SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ એ દિવસોમાં નડિયાદથી કપડવંજ સુધીની રેલ્વેલાઇન નવી જ નંખાયેલી. એની ચકાસણી માટે ભારખાનાના ડબ્બા ખૂબ ધીમે ધીમે એ પાટે કપડવંજ સુધી જાય. નરોત્તમે એ ડબ્બા જતા જોયા. કોઈકને પૂછીને ક્યાં જાય છે, એની ભાળ મેળવી અને કહ્યું: “મારે કપડવણજ જવું છે. મને આમાં બેસાડશો?” આમ કહીને ખીસામાં થોડાક પૈસા હશે તે ધર્યા. પેલાએ પૈસા લીધા, ને એમને ભારખાનાના ડબ્બામાં બેસાડી દીધા. કપડવંજ સ્ટેશને પહોંચ્યા. ત્યાંથી પૂછતાં પૂછતાં ઉપાશ્રયે પહોંચ્યા. ઉપાશ્રયમાં પેસતાં જ સૌ પહેલા વાડીલાલ બાપુલાલ મળ્યા. નરોત્તમને જોઈને એ ચોંકી ઊઠ્યા: “તમે ક્યાંથી?” કહેઃ “હું બોટાદથી આવ્યો છું.” વાડીભાઈ જઈને સૂરિસમ્રાટને ખબર આપે, ત્યાં તો તેઓ પણ પહોંચી ગયા. જોતાવેંત સૂરિસમ્રાટે પૂછ્યું: “એલા, તું ક્યાંથી આવ્યો? કઈ રીતે આવ્યો? કેમ આવ્યો?” નરોત્તમ કહેઃ “સાહેબ! બોટાદથી આ રીતે ભાગીને આવ્યો છું. મારે દીક્ષા લેવી છે.” તરત જ સૂરિસમ્રાટે વાડીભાઈને કહ્યું: તું આને અત્યારે જ બોટાદ પાછો મૂકી આવ.” વાડીભાઈ તરત જ નરોત્તમને લઈને રવાના થયા. નરોત્તમે પણ સહેજેય આનાકાની કે હઠ ન કરી. મહારાજજી જેમ કહે એમ કરવું, આવી મનમાં શ્રદ્ધા. બોટાદ પહોંચ્યા. વાડીભાઈએ હેમચંદભાઈને વાત કરીને સોંપી દીધા. પણ નરોત્તમને કોઈ કાંઈ લડ્યું- વઢ્યું નહિ. આનું તો નરોત્તમને પોતાને અચરજ થયું. ઊલટું, મહારાજજીએ એમને તત્કાળ પરત મોકલ્યા, એની ઘરના બધા ઉપર સારી અસર થઈ. થોડા દિવસો ગયા અને ચોમાસું શરૂ થયું, ત્યાં નરોત્તમે ફરી એકવાર સાહસ કર્યું, ભાગીને કપડવંજ પહોંચ્યા. આ વખતે ઉપાશ્રયમાં પેસતાં સૌ પહેલાં શ્રી વિજ્ઞાનવિજયજી (પૂ.આ. શ્રીવિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ) મળ્યા. એમણે હસીને કહ્યું: “આવી ગયો?” સૂરિસમ્રાટ પાસે પહોંચ્યા. એમણે કહ્યું: “તારા ઘેર ટપાલ લખી નાંખ કે હું અહીં આવ્યો છું. ચિંતા કરશો નહિ.” તરત ટપાલ લખી નાંખી. ઘેરથી બાપુજીનો જવાબ પણ આવી ગયો. ચોમાસું હતું, એટલે દીક્ષા લઈ લેશે કે આપી દેશે, એવી કોઈ બીક ન હતી. પર્યુષણ પહેલાં કપડવંજ ગયા, તે દિવાળી સુધી ત્યાં રહ્યા. સૂરિસમ્રાટના બે સંસારી ભાણેજ હતા. એકનું નામ હેમચંદ, બીજાનું જેશીંગભાઈ. બંને ભાઈઓ ગારિયાધારના. દીક્ષાની ભાવનાથી મહારાજજી પાસે રહે. હેમચંદ નરોત્તમથી થોડાક મોટા ને જેશીંગભાઈ સરખી ઉંમરના હતા. એ ત્રણે સાથે એક મકાનમાં રહે. એ મકાનમાં સૂરિસમ્રાટ સાથેના ત્રણ વિદ્વાન શાસ્ત્રીજી પણ રહે. એક પં.શ્રી શશિનાથ ઝા, બીજા પં. શ્રી મુકુન્દ ઝા અને ત્રીજા પં. શ્રી વિક્રમ ઠક્કર. સૂરિસમ્રાટ સાથે રહેતા નારાયણ સુંદરજી નામે ભાઈ પણ એમની સાથે જ રહે, ત્રણેની રસોઈ એ બનાવી આપે. ક્યારેક કોઈ શ્રાવકના ઘેર પણ જમવા જાય. પૂ.શ્રી ઉદયવિજયજી મહારાજના એક શિષ્ય થયેલા, મુનિ કીર્તિવિજયજી. એ અહીં રહેતા. એમના ઘેર પણ જમવા જવાનું - : ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jaineli aay.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy