SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ નરોત્તમ છટક્યા, સ્ટેશને ગયા; પાસે થોડી ટપાલની ટિકિટો હતી, તે કોઈકને આપીને તેના પૈસા મેળવી લીધા. આમ ટિકિટ જેટલા પૈસા થઈ ગયા, એટલે ટિકિટ લઈને અમદાવાદ જતી ટ્રેનમાં બેઠા, તે સીધાં અમદાવાદ સ્ટેશને ઊતર્યા. ત્યાં વાડીભાઈએ મોકલેલ માણસ સાથે ઘોડાગાડીમાં બેસી પાંજરાપોળ ઉપાશ્રયે પહોંચ્યા. આ વખતે સૂરિસમ્રાટ અહીં બિરાજતા હતા. તેમણે શરૂ કરેલી સંસ્કૃત પાઠશાળા અહીં ચાલતી હતી. હીરાલાલ બાપુલાલ કાપડિયા (ધી ન્યુ હાઈસ્કૂલવાળા) સંસ્કૃત ભણાવે, ને ઉમેદચંદ રાયચંદ માસ્તર ધાર્મિક ભણાવે. સૂરિસમ્રાટે નરોત્તમને બધી વિગત પૂછી, તે કહી. પછી સૂરિસમ્રાટે પોતાના સ્વભાવ અને નિયમ મુજબ શેઠ પ્રતાપશી મોહોલાલ, શેઠ જેસિંગભાઈ કાળીદાસ વગેરે પાંચ આગેવાન ગૃહસ્થોનો બોલાવ્યા. વાત કરી કે “આ છોકરો આ રીતે ભાગી આવ્યો છે; વારંવાર ભાગી આવે છે. ભાવના પ્રબળ છે. શું કરવું?” પ્રતાપશી શેઠે સલાહ આપી કે “સાહેબ ! ખરેખરી ભાવના જણાતી હોય તો દીક્ષા આપી દો ને! પાછળ બધું થઈ પડશે.” સૂરિસમ્રાટે કહે: “ના, એ વિચાર મને નથી બેસતો. દીક્ષા તો ન આપું. હા, સાથે રાખું ખરો; પણ એય મારી પાસે અહીં અમદાવાદમાં તો નહીં જ.” આમ બધી વાતોનો વિચાર કરી લીધો. પછી બધાની હાજરીમાં જ નરોત્તમને બોલાવ્યા. નરોત્તમ સમજતા હતા કે “ભલે આપણને કોઈ કાંઈ કહે નહિ, પણ આ બધાને આપણે માટે જ ભેગા કર્યા છે.” અને એ મનોમન મલકાય. બધા વચ્ચે જઈને એ બેઠા કે સૂરિસમ્રાટે પૂછ્યું: “કેમ, શું ભાવના છે તારી?” નરોત્તમે બેધડક કહ્યું: “મારે દીક્ષા લેવી છે.” આથી વધુ કાંઈ સવાલ-જવાબ ન થયા. બધા વીખરાયા. આ પછી સૂરિસમ્રાટે શ્રી પ્રભાવવિજયજીને શ્રી જીતવિજયજી, એમ બે મુનિઓ સાથે નરોત્તમને ગોધરા તરફ વિહાર કરાવ્યો. કહ્યું: “હમણાં એ તરફ રહેજો, હું બોલાવું ત્યારે આવી જજો.”મુનિઓને ખાસ સૂચના આપી કે, “આને હમણાં દીક્ષા ન આપશો.” સારું” કહી, આશીર્વાદ લઈને, ત્રણે નીકળ્યા. સાથે પ્રભુદાસ કડિયા નામના કાબેલ માણસને રાખ્યા. પહેલે દિવસે માહ શુદિ એકમે પાંજરાપોળથી બાર માઈલ દૂર રાયપુર પહોંચ્યા.મહા શુદિ બીજે વળાદ ગયા. વળાદ પહોંચીને તરત નરોત્તમ ઝળક્યા. એમને ને પ્રભાવવિજયજીને બોટાદનો જૂનો મેળ. નરોત્તમે કહ્યું: “આજે મને દીક્ષા આપો.” મહારાજે ના કહી, તો હઠ પકડી. મહારાજ કહે : “પણ મોટા મહારાજની ચોખ્ખી આજ્ઞા છે કે દીક્ષા મારી આજ્ઞા સિવાય ન ક, ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy