SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવશે. તે કારણથી પુદ્ગલદ્રવ્યોથી સમયો અનન્તગુણા કહ્યા તે યુક્ત જ છે. વળી ભૂતકાળના સમયો નષ્ટ થઈ ગયા છે, અને ભવિષ્યકાલના સમયો - હજી ઉત્પન્ન થયા નથી, માટે એ બે કાળ તો અવસ્તુ છે (એટલે અહીં દ્રવ્યપણે ન ગણવી જોઈએ); પરન્તુ વર્તમાન કાળનો એક સમય જે વર્તમાનકાળમાં વિદ્યમાન છે તે જ એક સમય (વસ્તુરૂપે સત્ હોવાથી) દ્રવ્યરૂપે ગણવો જોઈએ” એમ ન કહેવું જોઈએ; કારણ કે ગ્રંથાન્તરોમાં નિરન્વયના વિનાશને અને એકાન્ત અસતની ઉત્પત્તિનો ન્યક્ષપૂર્વક (તિરસ્કારપૂર્વક) નિરાકરણ કરેલ છે (એટલે અર્થનો નિરન્વય વિનાશ ન થાય, અને એકાન્ત અસત્ અર્થ (પદાર્થ)નવો ઉત્પન્ન ન થાય એમ કહેલું છે). એ ૨૮૨ મી ગાથાનો અર્થ સમાપ્ત. //ર૮રા રૂતિ દ્રવ્યર્લેન નીવાજ્યવહુન્ || નવતર : પૂર્વ ગાથામાં દ્રવ્યાર્થપણે અજીવદ્રવ્યોમાં અલ્પબદુત્વ કહીને હવે આ ગાથામાં પ્રદેશાર્થપણે ધર્માસ્તિકાયાદિ અજીવદ્રવ્યોનું જ અલ્પબદુત્વ કહેવાય છે : धम्माधम्मपएसा, तुल्ला परमाणवो अणंतगुणा । समया तओ अणंता, तह खपएसा अणंतगुणा ।।२८३॥ નાથાર્થ ઘર્માસ્તિકાયના પ્રદેશ અને અધર્માસ્તિકાયના પ્રદેશ એ બે પરસ્પર તુલ્ય છે, તેથી જેથી તે વિવક્ષિત એક જ પરમાણુ બીજા અનન્ત પરમાણુઓ સાથે અનન્તવાર જોડાયાથી અનન્ત સમય પ્રાપ્ત થયા; પુનઃ અનન્ત દ્વિદેશી ઢંધોમાં પ્રત્યેકની સાથે અનન્તીવાર સંબંધવાળો થયેલો છે માટે એ બીજા અનન્ત સમય. એ પ્રમાણે યાવતુ અનન્તપ્રદેશી સુધીના પ્રત્યેક સ્કંધોમાં અનન્ત અનન્તવા૨ સંબંધવાળો થવાથી તે વિવક્ષિત પરમાણુનો કાળ અન્ય અન્ય દ્રવ્યો સાથેના સંબંધમાં અનન્તાનન્ત સમયો જેટલો થયો. એ પ્રમાણે સર્વ પરમાણુના પ્રત્યેકના સંબંધ અન્યાન્ય દ્રવ્ય સાથે અનન્તવાર થયા, તેમજ દ્ધિપ્રદેશી આદિ દરેક સ્કંધોના પણ અન્યાન્ય દ્રવ્યો સાથે અનન્ત અનન્તવાર સંબંધ થયા માટે દ્રવ્યાંયો પણ ભૂતકાળના સમયો સર્વ દ્રવ્યોથી અનન્તગુણા થયા. || સુતિ દ્રવ્યસંયોગો अनन्तगुणभूतकालसमयाः ।। હવે ક્ષેત્રસંયોગથી પણ પુદ્ગલોની અપેક્ષાએ સમય અનન્તગુણા છે તે આ પ્રમાણે - વિવક્ષિત એક પરમાણુ વિવક્ષિત એક આકાશપ્રદેશમાં વિશેષમાં વિશેષ અસંખ્ય કાળ સુધી રહીને જઘન્યથી એક સમય બાદ અને ઉત્કૃષ્ટથી અનન્તકાળે પુનઃ તે જ આકાશપ્રદેશમાં આવે. એ રીતે અનંતવાર દરેક આકાશપ્રદેશને અવગાહ્યો છે. એ પ્રમાણે દ્ધિપ્રદેશાદિ સ્કંધો પણ દરે ક સર્વ લોકાકાશમાંના પ્રત્યેક આકાશપ્રદેશને અનન્તવાર અવગાહ્યા છે, માટે ક્ષેત્રસંયોગે પણ સર્વ પુદ્ગલદ્રવ્યોથી કાળના સમયો ભૂતકાળમાં અનન્તગુણા વ્યતીત થયા છે. || તિ ક્ષેત્રયોને મનન્તા મૂતાત્ત: || તથા વિવક્ષિત એક પરમાણુ ભૂતકાળમાં અનંતીવાર એક સમયની સ્થિતિવાળો થયો હતો. તેમ અનંતીવાર બે સમયની સ્થિતિવાળો પણ થયો છે. વાવતુ અસંખ્યાત સમયની સ્થિતિ સુધીનાં દરેક સ્થિતિસ્થાનને અનન્તવાર પ્રાપ્ત થયો છે. એ પ્રમાણે સર્વે પરમાણુ તેમજ સર્વે દ્વિપ્રદેશાદિ સ્કંધો પણ દરેક સ્થિતિસ્થાનને અનન્તવાર પામેલા છે. માટે કાળના યોગે પણ ભૂતકાળ સર્વ પુદ્ગલોથી અનન્તગુણો વ્યતીત થયો છે. તિ ફાતયોગનન્ત'મૂતાત: || તથા એક જ પરમાણુ એકગુણ કૃષ્ણવર્ણવાળો અનંતવાર થયો છે. તેમ બે ગુણ, ત્રણ ગુણ યાવતું અનંતગુણ કૃષ્ણવર્ણ સુધીનાં અનન્ત કુષ્ણવર્ણ સ્થાનોને પ્રત્યેકને અનન્ત અનન્તવાર પામ્યો છે. તેમજ નીલાદિ પાંચે વર્ણના પણ પ્રત્યેકનાં અનન્ત અનન્ત સ્થાનોને અનંતીવાર પામ્યો છે. એ રીતે ગંધ આદિ સર્વ ગુણોના ભાવોના એકેક સ્થાનને અનન્તવાર પામ્યો છે. વળી જેમ એક પરમાણુ તેમ સર્વે પરમાણુઓ એ અને સર્વે સ્કંધોએ સ્વસ્વયોગ્ય અનન્ત ભાવસ્થાનોને અનન્તવાર પામેલા ગણતાં ભાવયોગે પણ સર્વ પુદ્ગલોથી ભૂતકાળ અનન્તગુણો છે. ત ભાવયોગનન્તમૂતકાત : | એ રીતે ભાવી કાળના પણ અનન્તગુણ સમયો ગણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy