SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા કે રૂપાંતર માટે ભાગ્યે જ કશે અવકાશ રહે. પણ શૈલીની દષ્ટિએ, કથાવસ્તુને શણગારવાની બાબતમાં, વણને ને રસનિરૂપણની બાબતમાં, તેમ જ મનગમતા પ્રસંગને બહેલાવવાની બાબતમાં, કવિને જોઈએ તેટલી છૂટ મળતી. આવી મર્યાદાથી બંધાયેલી હોવા છતાં સ્વયંભૂની સૂક્ષ્મ કલાદટિએ પ્રશસ્ય સિદ્ધિ મેળવી છે. પોતાની ઔચિત્યબુદ્ધિને અનુસરીને આધારભૂત સામગ્રીમાં તે કાપકૂપ કરે છે, તેને ન ઘાટ આપે છે કે કદીક નિરાળો જ ભાગ ગ્રહણ કરે છે. g૩ જૂરિયના ચૌદમા સંધિનું વસંતનાં દશ્યોની મોહક પૃષ્ઠભૂમિ પર અલે. ખાયેલું તાદશ, ગતિમાન, ઈદ્રિયસંતર્પક જલક્રીડા વર્ણન એક ઉત્કૃષ્ટ સર્જન તરીકે પહેલેથી જ પંકાતું આવ્યું છે. જુદાં જુદાં યુદ્ધદ, અંજનાના ઉપાખ્યાન (સંધિ ૧૭-૧૮ ના કેટલાક ભાદ્રકવાળા પ્રસંગે, રાવણના અગ્નિદાહના ચિત્તહારી પ્રસંગમાંથી નીતરતે વેધક વિવાદ (૭૭મો સંધિ) –આવા આવા હૃદયંગમ ખંડમાં સ્વયંભૂની કવિપ્રતિભાના પ્રબળ ઉમેષનાં આપણે દર્શન કરી શકીએ. માજિક સ્વયંનુ ભુ બીજુ મહાકાય મહાકાવ્ય રિનિવરિત (સં. મરિષ્ટનિવરિત) અથવા રિવંતપુરા (સં. રિવંશપુરા) પણ પ્રસિદ્ધ વિષયને લગતું છે. તેમાં બાવાશમાં તીર્થંકર અરિષ્ટનેમિનું જીવનચરિત તથા કૃષ્ણ અને પાંડની, જૈન પરંપરા પ્રમાણેની કથા અપાયેલી છે. તેના માત્ર પહેલા બે કાંડ પ્રકાશિત થયા છે. તેના એક સે બાર સંધિ(જેના બધાં મળીને ૧૯૩૭ કડવક અને ૧૮૦૦૦ બત્રીશ. અક્ષરી એકમો–'ગ્રંથા–છે)ને ચાર કાંડમાં સમાવેશ થાય છે? વાયર (સં. વાવ), કુ, (સં. યુદ્ધ) અને ઉત્તર આ વિષયમાં પણ સ્વયંભૂની પાસે કેટલીક આદર્શ ભૂત પૂર્વકૃતિઓ હતી. નવમી શતાબ્દી પહેલાં વિદાધે પ્રાકૃતમાં, જિનસેને (ઈ. સ. ૭૮૩-૮૪) સંસ્કૃતમાં અને ભદ્ર કે દક્તિભઠે? ભદ્રા ?), ગોવિન્દ તથા ચતુર્મુખે અપભ્રંશમાં હરિવંશના વિષય પર મહાકાવ્ય લખ્યાં હોવાનું જણાય છે. રિપિરિયને નવાણુમાં સંધિ પછી અંશ સ્વયંભૂના પુત્ર ત્રિભુવનને રચેલે છે, અને પાછળથી ૧મી શતાબ્દીમાં તેમાં ગોપાચલ(=વાલીઅર ના એક અપભ્રંશ કવિ યશકીતિ ભટ્ટારકે કેટલાક ઉમેરા કરેલા છે. રામ અને કૃષ્ણના ચરિત પર સ્વયંભૂ પછી રચાયેલાં અપભ્રંશ સંધિબદ્ધ કાવ્યોમાંથી કેટલાંકને ઉલલેખ અહીં જ કરી લઈએઆ બધી કૃતિઓ હજી અપ્રસિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy