SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સૌથી વધુ વ્યાપેલી વૃત્તિ સંઘભાવના હતી. આ વૃત્તિના નવલાં અને નરવાં દર્શન એમનાં જીવન અને કાર્યમાં થતા હતાં. વિ.સં. ૨૦૧૯માં આવાં દર્શન બે વાર થયાં : વાત એવી બની કે સં. ૨૦૧૪માં પડી ભાંગેલી તિથિ સમાધાનની વાત વિ.સં. ૨૦૧૯માં પાછી ઉપસ્થિત થઈ. સમાધાન થાય તેવી શક્યતાઓ જો કે તેઓશ્રીને નહોતી દેખાતી; તો પણ તેના પ્રયત્નો સામા પક્ષ તરફથી જ પ્રારંભાયા હતા; શેઠ કસ્તૂરભાઈને પણ સફળતાની આશા જન્મી હતી; એટલે આ અંગે એમનું માર્ગદર્શન જ્યારે માંગવામાં આવ્યું, ત્યારે એમણે સં. ૨૦૧૩માં, ૨૦૧૪માં સંમેલન શરૂ થતાં પૂર્વે અને સંમેલન પૂરું થયા પછી પણ જે સૂચના કરી હતી, તે જ આ વખતે પણ કરી કે ‘તિથિપ્રશ્નનું સમાધાન એક પટ્ટકરૂપે કરવું જોઈએ.' આ સૂચના સર્વસમ્મત થઈ. પછી બંને પક્ષ પાસેથી પટ્ટકનો ખરડો તૈયાર કરીને શેઠે મંગાવ્યો. સામા પક્ષ તરફથી શ્રીવિજયરામચંદ્રસૂરિજીએ અને આ પક્ષ તરફથી શ્રી વિજયનંદનસૂરિજીએ મુસદ્દા તૈયાર કર્યા. આ રહ્યા એ બંને મુસદ્દા ઃ (૧) શ્રી વિજયરામચંદ્રસૂરિજીનો મુસદ્દો : “રાજનગરનો જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રી સંઘ એ જાહેર કરતાં અતિશય આનંદ અનુભવે છે કે અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય ચતુર્વિધ શ્રીસંઘમાં સંવત્સરી અને ચોમાસી તથા પક્ષ્મી સહિત બાર પર્વની આરાધનાના દિવસમાં હવે પછીથી જુદાપણું આવશે નહિ. ‘કારણ કે શ્રી સંઘમાન્ય (હાલમાં જન્મભૂમિ) પંચાંગમાં બારપર્વોની ક્ષયવૃદ્ધિ આવતાં તેના બદલે પૂર્વ કે પૂર્વતર તિથિની ક્ષય-વૃદ્ધિ કરનારા પૂ. આચાર્ય ભગવંતો આદિ મુનિવરોએ હવે પછીથી જ્યારે જ્યારે મજકુર પંચાંગમાં ભાદરવા શુદ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ત્યારે ત્રીજ કે ચોથની ક્ષય-વૃદ્ધિ નહિ કરતાં છઠની ક્ષયવૃદ્ધિ કરીને પંચાંગમાંની ઉદયાત્ ભાદરવા શુદિ-૪ સંવત્સરી કરવાનો અને શ્રી સંઘમાન્ય પંચાંગમાં આવતી દરેક તિથિની ક્ષય-વૃદ્ધિ કાયમ રાખનારા પૂજ્ય આચાર્ય ભગવંતો આદિ મુનિવરોએ હવે પછીથી જ્યારે જ્યારે મજકુર પંચાંગમાં પૂનમ કે અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવાનો નિર્ણય અપવાદરૂપે કર્યોછે. આ સિવાયની તિથિઓની બાબતમાં બંને પક્ષના પૂજ્ય આચાર્ય ભગવંતો આદિ મુનિવરો હાલમાં જે રીતિએ વર્તે છે એ રીતિએ વર્તવાનું ચાલુ રાખશે.” * આ મુસદો સર્વથા અમાન્ય જ ઠર્યો. આ વિષે શ્રી પુણ્યવિજયજી મહારાજે શ્રીવિજયનંદનસૂરિજીને એક પત્રમાં લખ્યું હતું : “શ્રીકાંતે રામસૂરિજી વતી એક ખરડો આપ્યો છે. જો કે તે અહીં માન્ય નથી કરવામાં આવ્યો. પણ તેઓ શું કરવા માંગે છે તેનું પ્રતિબિંબ જણાય છે.’ (૨) અને આ રહ્યો શ્રી વિજયનંદનસૂરિજીનો મુસદ્દો : Jain Education International ૧૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy