હોય. આ પછી વર્ષો સુધી વિદ્યાભ્યાસ માટેનું પરિભ્રમણ. આ પછી પંડિતજી જેવા મનીષીઓના સહવાસને પ્રતાપે લાધેલો પોતીકો દૃષ્ટિ-ઉઘાડ. પરિણામે તેમની પોતાની પણ એક આગવી વિચારધારા ઘડાઈ અને તેને નિર્ભયપણે છતાં અનાગ્રહપણે વ્યક્ત કરતાં તેમણે કેટલાક વિવાદો પણ સર્જ્ય છે. પરંતુ આ બધાની છાયા એટલે કે પોતાના અંગત વિચારો કે મંતવ્યોની છાયા તેમણે વિદ્યામંદિર કે તેના એક પણ અંગ ઉપર પડવા ન દેતાં એક નિષ્ઠાવાન વિઘાવંતને છાજે તેવા મધ્યસ્થભાવે વિદ્યામંદિરનું સંચાલન કર્યું. તેના ફલસ્વરૂપે, વિદ્યામંદિરના મંચ ઉપરથી તેમણે જે તે વિષયોના મૂર્ધન્ય વિદ્વાનોના સહકારથી અનેક મૂલ્યવાન ગ્રંથોનું વિદ્વજજગતને પ્રદાન કર્યું; અને લા. દ. વિદ્યામંદિરની ગ્રંથમાળાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી, દેશ-પરદેશના વિદ્વાનો માટે અમદાવાદમાં એક વિદ્યાતીર્થ સર્જી આપ્યું. અને એ રીતે તેમણે, તેમને આ સંસ્થાના નિયામક તરીકે પસંદ કરનારા બન્ને મહાનુભાવોની દૂરંદેશિતાને યથાર્થ ઠરાવી બતાવી. અલબત્ત, એમના આ દૃષ્ટિસંપન્ન પુરુષાર્થથી સંસ્થા તો વિશ્વવિખ્યાત બની જ, સાથે સાથે તેમની ખ્યાતિ પણ વિશ્વભરમાં પ્રસરી ગઈ. એમની એ ખ્યાતિનો ખરો ખ્યાલ તો ત્યારે આવ્યો, જ્યારે કેનેડાની ટોરન્ટો યુનિવર્સિટીના પ્રોફેસર વોર્ડરે ઈ. સ. ૧૯૬૭માં, પોતાની યુનિવર્સિટીમાં કાયમી ધોરણે કે હંગામી ધોરણે પણ અધ્યાપન માટે તેમને આમંત્રણ આપ્યું. પ્રા. વોર્ડરે લખ્યું હતું કે - - ‘ભારતનાં વિશ્વતત્ત્વનું વિશ્લેષણ કરતાં દર્શનોની અન્ય શાખાઓ તેમજ બૌદ્ધ દર્શનના પ્રમાણવાદ સંબંધી ખુલાસો અને સમજૂતી આપી શકે તેવા સાવ ગણ્યાગાંઠ્યા વિદ્વાનોમાંના એક તરીકે હું તમારાં કામોને ઘણા વખતથી પિછાનું છે. તેથી જ મારું ધ્યાન તમારા તરફ ખેંચાયું છે.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001475
Book TitleHemchandracharya Smaranika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages42
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy