SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞવિ - એકજીવસંબંધી કાળભેદ કહેવાય. અને તેવો સાસ્વાદન ગુણસ્થાનનો એકજીવિક કાળભેદ તે સાસ્વાદનેકજીવિકકાળ [ સાસ્વાદનગુણસ્થાનનો એક જીવ આશ્રય કાળ ] કહેવાય. [અહીં ૩ષ્યતે – કહેવાય એ અધ્યાહાર્ય પદ છે ]. સાસ્વાદનનો તે એક જીવ આશ્રયિ કાળ કેટલો? તે કહેવાય છે – - માસમાડુ ખાવ છવિનિયા – અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે – પૂર્વે ગુણસ્થાનોના સ્વરૂપવર્ણન વખતે દર્શાવેલી રીતિ પ્રમાણે જે સાસ્વાદનપણું પામ્યો હોય તેવો સાસ્વાદનગુણસ્થાનવર્તી કોઈ એક જીવ પૂર્વોક્ત રીતે સાસ્વાદનપણું પામીને ૧ સમય સુધી રહે. બીજો કોઈ સાસ્વાદનભાવમાં બે સમય રહે. વળી ત્રીજો કોઈ જીવ ત્રણ સમય સુધી રહે. એ પ્રમાણે યાવત્ કોઈ જીવ છ આવલિકા સુધી સાસ્વાદનભાવમાં રહીને ત્યારબાદ તે જીવ અવશ્ય મિથ્યાત્વ પામે છે. તે કારણથી એ રીતે સાસ્વાદનગુણસ્થાનવર્તી એક જીવનો જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો કાળ કહ્યો છે. તથા સમ્મી = સમ્યમિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનવાળો એક જીવ લવ ૪ = અપર એટલે જઘન્યથી અને ઉત્ક્રોસ એટલે ઉત્કૃષ્ટથી મુહૂર્નાન્ત એટલે અન્તર્મુહૂર્ત સુધી જ હોય છે. અહીં વિચારવાનું આ પ્રમાણે છે કે – પૂર્વે ગુણસ્થાનસ્વરૂપના વર્ણન પ્રસંગે વર્ણવેલા- કહેલા ક્રમ પ્રમાણે મિશ્રદૃષ્ટિપણાને પામેલો એવો મિશ્રગુણસ્થાનવર્તી એક જીવ મિશ્રદૃષ્ટિપણામાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત જ રહે છે. ત્યાં જઘન્યપક્ષમાં એ જ અન્તર્મુહૂર્ત નાનું જાણવું, અને ઉત્કૃષ્ટપક્ષમાં એ જ અન્તર્મુહૂર્ત વિશેષ મોટું જાણવું – એ તફાવત જાણવો. એ પ્રમાણે ૨૨૧મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //ર ૨૧] નવતUT: હવે મિથ્યાત્વગુણસ્થાનનો કાળ એક જીવ આશ્રયિ કહેવાનો છે. ત્યાં પ્રથમ અનાદિ અનંત આદિ ચાર ભાંગાએ કાળ કહેવો જોઈએ. અર્થાત્ ચાર પ્રકારનો કાળ જાણવો જોઈએ. તે આ પ્રમાણે – અનાદિ અનન્ત એ પહેલો ભંગ, અનાદિ સાત્ત એ બીજો ભંગ, સાદિ અનન્ત એ ત્રીજો ભંગ, અને સાદિ સાત્ત એ ચોથો ભંગ. એ ચાર ભાંગામાંથી ત્રીજો ભાંગો છોડીને શેષ ત્રણ ભાગમાં મિથ્યાત્વગુણસ્થાન એકેક જીવ આશ્રય સંભવે છે, તે દર્શાવવાને આ ગાથા કહેવાય છે : मिच्छत्तमणाईयं, अपज्जवसियं सपञ्जवसियं च । साईसपज्जवसियं, मुहुत्तपरियट्टमद्भूणं ॥२२२॥ થાઈ: મિથ્યાત્વગુણસ્થાનનો કાળ એક જીવ આશ્રયિ અનાદિ અનન્ત, અનાદિ સાન્ત અને સાદિ સાન્ત એમ ત્રણ પ્રકારનો છે. તેમાં ત્રીજો સાદિ સાન્ત કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત છે. ૨૨૨ા ટાર્થ: મિચ્છત્તમUTયં ઉપસિયે - સમ્યકત્વને આવરણ કરનારાં પુગલોના ઉદયથી પ્રાપ્ત થયેલ વિપરીત શ્રદ્ધાનરૂપ જે મિથ્યાત્વ તે અભવ્ય જીવનું મિથ્યાત્વ 3નાદ્રિ સનારૂપ પહેલા ભાંગામાં વર્તે છે. કારણ કે અભવ્ય જીવમાં તે મિથ્યાત્વ અનાદિ કાળથી રહેલું છે, અને Jain Education International For Privat 32 trsonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy