SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અને કાયમ માટે એ વાત ચોક્કસ હતી કે ગમે તે જ્યોતિષી એ મુહૂર્તને શ્રેષ્ઠ ને નિર્દોષ તરીકે અવશ્ય સ્વીકારતા જ. ઘણીવાર જ્યોતિષી પણ એ જ મુહૂર્ત કહેવાના નિર્ણય પર આવતા હોય ને એમના તરફથી પણ એ જ મળે. ને ઘણીવાર તો જ્યોતિષીએ જોયેલા મુહૂર્ત કરતાં એમનું મુહૂર્ત શ્રેષ્ઠ ઠરતું. એમની મુહૂર્ત અંગેની સૂક્ષ્મ દૃષ્ટિ ને ચોકસાઈથી ઘણા નિષ્ણાત જ્યોતિર્વિદ પંડિતો પણ પ્રભાવિત થતા. આ અંગે વધુ આગળ જોઈશું. મુહૂર્તો અંગે તેઓ જરૂર પડે તો ‘નિર્ણય સિન્ધુ’ અને એવાં ઇતર ધર્મશાસ્ત્રોનો પણ ઉપયોગ કરતા. જ્યોતિષનું આટલું બધું જ્ઞાન, છતાં એમણે માત્ર મુહૂર્ત પૂરતું જ- અને તે પણ માત્ર ધર્મકાર્યોના મુહૂર્ત પૂરતું જ સીમિત રાખ્યું હતું. ફળાદેશના વિષયથી તેઓ સર્વથા અલિપ્ત રહ્યા હતા. સાંસારિક પ્રવૃત્તિનાં મુહૂર્તો કોઈ લેવા આવે, તો તેનો તેઓ સાફ ઇન્કાર કરતા. ફળાદેશ માટે કોઈ વિનંતી કરે, તો તેને તે વિષયની પોતાની અજ્ઞતા સ્પષ્ટ દર્શાવતા. આના અનુસંધાનમાં એક વાત યાદ આવે છે : “તેઓ જેમ ફળાદેશથી તેમ મંત્ર-તંત્રથી પણ સદા દૂર અને નિર્લેપ જ રહ્યા હતા. ઘણા એમની પાસે આ માટે આવતા, પણ તેઓ પોતાને એ વિષયથી દૂર જ રાખતા. બહુ આગ્રહ થાય તો વાસક્ષેપ કરી દેતા; તે પણ માત્ર ગુરુભગવંતે આપેલા, જિનશાસનના શ્રદ્ધાના ખજાનારૂપ સાત્ત્વિક મંત્રોથી જ મંત્રીને, બીજા કોઈ મંત્ર-તંત્ર તેમણે કદી કર્યા નથી, તેમ કોઈને કહ્યાય નથી.’ એમની લોકૈષણા ને માનેષણાથી મુક્ત રહેવાની સાત્ત્વિક વૃત્તિનું આ પરિણામ હતું. સસ્તી લોકપ્રિયતા ને પ્રસિદ્ધિની આકાંક્ષાના અભાવની આ નિષ્પત્તિ હતી. લેશ પણ દંભ ને માયાનો અભાવ, આનું કારણ હતો. -- (૧૭) નૈતિક શક્તિ અને કુનેહબળ નૈતિક જુસ્સો એ સત્ત્વશીલ મનુષ્યોનો ખાસ ગુણ હોય છે. સાત્ત્વિકતાનું પીઠબળ પામીને આ ગુણ ઘણી વ્યક્તિઓમાં વિલક્ષણ ઢબે પાંગરે છે. Jain Education International ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજી એવી વિરલ વ્યક્તિઓમાંના એક હતા. સૂરિસમ્રાટના વારસારૂપે એમનામાં નૈતિક જુસ્સાની શક્તિ ઉતરી હતી. આ વાતની પ્રતીતિ કરાવે એવા ઘણા પ્રસંગો છે. અહીં એક પ્રસંગ જોઈએ. સં. ૧૯૮૩માં સૂરિસમ્રાટ પાટણમાં હતા. તે અરસામાં જૈનોના પવિત્ર તીર્થ શ્રી સિદ્ધાચલજીની ૩૩ For Private & Personal Use Only www.jainelary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy