SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આપવી. કેમ કે પાછળ તોફાન થાય એમ છે. જો આમ હોય, તો હું શી રીતે તને દીક્ષા આપું?” નરોત્તમ કહેઃ “મોટા મહારાજને કહેજો કે આ છોકરાએ ખૂબ જક કરી, માટે આપવી પડી. અને તોફાન કરવા જે આવશે, એમને હું સંભાળી લઈશ. બધાને હું જવાબ આપીશ. એ જવાબદારી ને ચિન્તા મારા માથે. તમે મને હવે દીક્ષા આપો-જો તમારામાં હિંમત હોય તો” મહારાજ પણ જુવાન અને તરવરિયા હતા; નરોત્તમની ભાવના અચ્છી તરફથી જાણતા હતા. એમણે હિંમત કરી, ને હા ભણી. ગામમાં ખીમચંદભાઈ નામે વૃદ્ધ શ્રાવક રહે. અત્યારે અમદાવાદમાં શા. ભૂરાલાલ ફૂલચંદ નામના વિધિકારક છે, એમના એ દાદા થાય. એમને બોલાવ્યા. વાત કરી. એમને લાંબી શી ખબર? એમણે તો ઉપાશ્રયમાં ત્રણ બાજોઠ માંડીને ભગવાન પધરાવ્યા, ને ક્રિયા જોવા બેઠા. નરોત્તમ પાસે કાંઈક સાંકળી જેવું ઘરેણું હતું, તે તથા કપડાં ખીમચંદભાઈને સોંપીને ક્રિયાની શરૂઆત કરે છે, ત્યાં જ અમદાવાદથી સૂરિસમ્રાટે ખબર કાઢવા મોકલેલો માણસ આવ્યો. એ ચિઠ્ઠી પણ લાવેલો. એમાં સુખશાતાદિ સમાચાર સાથે છેલ્લે સૂચના હતી કે “દીક્ષાની વાત કરશો નહિ.” ભલું થજો એ માણસનું, કે એણે ચિઠ્ઠી સીધી નરોત્તમના હાથમાં જ આપી! નરોત્તમે વાંચીને એ સંતાડી દીધી. તરત ક્રિયા શરૂ કરી દીધી. દીક્ષાની ક્રિયા પૂરી થઈ, એટલે નરોત્તમમાંથી મુનિ નન્દનવિજયજી બનેલા એમણે પોતાના હાથે મોટા મહારાજ પર ચિઠ્ઠી લખી કે “મેંદીક્ષા લઈ લીધી છે, ને હવે બીજા મહારાજને મોકલો.” એ લઈને માણસને રવાના કર્યો. ચિઠ્ઠી અમદાવાદ પહોંચી. સૂરિસમ્રાટે જાણ્યું. હવે શું કરાય? એમણે બીજે જ દિવસે પંન્યાસ પ્રતાપવિજયજીને એ તરફ વિહાર કરાવ્યો. એ ચાલુ વિહારમાં ભળી ગયા, ને બધા આગળ વધ્યા. નરોત્તમમાંથી નન્દનવિજયજીરૂપે પરિવર્તન પામેલા નર–ઉત્તમના હૈયે ત્યારે આનંદનો દરિયો હિલોળા લેતો હતો. किमसाध्यं महात्मनाम् કર્તવ્યનું શિસ્તપૂર્વક પાલન કરવું, ને જવાબદારી પ્રત્યે સભાન રહેવું: સફળતા મેળવનારનાં આ બે મુખ્ય કાર્યો છે. નવદીક્ષિત મુનિ નન્દનવિજયજી આ બન્ને કાર્યો દક્ષતાથી કરવા તત્પર હતા. હવે એમનું લક્ષ્ય હતું માળવા પહોંચવાનું. આ માટે ત્વરિત વિહાર આવશ્યક હતો. અમદાવાદથી સૂરિસમ્રાટની પણ એવી જ આજ્ઞા હતી. એટલે એ બધાએ ઝડપી વિહાર આદર્યો. ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelilay.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy