SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ થાય તેવું કરી આપો. આ વખતે આપણામાં જુદી જુદી સંવત્સરી થશે તો આપણી શોભા ઘટશે.’ આ આગેવાનો સમાધાનની ભૂમિકા લઈને આવ્યા હતા, અને એ પ્રમાણે, દેખીતી રીતે જ, તેઓ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવો ઉચિત છે, એવા વિચારના હતા. અને એ વિચાર શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ સ્વીકારે, તો સૂરિસમ્રાટે આજ સુધી આચરેલી અને દેવસૂર તપાગચ્છ સંઘની અવિચ્છિન્ન પ્રણાલિકા, જે પાંચમના ક્ષયે છઠનો ક્ષય કરવાની છે, તેને છોડવાની જ વાત હતી. આ વાત શ્રી વિજયનંદનસૂરિજીને પસંદ નહોતી. એટલે એમણે ડેલાના ઉપાશ્રયનો ને લવારની પોળના ઉપાશ્રયનો અવિચ્છિન્ન અને સાચો ધોરીમાર્ગ, એ માર્ગને માટે પોતે તથા પોતાના પૂજ્યોએ રાખેલી વફાદારી, એ માર્ગે ચાલવાથી શાસ્ત્ર અને પરંપરા બંનેની જળવાતી શુદ્ધિ અને વફાદારી, એ માર્ગને બદલવાથી ઊભી થતી મુશ્કેલીઓ' વગેરે વાતો ખૂબ સ્વસ્થ અને વ્યવસ્થિત રીતે એ આગેવાનોને સમજાવી. એ વાતો ખરેખર જાણવા લાયક હોવા સાથે એમના અગાધ બુદ્ધિકૌશલ્ય અને નિરાગ્રહ ભાવની દ્યોતક છે, એટલે આપણે પણ જાણવા જેવી છે. સૌ પ્રથમ આજ સુધી પોતે આચરેલી અને આ વખતે પણ આચરવા ઇચ્છેલી માન્યતાને સ્પષ્ટ કરતાં એમણે કહ્યું : (૧) ‘સંવત ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ અને ૨૦૦૪માં ચંડાંશુચંડું પંચાંગમાં ભાદરવા શુદિ પનો ક્ષય હતો. પણ બીજા અનેક પંચાંગોમાં છઠ્ઠનો ક્ષય હોવાથી અમદાવાદના પ.પૂ.પં.શ્રી રૂપવિજયજી મહારાજના ડહેલાના જૈન ઉપાશ્રયે ભાદરવા શુદિ છઠ્ઠનો ક્ષય (અન્ય પંચાંગના આધારે) માની પાંચમને સાચવી રાખી, ભાદરવા શુદ ચોથની સંવત્સરી આરાધી હતી. અને એ જ રીતે લુહારની પોળના ઉપાશ્રયે, શ્રી વીરવિજયજી મહારાજના ઉપાશ્રયે, ઉજમફઈની ધર્મશાળાએ, આંબલી પોળના ઉપાશ્રયે તથા વિમળના ઉપાશ્રયે વગેરે તમામ સ્થળે સંવત્સરીની આરાધના થઈ હતી. અને અમોએ પણ એ જ રીતે આરાધના કરી હતી. એવી જ રીતે આ વર્ષે - ૨૦૧૩માં પણ ચંડાંશુચંડુ પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમનો ક્ષય છે, અને બીજા અનેક પંચાંગોમાં (જ્યોતિષ માર્તંડ, શિવ, વિશ્વનાથ તેમજ માલવીયાજીવાળું વિશ્વ પંચાંગ વગેરેમાં) શુદ છઠ્ઠનો ક્ષય હોવાથી તે આધારે અમોએ ભાદરવા શુદ છઠ્ઠનો ક્ષય માની, ભાદરવા શુદ પાંચમને સાચવી, ભાદરવા શુદ ચોથ ને ગુરુવારે સંવત્સરી પર્વ આરાધવાનો નિર્ણય રાખ્યો છે.” આ પછી આ વિષયની ચર્ચામાં આજદિન સુધી પોતે રાખેલી તટસ્થતા વ્યક્ત કરતાં તેઓએ જણાવ્યું : (૨) ‘સંવત્સરી કે તિથિ બાબતની કોઈપણ જાતની ચર્ચામાં અમો અત્યાર સુધી ઊતર્યા નથી, તેમજ ચર્ચામાં ઊતરવાની અમારી ભાવના પણ નથી. ડહેલાના ઉપાશ્રયની આજ સુધીની (સં. ૨૦૧૨ સુધીની) ચાલી આવતી તિથિની અવિચ્છિન્ન પરંપરા પ્રમાણે જ અમો કરતા આવ્યા છીએ. તિથિ પ્રરૂપણાની પ્રાચીન મર્યાદા ડહેલાના ઉપાશ્રયની હોવાથી તે રીતે જ ચતુર્વિધ સંઘ આરાધના કરતો આવ્યો છે. ડહેલાના ઉપાશ્રયે પણ તે રીતે તિથિની આરાધના થતી આવી છે. વિ.સં. ૧૯૫૨માં, ૧૯૬૧માં, ૧૯૮૯માં અને ૨૦૦૪માં ડહેલાના ઉપાશ્રયે આ જ રીતે આરાધના થઈ હતી. ચાલુ વર્ષમાં ડહેલાના ઉપાશ્રયે કદાચ જુદી રીતે (બુધવારની) સંવત્સરીની આરાધના થાય, અને તે રીતે Jain Education International ૭૫ For Private & Personal Use Only www.jainelicy.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy