SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ઋષીય સમુદ્ધતિ - ઋષાય એટલે આ સમુદ્યામાં કારણભૂત એવા ક્રોધ વગેરે કષાયો, તે વડે થતો સમુદ્રઘાત તે ષય સમુદ્રઘાત. એ આ પ્રમાણે – તીવ્ર ઋષાયના ઉદય વડે વ્યાકુળ થયેલ જીવ અનન્તાનન્ત કર્મસ્કંધો વડે વીંટાયેલા પોતાના આત્મપ્રદેશોને બહાર કાઢે, અને તે બહાર કાઢેલા આત્મપ્રદેશો વડે ઉદર - મુખ તથા કંઠ વગેરેનાં સુષિરોને (પોલાણોને) પૂરીને તથા કાન ખભા વગેરેના આંતરાઓને પૂરીને લંબાઈ તથા વિસ્તારથી પોતાના શરીર જેટલા ક્ષેત્રમાં વ્યાપીને-ફેલાઈને અન્તર્મુહૂર્ત સુધી રહે, અને તે અન્તર્મુહૂર્તમાં કષાયમોહનીય કર્મના ઘણા પ્રદેશોની નિર્જરા કરે, અને ત્યારબાદ સમુદ્યાતથી નિવૃત્ત થઈને મૂળ અવસ્થામાં આવી જાય, તે કષાય સમુદ્યાત જાણવો. રૂ. મારાન્તિ સમુહુઘાત - મરણ એ જ જીવોનો અંત કરનારું હોવાથી અતરૂપ છે માટે મરણાન્ત, અને તેને વિષે થયેલ તે મારાન્તિ; અને તેવા પ્રકારનો એ સમુદ્રઘાત તે મારાન્તિ સમુદ્રુવાત કહેવાય. અર્થાત્ મરણ વખતે જ્યારે અન્તર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે જ કેટલાક જીવો એ સમુદ્દઘાત કરે છે, માટે મારણાન્તિક સમુદ્દાત કહેવાય છે. તે આ પ્રમાણે જાણવો – અન્તર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે કોઈ જીવ પહોળાઈ અને જાડાઈમાં પોતાના શરીર પ્રમાણ, અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ તથા ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજન પ્રમાણનો પોતાના આત્મપ્રદેશોનો દંડાકાર શરીર બહાર કાઢે છે – રચે છે. અને તેવો દંડ કાઢીને જે સ્થાને પરભવમાં ઉત્પન્ન થવાનો હોય તે સ્થાને તે પોતાના આત્મપ્રદેશના દંડને પ્રક્ષેપે છે ત્યાં સુધી પહોંચાડે છે - મોકલે છે – સ્થાપે છે]. વળી તે પ્રદેશદંડ તે ઉત્પત્તિ સ્થાનમાં જુગતિ વડે એક જ સમયમાં જાય છે, અને વક્રગતિ વડે તો પૂર્વે કહ્યા પ્રમાણે ઉત્કૃષ્ટથી ચોથે સમયે જાય છે. વળી આ મારણાન્તિક સમુદ્યાત પણ અંતર્મુહૂર્તપ્રમાણનો જ છે, અને તે અંતર્મુહૂર્તમાં આયુષ્ય કર્મના ઘણા પુદ્ગલોની નિર્જરા કરે છે. ૪. વૈશ્વિય સમુદ્ધતિ – વૈક્રિય શરીર નામકર્મ સંબંધી જે સમુદ્યાત તે વૈક્રિય સમુદ્યાત. અથવા વૈક્રિય શરીર રચવાના સમયે થતો જે સમુદ્રઘાત તે વૈક્રિય સમુદ્દઘાત. એ સમુદ્દઘાત પણ એ જ રીતે જાણવો. તે આ પ્રમાણે – વૈક્રિય શરીર રચવાની લબ્ધિવાળો જીવ વૈક્રિય શરીર રચતી વખતે પહોળાઈ અને જાડાઈમાં પોતાના શરીર જેટલો [ પહોળો અને જાડો ] અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ તથા ઉત્કૃષ્ટથી તો સંખ્યાતા યોજનપ્રમાણ પોતાના આત્મપ્રદેશોનો દંડ રચી શરીર બહાર કાઢે [અર્થાતુ આત્મપ્રદેશોને શરીર બહાર કાઢીને દંડ રચના કરીને ] યથાબાદર વૈક્રિય નામકર્મના પુદ્ગલો જે પૂર્વે બાંધેલા છે, તેની નિર્જરા કરે. જે કારણથી કહ્યું છે કે – “વેલ્વિયસમુઘાણvi , સમોત્તિ સંન્નારું નોયડું ઠંડું निसिरइ, निसिरइत्ता अहाबायरे पुग्गले परिसाडेइ' । [વૈક્રિય સમુદ્દાત વડે સમુદ્રઘાત કરે, સમુદ્દાત કરીને સંખ્યાત યોજન પ્રમાણનો દંડ ૧. તે અન્તર્મુહૂર્તના અંત્ય સમયે જો મરણ પામે તો તેવી જ અવસ્થામાં રહ્યો છતો પોતાના આત્મપ્રદેશોને મરણસ્થાનથી સંહરી લે છે. અને મરણ ન પામે તો સમુદ્રઘાતથી નિવૃત્ત થઈ સ્વભાવસ્થ થાય છે, કોઈ જીવ એક જ સમુઘાત કરી મરણ પામે છે તો કોઈ જીવ બે વાર પણ સમુઘાત કરી બીજા સમુદ્રઘાતમાં મરણ પામે છે – એ અધિક જાણવું. શ્રી ભગવતીજીના અભિપ્રાયથી. ૨. વાયુને તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંગુલનો અસંખ્યાતમો ભાગ લંબાઈ જાણવી. ૩. પૃષ્ઠ ૨૭૨ની ટિપ્પણ ૧. જુઓ. ૨૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy