SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિસમ્રાટ કહે : “અહીં હોય તો લઈ જાવ.” ઉપાશ્રય આખો ફેંદી વળ્યા, પણ ત્યાં હોય તો મળે ને ? ન મળ્યા, એટલે મિજાજ કાંઈક નરમ પડ્યો. ઘૂરકિયાં કરતા સૂરિસમ્રાટ પાસે બેઠા. સૂરિસમ્રાટે એમને સાંત્વન આપ્યું : “મારી પાસે નથી. પણ જો મારી પાસે આવશે તો પહેલાં તમને ખબર મોકલીશ. તમે આવીને જે કરવું હોય એ કરજો.” આ વચન ઉપર સૌને વિશ્વાસ બેઠો. તોફાન સંકેલીને પાછા ગયા. પણ મોટાભાઈ સુખલાલને નિરાંત ન હતી. એમણે મન દઈને ચોમેર શોધખોળ આરંભી. જ્યાં જ્યાં શંકા પડી, ત્યાં ગામેગામ તપાસ કરી. ઘણા સાધુઓ પાસેય તપાસ કરી. અને એ તપાસ કરતાં કરતાં એ છેક કલકત્તા જઈ પહોંચ્યા; ત્યાં એક ધર્મશાળામાં ઊતર્યા. બીજું ગમે તેમ, પણ ગળથૂથીનાં સંસ્કાર હતા કે દેવપૂજા ને ગુરુવંદન બને ત્યાં સુધી કરવાં. એટલે દેરાસરે પૂજા કરવા ગયા. પડખે જ ઉપાશ્રય હતો. કોઈને પૂછ્યું : “અહીં કોઈ મહારાજ છે ?” જવાબ મળ્યો : “હા, એક મહારાજ સાહેબ છે.’ ઉપાશ્રયે ગયા. ત્યાં શ્રી શાન્તિવિજયજી રેલવિહારી હતા. આમને તો ભગવાન મહાવીરના વેષનું જ કામ હતું. એ હોય તો વંદન કરવાની એમની વૃત્તિ હતી. એના ગુણ–અવગુણની એમને નિસબત ન હતી. એમણે વંદન કર્યું, શાતા પૂછી. શાંતિવિજયજીએ પ્રશ્ન કર્યો : “કહાંસે આયે હો ?’’ કહે : “ગુજરાતથી આવ્યો છું, બોટાદનો છું.” “ક્યોં આયે હો ?’’ કહે : “મારો નાનો ભાઈ ભાગી ગયો છે, એને શોધવા નીકળ્યો છું. એ ક્યાં મળશે ?'’ શાન્તિવિજયજી અચ્છા જાણકાર હતા. એમણે તે જ વખતે પ્રશ્નકુંડલી મૂકી, ને કહ્યું : “તેરે ભાઈ ને દીક્ષા લે લી હૈ, ઔર બારહ માસ કે બાદ વહ તુમકો મિલેગા, પહેલે નહિ. બસ, અબ ચિન્તા મત કરો !” સુખલાલને આ વચન ૫૨ અનાયાસે જ આસ્થા બેઠી. એમણે તપાસ છોડી દીધી; ત્યાંથી સીધા ઘેર ગયા. આ પછી, સં. ૧૯૭૧માં ગુજરાતથી વિહાર કરી સૂરિસમ્રાટ મારવાડ ગયા. રાજગઢથી પૂ. પં. પ્રતાપવિજયજી વગેરે પણ ફરતા ફરતા મારવાડમાં ઊતર્યા અને સાદડી ગામે સૂરિસમ્રાટના સાંનિધ્યમાં જઈ પહોંચ્યા, ત્યારે મુનિ નંદનવિજયજીને દીક્ષા લીધાને બરાબર બાર મહિના થયા હતા. આ લોકો જેવા આવ્યા, એવા જ સૂરિસમ્રાટે બોટાદ તારથી ખબર આપ્યા કે “નંદનવિજયજી અહીં આવ્યા છે.’’ Jain Education International ૨૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy