SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) સં. ૨૦૧૪નું નિસમેલન : અમદાવાદમાં આગમન જે સમાચારની આતુરતાપૂર્વક આશા સેવાતી હતી, એ સમાચાર આખરે આવ્યા. સંઘના શાન્તિપ્રિય વિશાળ વર્ગની આશા અને મહેનત અંતે સફળ થઈ. શેઠ કેશુભાઈએ તારના ઉત્તરમાં લખ્યું : “ગઈ કાલે રાત્રે કરુણાશંકર તરફથી તાર મલ્યો કે આપ ચૈત્ર શુદિ ૧૦ ને રવિવારે અત્રે સારુ વિહાર કરો છો. આપના આ નિર્ણયથી અત્રે મુનિમહારાજશ્રીઓ તથા ગૃહસ્થીઓમાં ઘણો જ આનંદ થયો છે. સંમેલન સારુ શુભ દિવસ કાઢી મને જણાવવા વિનંતિ છે.” શ્રી વિજયનંદનસૂરિજીએ સંમેલનના શુભ મુહૂર્ત માટે ચૈત્ર વદિ ૮, ૯, ૧૧ અને વૈશાખ શુદિ ૩ એમ ચાર દિવસો લખી જણાવ્યા. એમના વિહારના સમાચાર સાંભળીને અતિ આનંદમાં આવી ગયેલી વ્યક્તિઓએ એમના પર પત્રો લખ્યા. એમાંના અમુક પત્રો આપણે વાંચીએ: શેઠ કચરાભાઈ હઠીસિંગ : “આપે શુભ પગલું ભર્યું છે. અમોને આનંદની સીમા નથી રહી. આપ સુખરૂપ પધારો ને વિહારમાં આપની તબિયત સારી રહે એમ પ્રાર્થના કરીએ છીએ.” શેઠ શકરચંદ મણિલાલ : “ઘણો જ આનંદ થયો છે. આપના વિહાર કરવાના સમાચાર સાંભળી અત્રે પણ ઘણી જ ખુશી પથરાઈ છે. છેલ્લે છેલ્લે પણ આપશ્રીને વિહાર કરવાની પ્રેરણા પરમ પૂજય પ્રાતઃસ્મરણીય ગુરુમહારાજે કરી તે પણ એક આશ્ચર્યજનક ઘટના છે.” મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ : “ગઈ કાલે રાત્રે તાર મળ્યો. આપશ્રી વિહાર કરવાના છો, તેથી સર્વત્ર આનંદ થયો છે, મને તો સવિશેષ જ થયો છે.” નિર્ણય પ્રમાણે ચૈત્ર શુદિ દશમે વિહાર કર્યો. પહેલો મુકામ પાલિતાણા ગામ બહાર મોદીના બંગલે કર્યો. તેઓ બંગલે પહોંચ્યા કે થોડી વારમાં અમદાવાદથી શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજના ખાસ સલાહકાર શ્રીકાંત ત્યાં આવી પહોંચ્યા. એ કહે: “સાહેબ! ઘણા સમયથી આપને મળવાનું મન હતું. વળી, મને થતું'તું કે મહારાજ સંમેલનમાં કેમ નથી આવતા? એમણે આવવું જ જોઈએ. આ કહેવા માટે પણ આવવું હતું, પણ સમય નહોતો મળતો. ત્યાં સાંભળ્યું કે આપ પધારો છો, એટલે હું તો બધું મૂકીને દોડતો આવ્યો. બહું સારું થયું, આપે પધારવાનું નક્કી કર્યું તે.” શ્રીકાંત કેમ આવ્યા છે, એ શ્રી વિજયનંદનસૂરિજી બરાબર સમજતા હતા. સૂરિસમ્રાટ અને શ્રી વિજયનંદનસૂરિજીમાં એક તફાવત હતોઃ સૂરિસમ્રાટને લાગે કે આ માણસ વિશ્વાસ કરવા લાયક નથી, તો તેઓ એને દૂરથી જ રવાના કરી દે, એની જોડે વાત સુધ્ધાં ન કરે; જ્યારે શ્રી વિજયનંદનસૂરિજી એવી વ્યક્તિને કાઢી ન મૂકતાં બેસાડે, એની વાતો સાંભળે, ને છેવટે એને પોતાને જ ભોંઠા પડ્યા જેવું લાગે એવી સ્થિતિમાં એને મૂકીને વિદાય આપે ! 9: ૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001452
Book TitleVatsalyanidhi Sanghnayak
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year2008
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy