SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુથી આવી મિલ્કત ભેટરૂપે ન લેવાય તેવી પોતાની મર્યાદા ઠાકોરશ્રીને તેમણે સમજાવી, અને સાથે સાથે સમજાવ્યા કે “આપનો ભાવ ઘણો ઊંચો અને મૂલ્યવાન છે. પરંતુ કાલે કેવા દેશ-કાળ બદલાય તેની કોઈને ખબર નથી. અને સોએ વર્ષે કોઈ વંશજ-વારસદારની મતિ ફરે, તો ભેટ આપેલી મિલ્કતમાં ફેરફાર થઈ શકે. માટે આપ તદ્દન નજેવી કિંમત ભલે લ્યો, પણ આ જગ્યા વેચાણ-દસ્તાવેજ કરીને અઘાટ વેચાણ આપો, તે આપના અને અમારા - સંઘના તમામના હિતમાં છે. ઘણી હાનાકાની તથા રકઝકને અંતે ઠાકોરશ્રી માન્યા અને તદ્દન નજીવી (ઘણા ભાગે તો એક રૂપિયાની) કિંમત લઈને તે જમીન જિનદાસ ધર્મદાસની પેઢીને નામે વેચાણ આપી. આવો જ બીજો પ્રસંગ બન્યો વિ.સં. ૨૦૦૦માં. વયોવૃદ્ધ સુરિસમ્રાટ વલભીપુર પધાર્યા અને પોતાના તથા સાધુઓના ઔષધોપચાર અંગે સ્થિરતા કરી. તે અરસામાં ઠાકોરશ્રીનો જન્મદિવસ આવી લાગતાં તેમણે તેનો દરબાર ભર્યો, અને તેમાં પ્રજાવાત્સલ્યનાં કાર્યો અંગે જાહેરાતો કરતાં કરતાં, સૂરિસમ્રાટ પ્રત્યેના અનહદ અનુરાગથી પ્રેરાઈને પૂર્વે આપેલી ૧૩-૧૪ હજાર વાર જગ્યાને અડીને રહેલી એક વિશાળ જમીન (આશરે પાંચેક હજાર વાર) મહારાજશ્રીને પોતાના જન્મદિનની ભેટરૂપે અર્પણ કરવાની જાહેરાત કરી. સૂરિસમ્રાટશ્રીએ આ વખતે પણ દરબારશ્રીને પ્રેમથી સમજાવીને નજીવી કિંમતનું વેચાણખત પેઢીના નામે કરાવ્યું, જે બીના દરબારશ્રીને મહારાજજી પ્રત્યે વધુ આકર્ષણ થવામાં નિમિત્ત બની રહી. આ જગ્યા ઉપર “દેવગુરુપ્રાસાદ' બનાવવાનો સૂરિ MAAAAAAAAAAAAAAAART Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001473
Book TitleValabhipurni Aetihasik Kirtigatha
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2003
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy