SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શૈલીનું વર્ણન ને પ્રશંસા કરવા કરતાં એટલું જ જાણવું રસપ્રદ થઈ પડશે કે એ વ્યાખ્યાન જ્યારે પૂરું થયું, ત્યારે પેલા મારવાડી ગૃહસ્થ એટલા હરખઘેલા થઈ ગયા કે એમની પાસે તે વખતે જેટલા રૂપિયા હતા તે બધા કાઢીને એમણે એ સભામાં ચોપાસ ઉછાળી દીધા. ને પછી શ્રીનંદનસૂરિજી પાસે જઈ, પગે પડીને પોતાની ધૃષ્ટતા કબૂલવા સાથે એમની ક્ષમા માંગી. આ પછી સં. ૧૯૮૩નું એ ચોમાસું સૂરિસમ્રાટની આજ્ઞાથી ને સંઘની વિનંતીથી એમણે વિદ્યાશાળાએ ખૂબ ભવ્ય રીતે પસાર કર્યું. ત્યાં એમનાં વ્યાખ્યાનોમાં પંડિત ફત્તેચંદ લાલન જેવા વિદ્વાન પણ ઘણીવાર આવતા. સરળતાની આ સિદ્ધિ હતી. નિરાડંબરતા આનું રહસ્ય હતું. (૧૬) જ્યોતિષ અને શિલ્પના જ્ઞાતા જ્યોતિષ અને શિલ્પશાસ્ત્રમાં આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીની નિપુણતા આગવી હતી; અને એ એમના અનુભવજ્ઞાનના પરિપાકરૂપે હતી. આ બંને શાસ્ત્રોનો એમણે અભ્યાસ કર્યો ન હતો; પણ, સૂરિસમ્રાટના તથા પૂ. ગુરુદેવ શ્રીવિજયોદયસૂરિજી મહારાજના સતત સાંનિધ્યના પ્રતાપે તેમજ નિજાભ્યાસથી આ બંને વિષયનાં અગાધ જ્ઞાન અને વિવિધ અનુભવો એમને સાંપડ્યાં હતાં. એ અનુભવોને એમની તીવ્ર બુદ્ધિએ ખૂબ પચાવ્યા હતા. જ્યોતિષમાં આરંભસિદ્ધિ, મુહૂર્ત માર્તડ, મુહૂર્ત ચિંતામણિ, દિનશુદ્ધિદીપિકા વગેરે તથા શિલ્પમાં શિલ્પરત્નાકર, વાસ્તુસાર, દીપાર્ણવ વગેરે અનેક ગ્રંથોનું ઊંડુ પરિશીલન આપમેળે કર્યું હતું. આ બધા ગ્રન્થો એમણે લગભગ આત્મસાત કર્યા હતા. તે એટલે સુધી કે મુહૂર્તના કોઈ પણ ગુણદોષ કે ગ્રાહ્યતા-વજર્યતાની વાત આવે, ત્યારે એના પોષક, વિરોધી કે અપવાદના પાઠો ક્યા ગ્રન્થમાં ક્યાં છે, તેનાં રહસ્ય શું છે, તેનો પૂરો ખ્યાલ તેમના મગજમાં સતત રહેતો હતો. પંચાંગ જોવાની અને સૂક્ષ્મ ગણિત કરવાની એમની પદ્ધતિ અતિશય સરળ છતાં એટલી જ વિલક્ષણ હતી. શિલ્પ બાબતમાં એમની સૂક્ષ્મ નજર ભલભલા નિષ્ણાત શિલ્પી, સોમપુરા કે ઈજનેરોનેય વિસ્મિત કરતી. સુરિસમ્રાટ પાસે કોઈ પણ મુહૂર્ત લેવા આવે, તો તેઓ તે આવનારને જ્યોતિષીને સાથે લાવવા સૂચવતા. એ આવે એટલે પૂ. આચાર્ય શ્રી વિજયોદયસૂરિજીને શ્રીવિજયનન્દસૂરિજીને બોલાવીને મુહૂર્ત જોવાનું કહેતા. તેઓ મુહૂર્ત નક્કી કરીને કહે, એની પોતે ચકાસણી કરીને જ્યોતિષીને કહેતા. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy