SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨) શાસન પ્રભાવના એમના સાંનિધ્યમાં, એમના હાથે, અગણિત ભાઈ-બહેનોની દીક્ષા થઈ; અનેક સાધુ-સાધ્વીની વડી દીક્ષા અને પદવીઓ થઈ; અસંખ્ય ધર્માનુષ્ઠાનો થયાં. સં. ૨૦૧૯માં સૂરિસમ્રાટની જન્મશતાબ્દીનો પાવન અવસર આવ્યો. કેટલાકો તરફથી પૂછાવવામાં આવ્યું, આપણાથી (જૈનોથી) શતાબ્દી ઊજવી શકાય ખરી? એમણે હા કહી; કહ્યું કે: “જન્મ તો શ્રી જિનેશ્વરદેવ સિવાય કોઈનો પ્રશસ્ત નથી હોતો, પણ આપણે ગુરુભગવંતની શતાબ્દી ઊજવવા દ્વારા શ્રી દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ અને શાસનની પ્રભાવના જ કરવાની છે. તો પછી શા માટે ન ઊજવવી?” અને એમણે પોતે એ ઊજવી. અને એમના આદેશ અનુરોધથી સર્વત્ર એની શાનદાર ઉજવણી થઈ. - તિથિ- મતભેદ શરૂ થયો ત્યારથી ખંભાત સંઘ બે વિભાગમાં વહેંચાઈ ગયો હતો. પરંપરાનુસારી શ્રી સ્તંભતીર્થ તપાગચ્છ જૈન સંઘ હતો. એ સંઘની ભાવના ઘણાં વર્ષોથી ઉપધાન તપ કરાવવાની હોવા છતાં એ થતાં ન હતાં. સં. ૨૦૨૯નું ચોમાસું શ્રી વિજયનંદનસૂરિજી ખંભાતમાં રહ્યા હતા. શ્રી સંઘે કહ્યું : “આપ સાહેબ આ વાત લક્ષ્યમાં લો તો, અમારા સંઘમાં ઉપધાન ચોક્કસ થઈ જાય.” એમણે એમાં રસ લીધો અને ચોમાસા પછી સં. ૨૦૩૦માં ઉપધાનતપની ભવ્ય આરાધના કરાવી. આ અરસામાં ત્યાં સુરિસમ્રાટના ગુરુમંદિરની પ્રતિષ્ઠા, બોળપીપળાના શ્રી ચંદ્રપ્રભસ્વામીના જિનાલયની પ્રતિષ્ઠા તથા અન્ય અનેક ધર્મકાર્યો કરાવ્યાં. ખંભાતથી તેઓ અમદાવાદ આવ્યા. સં. ૨૦૩૦ના અષાડ મહિને એમણે પોતાના અંતરથી કરવા ધારેલાં બે કાર્યો કર્યા : એક, પોતાની નિશ્રામાં રહેલા પંન્યાસ શ્રી સૂર્યોદયવિજયજી ગણિને આચાર્યપદપ્રદાન; અને બીજું, સૂરિસમ્રાટના જીવનચરિત્ર ‘શાસનસમ્રાટ’ નામે ગ્રંથનું પ્રકાશન. આચાર્યપદવી અષાડ શુદિ દસમે કરી. એ સાંજે એમના મુખમાંથી શબ્દો નીકળેલા : “મારી અંતરની ઇચ્છા ત્રણ વર્ષથી હતી કે સૂર્યોદયને આચાર્યપદ આપું. એ આજે મારા હાથે જ પૂરી થઈ. હવે મારે કોઈની ય પદવી કરવી નથી.” ખૂબ સાહજિક રીતે બોલાયેલા આ શબ્દો અગમવાણી બની રહ્યા. એ પછી એમના હાથે કોઈની પદવી ન થઈ. “શાસનસમ્રાટ” ગ્રંથનું પ્રકાશન એમને મન જીવનનો પરમ ધન્ય પ્રસંગ હતો. અને ગુરુભગવંતોની ભક્તિનો અવસર કયા નિષ્ઠાવાન ગુરુભક્ત શિષ્યને માટે ધન્ય ન હોય ભલા ? આ દિવસે તેઓ ગદગદ બની ગયેલા. અમદાવાદના પાલડી વિસ્તારમાં શ્રી વિજયમહિમાપ્રભસૂરિજીની પ્રેરણાથી શ્રી મહિમાપ્રભસૂરિ ૧૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy