SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ “(૧) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય ચતુર્વિધ શ્રી સંઘમાં અત્યાર સુધીમાં જેણે જેણે સંવત્સરી તથા તિથિની આરાધના જે જે રીતે કરી છે, તે બધાએ પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે શાસ્ત્રના સાપેક્ષભાવે રહીને જ કરી છે. પણ હવેથી તપાગચ્છીય શ્રીસંઘમાં કાયમ એકસરખી જ આરાધના થાય એ રીતે સર્વસમ્મત આ પટ્ટક કરીએ છીએ. અને હવેથી આ પટ્ટક પ્રમાણે તપાગચ્છીય શ્રીસંઘમાં બધાએ સંવત્સરી તથા તિથિની આરાધના કરવાની છે. (૨) શ્રી જૈન શ્વેતામ્બર પાગચ્છીય શ્રી સંઘે માન્ય કરેલ પંચાંગમાં જ્યારે જ્યારે શુક્લ પક્ષમાં કે કૃષ્ણ પક્ષમાં બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ અને અમાસ, આ બારેય પર્વતિથિમાં કોઈનો પણ ક્ષય આવે કે વૃદ્ધિ આવે ત્યારે ત્યારે પરંપરા પ્રમાણે આરાધનામાં તે બારેય પર્વતિથિમાંથી કોઈ પણ પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ ગણવાની નથી તેમજ કરવાની નથી. પણ તેને બદલે તે પહેલાંની જે અપર્વતિથિ છે તેની ક્ષય-વૃદ્ધિ ગણવાની છે અને કરવાની છે. એટલે આરાધનામાં પૂર્વોક્ત બાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની અવિચ્છિન્નપણે ચાલી આવતી પરંપરાની આચરણા કાયમ રાખવાની છે. (૩) પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમનો ક્ષય હોય કે પાંચમની વૃદ્ધિ હોય ત્યાં આરાધનામાં પાંચમની ક્ષય-વૃદ્ધિ નહિ કરતાં પાંચમને અખંડ રાખીને જ પાંચમ પર્વતિથિની આરાધના કરવાની છે. એટલે ભાદરવા શુદિ પાંચમનો ક્ષય આવે ત્યારે આરાધનામાં ભાદરવા શુદિ છઠ્ઠનો ક્ષય ગણવાનો છે અને કરવાનો છે. તેમજ પંચાંગમાં ભાદરવા સુદિ પાંચમની વૃદ્ધિ આવે ત્યારે આરાધનામાં ભાદરવા શુદિ છઠ્ઠની વૃદ્ધિ ગણવાની છે અને કરવાની છે. અને એ રીતે પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમના અવ્યવહિત પૂર્વ દિવસે એટલે કે પંચાંગમાં ભાદરવા શુદિ ચોથ જે દિવસે અને જે વારે ઉદયાતું હોય તે દિવસે અને તે વારે ઉદયાત્ ચોથે સંવત્સરી મહાપર્વ ગણવાનું છે અને સંવત્સરી મહાપર્વની આરાધના કરવાની છે. (૪) પંચાંગમાં ભાદરવા શુદિ પાંચમનો ક્ષય હોય ત્યારે આરાધનામાં ભાદરવા શુદિ ત્રીજનો, ભાદરવા સુદ ચોથનો કે ભાદરવા શુદિ પાંચમનો હવેથી ક્ષય કરવાનો રહેતો નથી તેમજ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ હોય ત્યારે પણ આરાધનામાં ભાદરવા શુદિ બે ત્રીજ, બે ચોથ કે બે પાંચમ પણ હવેથી કરવાની રહેતી નથી. વિક્રમ સંવત ૧૯૯૧ સુધી અવિચ્છિન્નપણે ચાલી આવતી બારેય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ નહિ કરવાની તપાગચ્છની પરંપરાની આચરણાને ફેરવી વિક્રમ સંવત ૧૯૯૨માં અને ૧૯૯૨થી શરૂ થયેલી બારેય પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ કરવાની આચરણા પણ હવેથી રહેતી નથી. “(૫) તથા પંચાંગમાં વૈશાખ સુદિ ત્રીજનો ક્ષય હોય ત્યારે પણ વૈશાખ સુદિ બીજ પછીના દિવસે જ વર્ષીતપના પારણા કરવાની આચરણા છે તથા અષાઢ શુદિ છઠનો ક્ષય હોય ત્યારે પાંચમ પછીના દિવસે જ શ્રી મહાવીરસ્વામીના ચ્યવનકલ્યાણકના વરઘોડાની આચરણા છે, તથા શ્રાવણ શુદિ છઠનો ક્ષય હોય ત્યારે પાંચમ પછીના દિવસે જ છઠ્ઠની પ્રતિષ્ઠાની વર્ષગાંઠ અમદાવાદ, ખંભાત, પાટણ વગેરે સ્થળે ઉજવાય છે. પંચાંગમાં મહા શુદિ ૧૧નો ક્ષય હોય ત્યારે પંચાંગમાંના નોમના દિવસે ભોયણીજીની ૧૦ની વર્ષગાંઠ ઊજવાય છે, ઇત્યાદિક પરંપરાની આચરણા પણ તે રીતે કાયમ ૧૧૪ Lain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy