SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કૃષ્ટ આયુષ્ય પચાસ હજાર વર્ષ અધિક અર્ધ પલ્યોપમ છે. II૨ રૂતિ ચન્દ્રબ્યોતિષામાયુ:।। સૂર્યોનું પણ જઘન્ય આયુષ્ય ચન્દ્ર સરખું [પલ્યોપમનો ચોથો ભાગ ] જાણવું, અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમ છે. IIII તથા સૂર્યની દેવીઓનું પણ જઘન્ય આયુષ્ય ચન્દ્રની દેવીઓ તુલ્ય [ પલ્યોપમનો ચોથો ભાગ ] છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય પાંચસો વર્ષ અધિક અર્ધ પલ્યોપમ જેટલું છે. II૪ કૃતિ સૂર્યન્યોતિષામાયુ: || તથા મંગળ, બુધ આદિ શેષ ગ્રહોનું જઘન્ય આયુષ્ય સૂર્યના જઘન્ય આયુષ્યતુલ્ય [પલ્યોપમનો ચોથો ભાગ ] છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ છે. III તથા ગ્રહોની દેવીઓનું જઘન્ય આયુષ્ય સૂર્યની દેવીઓના જઘન્ય આયુષ્ય જેટલું [પલ્યોપમનો ચોથો ભાગ] છે, અને ગ્રહદેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય સંપૂર્ણ અર્ધ પલ્યોપમ જેટલું છે ॥૬॥ કૃતિ ग्रहज्योतिषामायुः ।। તથા અશ્વિની આદિ નક્ષત્રોનું જઘન્ય આયુષ્ય ગ્રહોના જઘન્ય આયુષ્ય જેટલું [પલ્યોપમનો ચોથો ભાગ] છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય તો સંપૂર્ણ અર્ધ પલ્યોપમ છે. IIII તથા નક્ષત્રની દેવીઓનું જઘન્ય આયુષ્ય ગ્રહની દેવીઓના જઘન્ય આયુષ્ય જેટલું [ પલ્યોપમનો ચોથો ભાગ ] છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય એજ પલ્યોપમના ચોથા ભાગથી કંઈક અધિક છે. II૮૫ इति नक्षत्रज्योतिषामायुः ।। તથા તા૨ા દેવોનું જઘન્ય આયુષ્ય પલ્યોપમનો આઠમો ભાગ છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ છે. III તથા તારા દેવીઓનું જઘન્ય આયુષ્ય પલ્યોપમનો આઠમો ભાગ છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય તારાની દેવીઓનું એજ પલ્યોપમના આઠમા ભાગથી કંઈક અધિક છે. ૧૦ રૂતિ તારખ્યોતિષામાયુ: || એ પ્રમાણે એ દશે પ્રકારના જ્યોતિષી દેવોમાં વિશેષ ભેદપૂર્વક જઘન્ય આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. કહ્યું છે કે - ‘ચન્દ્ર, સૂર્ય, ગ્રહ અને નક્ષત્રોનું પોતપોતાની દેવીઓ સહિત એ આઠેનું જઘન્ય આયુષ્ય પલ્યોપમના ચોથા ભાગ જેટલું છે ।।૧।।’ ‘તારા દેવોનું તથા તારાની દેવીઓનું જધન્ય આયુષ્ય પલ્યોપમનો આઠમો ભાગ છે, હવે જ્યોતિષીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહીશ. IIII ‘ચન્દ્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ ઉપરાંત એક લાખ વર્ષ અધિક છે, અને સૂર્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમ છે, તથા ગ્રહોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સંપૂર્ણ એક પલ્યોપમ જેટલું છે. III’ ‘નક્ષત્રોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્ધપલ્યોપમ છે, તારા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ છે, અને ચન્દ્રની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય અર્ધ પલ્યોપમ અને તે ઉ૫૨ાંત – (સંબંધ Jain Education International ૨૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy