________________
(૪)
ઈ.સ. ૧૦૮૯ થી ૧૧૭૩ એ વર્ષો કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રના તેજથી દેદીપ્યમાન છે. હેમચંદ્રાચાર્ય ધર્મ અને તત્ત્વજ્ઞાનના પણ બેશક સારા વિદ્ધાનું હતા, અને તે વિષયના પણ દ્વાત્રિશિકા વગેરે એમના કેટલાક ગ્રંથો છે; પરંતુ જૈન વાભયને એમની ચિરસ્થાયી સેવા તો આ વિષય કરતાં ભાષા અને સાહિત્યના વિષયમાં વધારે થઈ છે, એમાં સંશય નથી. સંસ્કૃત ભાષા ઉપર એમનો હાથ કેવો સફાઈથી અને સરળતાથી ફરતો, એમનું કવિત્વ કેવું મધુર હતું, એ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત વગેરે ગ્રંથોની શૈલી, અલંકાર, કલ્પના વગેરે જોતાં જણાય છે.”
(આચાર્ય આનન્દશંકર ધ્રુવ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org