SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે જ હતા. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ સૂરિસમ્રાટનો હાથ પકડીને પગથિયાં ચડ્યા. દેરાસરમાં બધાએ સાથે ચૈત્યવંદનાદિ ક્રિયા કરી. તે પછી બહાર નીકળીને પગથિયાં ઊતરતાં ઊતરતાં શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ સૂરિસમ્રાટને કહે : “હવે તમારી ઉંમર વૃદ્ધ થઈ છે. મારી ઉંમર પણ વૃદ્ધ થઈ છે. હવે કોઈ રીતે આ તિથિનો ઝઘડો પડી જાય તો સારું.” સૂરિસમ્રાટે તરત જ કહ્યું: “તમે જેમ કહો તેમ આપણે કરીએ, હું એ માટે તૈયાર જ છું.” આટલી વાત કરીને બંને પૂજ્યવરો છૂટા પડ્યા. બંનેના મુખ પર નિખાલસતા તરવરતી હતી. પર્યુષણા પછી બીજે જ દિવસે શ્રી વિજયલક્ષ્મણસૂરિજી વગેરે મુનિઓ સૂરિસમ્રાટ પાસે આવ્યા; ને એમણે વાતની શરૂઆત કરી: “તિથિ બાબતનો ક્લેશ દૂર કરવા આપણે કયો રસ્તો લેવો? એ અંગે આપ દોરવણી આપો.” સૂરિસમ્રાટે સ્પષ્ટ કહ્યું: “શ્રી લબ્ધિસૂરિજી મહારાજ જે રીતે કહે તે રીતે હું તૈયાર જ છું. મેં સ્તંભનાજીના દેરાસરે પણ આ જ કહ્યું છે.” એટલે શ્રી વિજયલક્ષ્મણસૂરિજી શ્રી વિજયનન્દનસૂરિજીને કહેઃ આપ કાંઈ રસ્તો બતાવો.” શ્રી વિજયનંદનસૂરિજી તો સમજતા હતા કે, શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની ગમે તેટલી ઈચ્છા હોય, પણ આ પ્રયત્નમાં, જેમને શાન્તિ જોઈતી જ નથી એવાં પરિબળોના પ્રતાપે, સફળતા મળવાની જ નથી. અને એ પરિબળોને ‘ભાઈ–બાપુકહેવાનો કોઈ જ અર્થ નથી. આમ છતાં, શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજની સરળતા અને સંપની ભાવના જો સફળ બને તો ઉત્તમ કાર્ય બને, એવી ઈચ્છાથી, એમણે વાજબી માર્ગ દેખાડતાં કહ્યું : સં. ૧૯૯૨ પહેલાં આપણે કોઈએ પણ તપાગચ્છમાં બે બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ કે અમાસ ક્યારેય કરેલ નથી; તેમ જ બીજ વગેરે પર્વતિથિનો ક્ષય પણ કરેલ નથી. લૌકિક પંચાંગમાં બીજ વગેરે તિથિની વૃદ્ધિ કે હાનિ હોય તો પણ આરાધનામાં બારે પર્વતિથિની વૃદ્ધિહાનિ આપણે કરી નથી, તેમ કરાતી પણ નથી. આ પ્રણાલિકા આજ સુધી અવિચ્છિન્નપણે ચાલી આવી છે. તે પ્રણાલિકામાં સં. ૧૯૯૨માં ને સં. ૧૯૯૩માં ભાદરવા સુદ પાંચમ બે કરી, સંવત્સરી સકલ સંઘથી જુદી કરીને, પહેલો ફેરફાર તમારા પક્ષવાળાએ કર્યો, અને તિથિમાં મતભેદ પાડ્યો. એથી ક્લેશની પરંપરા વધી. એટલે હવે તમારા પક્ષવાળાએ એ વૃદ્ધિ-હાનિ છોડી દેવી જોઈએ. એમ થવાથી આ તિથિચર્ચાનો અંત આવી જાય છે, અને કલુષિત વાતાવરણનો અંત પણ આપોઆપ આવી જાય છે. આ એક રસ્તો છે. “અને બીજો રસ્તો એ છે કે સં. ૧૯૯૨-૯૩માં વિજયરામચંદ્રસૂરિજી વગેરેએ રવિવારની તથા બુધવારની સંવત્સરી તપાગચ્છથી જુદા પડીને કરી છે, અને તપાગચ્છના તમામ આચાર્યોને જણાવ્યા વિના તથા તેમની સંમતિ વિના કરી છે, તો તે ૧૯૯૨-૯૩ની સંવત્સરી શાસ્ત્ર અને પરંપરા પ્રમાણે વાજબી છે, એમ જાહેર અને મૌખિક રીતે સાબિત કરી આપે તો તિથિચર્ચાનો અંત આવે.” ૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy