SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) સાદું તત્ત્વજ્ઞાન “દીક્ષાર્થીના કુટુંબીઓની રજા હોય, તો જ એને પાસે રાખવો, અને તો જ એને દીક્ષા આપવી. કુટુંબીઓ દીક્ષાર્થીને બોલાવે કે ઘેર લઈ જાય, તો એને તરત મોકલી આપવો; એક મિનિટ પણ પાસે ન રાખવો. “દીક્ષા લેતાં પહેલાં દીક્ષાર્થી કે એના સગાં-વહાલાં આપણી પાસે કાંઈક અપેક્ષા રાખે, તો એવાને કોઈ દિવસ રાખવો નહિ, તેમ દીક્ષા આપવી નહિ. “દીક્ષા માટે કોઇને ક્યારેય ભગાડવા પ્રયત્ન ન કરવો, તેમ ઉપદેશ પણ ન આપવો. સામેથી ભાવના કરીને, રજા લઈને, આવે તો જ પાસે રાખવો.” – દીક્ષા બાબતમાં આચાર્યશ્રી વિજયનંદનસૂરિજીનું આ જગનિરાળું છતાં સાદું તત્ત્વજ્ઞાન હતું. અને એ એમણે જીવનભર આચર્યું હતું. આનું પરિણામ દેખાવે જરા વિચિત્ર લાગે એવું ખરું, પણ એમાં ઊંડા ઊતરીએ તો થાય કે, “જે થયું તે બહુ સારું થયું.” એકવાર ત્રણેક મુમુક્ષુ કિશોરો એમની પાસે આવ્યા, રહ્યા, ભણ્યા ગણ્યા, ને એમની મૂક પ્રેરણા પામીને એમને દીક્ષાની ભાવના ય જાગી. પણ એમને દીક્ષા ન આપી. એમાં કારણ બન્યું એમનું દીક્ષા સંબંધી આ સાદું તત્ત્વજ્ઞાન. એમના મુખ્ય શિષ્ય હતા પંન્યાસ શ્રી સોમવિજયજી ગણિ. ખૂબ સરળ, ભદ્ર પ્રકૃતિના ને સેવાભાવી એ સાધુ હતા. બીજા શિષ્ય થયા પંન્યાસ શ્રી શિવાનંદવિજયજી ગણિ. ન્યાયશાસ્ત્રના એ સારા વિદ્વાન થયા. આ સિવાય એમને બીજા પણ શિષ્યો- પ્રશિષ્યો થયા. પણ શિષ્યમોહથી એ સદા દૂર જ રહ્યા. એમને એમના જીવનમાં મોહ કે રાગ જે કહો તે, એક જ ઠેકાણે હતો, અને એ સૂરિસમ્રાટ ગુરુભગવંત ઉપર. એમની સેવા ને એમની આજ્ઞાનું પાલન; એમને મન પ્રાણાધિક હતા. બીજું બધું પછી, પહેલાં ગુરુ ભગવંત, એમની શુશ્રુષામાં ખામી ન આવવી જોઈએ. એમણે સોપેલા કાર્યોમાં ત્રુટિ ન રહેવી જોઈએ : આ જ એમની લગન હતી, અને આવી લગનવાળી વ્યક્તિને શિષ્યમોહ શું સ્પર્શી શકે? ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibre.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy