SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ બોટાદથી સુરિસમ્રાટ રોહિશાળાના દેરાસરની પ્રતિષ્ઠા માટે ત્યાં પધાર્યા. ત્યાંથી પાછલા રસ્તે શ્રી વિજયનંદનસૂરિજી અવારનવારગિરિરાજની યાત્રાએ આવતા. એકવાર તેઓ ત્રણ–ચાર મુનિરાજો સાથે જતા હતા, ને રસ્તામાં જ આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીનો મેળાપ થઈ ગયો. બંનેએ સાથે યાત્રા-ચૈત્યવંદનાદિ કર્યા. અને રાયણપગલાનું ચૈત્યવંદન કરતી વખતે એમણે વિજયરામચંદ્રસૂરિજીને તળાજા અને બોટાદમાં થયેલી ઉપરની વાતો કહી સંભળાવી. આવી જ રીતે એકવાર ગિરિરાજ ઉપર શ્રી સાગરનંદસૂરિજી મહારાજનો મેળાપ થઈ ગયો. એમણે હ્યું: “નન્દનસૂરિજી ! ચાલો, તમારી જોડે વાતો કરવી છે.” અને બંને પેઢીની ઓફિસરૂમમાં જઈને બેઠા.બંનેએ ઘણી વાતો કરી. એમાં એમણે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજને વિનયપૂર્વક સ્પષ્ટ શબ્દોમાં કહ્યું : “મહારાજ! આપ ભોળા છો, આ ક્યાંક આપને ફસાવી ન જાય, એનું ધ્યાન રાખજો! આપ આ શાસ્ત્રાર્થ તો કરો છો, પણ એવું થશે કે આપ એને પ્રશ્ન નહિ પૂછી શકો, ને એ આપને બધું પૂછી લેશે. “બીજું, આ શાસ્ત્રાર્થ અમને બંધનકર્તા નથી. અને, જાહેર અને મૌખિક રીતે કરવો હોય તો હજી પણ અમે તૈયાર છીએ.” પછી બંને છૂટા પડ્યા. શાસ્ત્રાર્થનો જે નિર્ણય લેવાયો હતો એમાં કોઈ ફેરફાર થઈ શકે એમ હતું નહિ. એ શાસ્ત્રાર્થ શરૂ થાય, તે પહેલાં, એમાં મધ્યસ્થ–પંચ તરીકે નીમાયેલા વિદ્વાન ડૉ. પી. એલ. વૈદ્ય રોહિશાળા સૂરિસમ્રાટ પાસે આવ્યા. એમણે તો ઉપાશ્રયમાં પ્રવેશતાં જ બંધ પાળ્યો : (શૈવતં વન્દ્રનાથવા તોડર્મિ) “માત્ર વંદન કરવા માટે જ આવ્યો છું.' અર્થાત્ શાસ્ત્રાર્થ વિષે કાંઈ વાત કરવા નથી આવ્યો. આમ કહીને એમણે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. એ જેવા બેઠા, એવું તરત જ સૂરિસમ્રાટે પોતાની સ્વભાવગત નિખાલસતા અને સ્પષ્ટતાની વૃત્તિથી કહ્યું: “તમારો શાસ્ત્રાર્થ અમને કોઈ રીતે બંધનકર્તા નથી, એ સમજી રાખજો.” આનો દોર પકડતાં શ્રી વિજયનંદનસૂરિજીએ કહ્યું : “આનો અર્થ એ ન સમજશો કે અમે બંધાવા માગતા જ નથી. પણ, જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થની વાત હોય તો હજી પણ અમે બંધાવા તૈયાર જ છીએ.” આ પછી બીજી ઔપચારિક વાતો કરીને ડૉ. વૈદ્ય ગયા. પાલિતાણામાં લેખિત શાસ્ત્રાર્થ થયો. એમાં કચાશ રહી ગઈ હોય તેમ, મધ્યસ્થપંચે છેલ્લે બંને આચાર્યોને એક સ્થાને ભેગા કરીને બંનેની મૌખિક પરીક્ષા લીધી. અને એ પછી જે નિર્ણય (ચુકાદો) એમણે આપ્યો, એ જગજાહેર છે. એ ચુકાદા વખતે સૌને સૂરિસમ્રાટની અને શ્રી વિજયનંદનસૂરિજીની દીર્ઘદૃષ્ટિની સાચી પ્રતીતિ થઈ. અને, એ દીર્ધદષ્ટિનો અમલ નહિ કરવાના પરિપાકરૂપે, તિથિચર્ચાના પ્રશ્નનું સમાધાન તો બાજુ પર રહ્યું, ઊલટું એ પ્રશ્ન ક્લેશમાં વૃદ્ધિ જ કરી ! શિ * * * પ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy