SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યા રાણપુર તરફ. રસ્તે રામપરા ગામ આવ્યું. ભૂખ કકડીને લાગેલી એટલે ગામમાં તપાસ કરી. એક વાણિયાનું ઘર મળી ગયું. એને કહ્યું : “જમવું છે, જમાડશો?” પેલાએ પેટ ભરીને જમાડ્યા. જમ્યા પછી એને એક રૂપિયો રોકડો આપ્યો. પેલો તો ખુશ ખુશ થઈ ગયો. બીજો એક રૂપિયો આપીને સાંજ માટે પેંડા-ગાંઠિયા લઈ લીધા. પછી ચાલ્યા. સાંજ પડવા આવી, ત્યારે બોટાદથી ચૌદ માઇલ દૂર રાણપુરના પાદરે પહોંચ્યા. ત્યાં બંનેએ પંડા- ગાંઠિયા ખાઈ લીધા. ગાડી આવવાને હજી વાર હતી એટલે ગામમાં ગયા. ત્યાં દેરાસરે દર્શન કરીને ઉપાશ્રયે ગયા, ને સામયિક લઈને બેઠા. સામયિક પૂરું થયે સ્ટેશન પર પહોંચ્યા; બાંકડા પર બેઠા હતા ત્યાં સ્ટેશન માસ્તરે આવીને પૂછ્યું: “તમે ભાગીને આવ્યા છો ?” નરોત્તમે જોયું કે બધે ખબર પડી ગઈ છે, હવે જૂઠું બોલ્ય ફાયદો નથી, એમણે હા કહી. સ્ટેશન માસ્તરે ફરી પૂછ્યું: “અલ્યા, વારંવાર કેમ ભાગી જાવ છો?” ત્યારે કહે: “અમારે દીક્ષા લેવી છે, એટલે ભાગીએ છીએ.” સ્ટેશન માસ્તરે ત્યાં બેસવાનું કહ્યું; અને એમના પર ધ્યાન રાખવા સાંધાવાળાને ત્યાં ઊભો રાખીને એ ગયા. થોડીવાર થઈ એટલે નરોત્તમ ઊભા થયા. કહે: “હું ટિકિટ લઈ આવું.” સાંધાવાળાએ જવા દેવાની ના પાડી ત્યારે એને વિશ્વાસ પડે માટે એક ધોતિયું બાનારૂપે આપીને ટિકિટ લેવા ગયા. ઝવેરભાઈને ત્યાં જ બેસાડ્યા. ટિકિટબારીએ ગયા ને બે ટિકિટ માંગી, અંદર પેલા સ્ટેશન માસ્તર જ બેઠા હતા. છતાં એમણે બે ટિકિટ આપી; આનાકાની ન કરી. આથી નરોત્તમને આશ્ચર્ય થયું. પણ, એમને તો ટિકિટનું જ કામ હતું. એ મળી ગઈ એટલે હરખાયા. થોડીવારે ગાડી આવી એટલે નરોત્તમ સીધા એક ડબ્બામાં ઘૂસી ગયા. ઝવેરભાઈને ઈશારામાં સમજાવી દીધેલા, તે પ્રમાણે તેઓ પણ સાંધાવાળાની સાથે થોડીક રકઝક કરીને, એની નજર ચૂકવીને બીજા ડબ્બામાં પેસી ગયા. પણ નસીબ બે ડગલાં આગળ નીકળ્યું થોડીકવારમાં જ ઝવેરભાઈના કાકા વગેરે બોટાદથી આવી ગયા, ને બંનેને પકડીને બોટાદ લઈ ગયા. ડરના માર્યા નરોત્તમ પોતાના ઘરે ન જતાં જોડે કાકાના ઘેર સૂઈ રહ્યા. સવારે ઘેર ગયા. પણ, બીજા દીક્ષાર્થીઓની જેમ, એમને કોઈએ ન માર માર્યો કે ન ઠપકો ય આપ્યો. એટલે રાહતનો દમ લીધો. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy