SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ बारस य जोयणाई, तिगाउयं जोयणं च बोधव्यं । बेइंदियाइयाणं, हरिएसु सहस्समभहियं ॥१७०॥ થાર્થ: કીન્દ્રિયાદિ જીવોનું શરીર પ્રમાણ અનુક્રમે બાર યોજન, ત્રણ ગાઉં, અને એક યોજન જાણવું. તથા વનસ્પતિના શરીરનું પ્રમાણ એક હજાર યોજનથી કંઈક અધિક જાણવું. ૧૭૦ની રીક્ષાર્થ: હીન્દ્રિયાદિ જીવોના શરીરનું પ્રમાણ ઉત્કૃષ્ટથી અનુક્રમે બાર યોજન આદિ જાણવું. તે આ પ્રમાણે – શંખ વગેરે દ્વીન્દ્રિય જીવોના શરીરનું પ્રમાણ ઉત્કૃષ્ટથી ૧૨ યોજન (બાર યોજન) છે, તેમજ ચક્રવર્તી વગેરેના સૈન્યાદિકની નીચે કોઈ કોઈ વખતે સમૂચ્છિકપણે ઉત્પન્ન થાય છે તેવો આશાલિક' નામનો જીવ જે બાર યોજન પ્રમાણનો છે, તે દ્વીન્દ્રિય છે એમ કેટલાક આચાર્યો કહે છે, અને કેટલાક આચાર્યો તેને સમૂર્છાિમ [ તિર્યંચ ] પંચેન્દ્રિય કહે છે. તથા કર્ણમૃગાલી [ કાનખજૂરો ] મકોડા વગેરે ત્રીન્દ્રિય જીવોના શરીરનું પ્રમાણ ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉનું છે. તથા ભમરા વગેરે ચતુરિન્દ્રિય જીવોના શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ એક યોજન જેટલું જાણવું. તથા હરિતનું એટલે સમુદ્ર વગેરેમાં રહેલી વલ્લીઓ, લતાઓ અને કમળો વગેરે બાદર વનસ્પતિનું [ પ્રત્યેક વનસ્પતિનું ] ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ કંઈક અધિક° એક હજાર યોજના પ્રમાણનું જાણવું. વળી જઘન્યથી શરીરનું પ્રમાણ વિચારીએ તો એ દ્વીન્દ્રિયાદિ સર્વે જીવોના શરીરનું પ્રમાણ અંગુલનો અસંખ્યાતમો ભાગ [ ઉત્પત્તિના પ્રથમ સમયે ] જાણવું. અને પૃથ્વી, જળ, અગ્નિ તથા વાયુ એ એકેન્દ્રિય જીવોના શરીરનું જઘન્ય પ્રમાણ તથા ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ તો બન્ને રીતે અંગુલનો અસંખ્યાતમો ભાગ જ છે, તે ગ્રંથકર્તા પોતે જ આગળ કહેશે. એ પ્રમાણે આ ૧૭૦મી ગાથાનો અર્થ કહ્યો. I૧૭ી અવતરણ: [ હવે આ ગાથામાં તિર્યય પંચેન્દ્રિયના વીશ ભેદોના શરીરનું પ્રમાણ કહેવાનું છે, ત્યાં પ્રથમ તિર્યંચ પંચેન્દ્રિયના વીશ ભેદ કયા કયા તે દર્શાવાય છે.] પંચેન્દ્રિય તિર્યંચો ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે – જલચર, સ્થલચર અને ખેચર. વળી જલચરો પણ સમૂર્છાિમ અને ગર્ભજ એમ બે પ્રકારના છે; અને તે દરેક પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતાં જલચરો ચાર પ્રકારના છે. તથા સ્થલચરો ચતુષ્પદ અને પરિસર્પ એમ બે પ્રકારના છે. તેમાં પણ ચતુષ્પદો સમૂર્છાિમ અને ગર્ભજ તથા તે દરેક અપર્યાપ્ત અને પર્યાપ્તા ગણતાં ચાર પ્રકારના છે. વળી પરિસર્પ બે પ્રકારના છે. ઉર:પરિસર્પ અને ભુજપરિસર્પ, તેમાં પણ ઉર:પરિસર્પ જીવો ચતુષ્પદ સ્થલચરની પેઠે ચાર પ્રકારના, એ રીતે ભુજપરિસર્પ પણ ચાર પ્રકારના. એ પ્રમાણે સર્વ મળીને ૧. ચક્રવર્તી આદિના પુણ્યનો વિનાશ થતાં તેની છાવણીમાં અથવા નગરમાં એ આસાલિકજીવ સમૂર્છાિમપણે ઉત્પન્ન થઈ અન્તર્મુહૂર્તમાત્રમાં બાર યોજન જેવડા મહાન શરીરવાળો થઈ તુર્ત મરણ પામતાં તે સ્થાને મોટો ખાડો પડી જાય છે, જેથી સૈન્ય અને નગર તે ખાડામાં ગરકાવ થઈ વિનાશ પામે છે, જેનું વિશેષ વર્ણન શ્રી દ્રવ્યલોકપ્રકાશથી જાણવા યોગ્ય છે. ૨. એ વિકલેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ દેહપ્રમાણ વિશેષતઃ અઢીદ્વીપથી બહારના મોટા દ્વીપ-સમુદ્રોમાં જાણવું. ૩. વલ્લીઓ, લતાઓ અને કમળોના સ્કંધો ઉત્સધાંગુલથી હજાર યોજન પ્રમાણ ઊંચી જળની સપાટીથી જેટલાં ઊંચા આવેલા હોય તેટલી અધિકતા જાણવી, અને એથી વિશેષ ઊંડાઈવાળા ગોતીર્થ સ્થાનમાં તો પૃથ્વીકાયિક કમળો [આદિ] જાણવાં. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only ૨૪૭
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy