SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થનું કંઈ પણ જરૂરી કામ આવી પડે, તો તેઓનું સમગ્ર બુદ્વિતંત્ર એમાં પરોવાઈ જતું અને એ ટાણે તેઓ એમના અસ્વસ્થ શરીરની જરા પણ દરકાર ન કરતા. એ વખતે જોનારને થતુંઃ મહારાજ સાહેબ આવી તબિયતે પણ આ શ્રમ કરે છે ! સત્ત્વપૂત ચારિત્રજીવનનો જ આ પ્રભાવ હતો, એમ સ્વીકારવું રહ્યું. દેઢ અને સ્થિર મનોબળને જ આનું કારણ ગણવું જોઈએ. (૨૨) તિથિચર્ચા-૧ મંડાણ અને ક્લેશવૃદ્ધિ તિથિ ચર્ચાનો પ્રશ્ન તપાગચ્છ સંઘને માટે કલંકરૂપ નીવડ્યો છે. છેલ્લાં ચાલીશ વર્ષો દરમિયાન આ કલંકે, તપાગચ્છની શાન્તિમાં, સ્વસ્થતામાં, સમતામાં, એકતામાં અને નૂરમાં સુરંગો ચાંપી છે. આનાં મંડાણ સં. ૧૯૯૨ના વર્ષમાં થયાં. તે અગાઉ બે વર્ષ પહેલાં થયેલા મુનિસંમેલન વખતે પોતાની અસહિષ્ણુ અને કદાગ્રહી વૃત્તિને લઈને અમુક વર્ગને પોતાના કદાગ્રહની સ્થાપનામાં સાંપડેલી નિષ્ફળતા, કદાચ, આના ઉત્થાન માટે જવાબદાર હતી. સં. ૧૯૯૨માં, લૌકિક પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમની વૃદ્ધિ આવી, ત્યારે સૂરિસમ્રાટ અને પૂ. આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ વગેરે મૂર્ધન્ય આચાર્યોએ આરાધનામાં બે પાંચમને બદલે બે ચોથ કરીને, બીજી ચોથે (લૌકિક પંચાંગની પહેલી પાંચમ) સંવત્સરી મહાપર્વ આરાધવાનો નિર્ણય જાહેર કર્યો. આ નિર્ણય તપાગચ્છ સંઘની શાસ્ત્રશુદ્ધ પ્રણાલિકાને અનુસાર કરાયો હતો. પણ, “ચાલુ ચીલે તો બધા ચાલે, એમાં શી નવાઈ? ખરી હોંશિયારી તો નવો ચીલો પાડવામાં છે !' આ વિચારે એક વર્ગે, આ પ્રણાલિકાથી વિપરીત, લૌકિક પંચાંગની ચોથે સંવત્સરી કરવાનું નક્કી કર્યું અને બે પાંચમ કાયમ રાખી. આથી સંઘમાં મોટો વિખવાદ જન્મ્યો. આગેવાનોની દૂરદર્શી દૃષ્ટિએ આમાં સંઘ-સંઘર્ષના ચિહ્નો જોયાં. એમણે એને અટકાવવા પ્રયાસ આદર્યો. સૂરિસમ્રાટે કહ્યું: “જેમ આ વર્ષે, તેમ આવતા વર્ષે પણ આ પ્રમાણે બે પાંચમ આવનાર છે. આ વખતે આપણે કરેલ સર્વમાન્ય નિર્ણય અનુસાર આરાધના કરો. ચોમાસા પછી બધા આચાર્યો ભેગા મળીને આ અંગે વિચાર કરીને જે ઉચિત જણાશે તેમ નિર્ણય લઈશું.” પણ પેલા વર્ગે આનો અસ્વીકાર કર્યો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો, “કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતાં આપણાં બોલ રે”- જેવી એ વર્ગની મનોદશા બની ગઈ. . પરિણામે, તપાગચ્છ સંઘમાં આ પ્રશ્ન પર બે પક્ષ પડી ગયા; એક તિથિપક્ષ અને બે તિથિપક્ષ એવાં - ४४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy