SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. પર્યાપ્ત ચતુરિન્દ્રિય જીવો સર્વથી (આગળના ભેદથી) અલ્પ છે. ૨. તેથી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવો વિશેષાધિક છે. ૩. તેથી પર્યાપ્ત દ્વીન્દ્રિય જીવો વિશેષાધિક છે. ૪. તેથી પર્યાપ્ત ત્રીન્દ્રિય જીવો વિશેષાધિક છે. ૫. તેથી અપર્યાપ્ત પંચેન્દ્રિય જીવો અસંખ્યાતગુણા છે. ૬. તેથી અપર્યાપ્ત ચતુરિન્દ્રિય જીવો વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત ત્રીન્દ્રિય જીવો વિશેષાધિક છે. ૮. તેથી અપર્યાપ્ત દ્વીન્દ્રિય જીવો વિશેષાધિક છે. ૭. વળી આ ગાથામાં પંચેન્દ્રિયોનું પ્રમાણ સામાન્યથી (ચારે ગતિના મળીને) કહેલું છે. અને પૂર્વે તો ચારે ગતિનું જુદું જુદું પંચેન્દ્રિયપ્રમાણ દર્શાવ્યું છે, માટે એ પંચેન્દ્રિય જીવોનું પ્રમાણ પુનઃ બીજીવાર કેમ કહ્યું ? એવી આશંકા ન ક૨વી. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો.II કૃતિ ૮ ત્રસીવમેવસ′ાપ્રમાણમ્ ॥૧૬૪॥ અવતરણ: એ પ્રમાણે ના૨ક આદિ જે જીવદ્રવ્યોના પ્રાયઃ અવસ્થિત રાશિ છે, તેવાં જીવદ્રવ્યોનું પ્રમાણ કહ્યું. હવે આ ગાથામાં જે જીવદ્રવ્યોના રાશિ અનવસ્થિત છે, એટલે લોકમાં કદાચિત્ તે જીવરાશિ હોય છે, અને કદાચિત્ નથી પણ હોતો, તેવા અનવસ્થિત (અધ્રુવ) જીવરાશિઓનું ભેગું પ્રમાણ કહે છે, તે આ પ્રમાણે : મનુષ્ય અવત્તાઽહાર - મિસ્સ-વે બિ-છેય-પરિહાર! | સુઠુમસરોવસમા, સાસળ-મિસ્સા ય મળAT ||૧૬૯|| ગાથાર્થ: અપર્યાપ્ત મનુષ્યો - આહા૨ક શ૨ી૨ી - વૈક્રિયમિશ્રકાયયોગી - છેદોપસ્થાપનીય ચારિત્રી – પરિહારવિશુદ્ધિચારિત્રી – સૂક્ષ્મસંપ૨ાયી – મોહના ઉપશમક (બે) - ઉપશાન્તમોહી - સાસ્વાદની અને મિશ્રગુણસ્થાની એ ૧૧ રાશિના જીવો ભજનીય (અપ્રુવ = કદાચિત્ હોય કદાચિત્ ન હોય એવા) છે. ।।૧૬૫।। ટીાર્થ: ૧. અપર્યાપ્તા મનુષ્ય, ૨. આહારક શરીર, ૩. વૈક્રિયમિશ્રકાયયોગી, ૪. છેદોપસ્થાપનીય ચારિત્રી, ૫. પરિહારવિશુધ્ધચારિત્રી, ૬. સૂક્ષ્મસં૫રાયચારિત્રી, તથા વસા એટલે ઉપશમકના ગ્રહણથી મોહનીયકર્મનો ઉપશમ કરવા યોગ્ય તે, ૭. અપૂર્વકરણ ગુણસ્થાનવર્તી, અને ૮. અનિવૃત્તિબાદર ગુણસ્થાનવર્તી તથા ૯. ઉપશાન્તમોહ ગુણસ્થાનવર્તી, એ ત્રણે પ્રકારના જીવો વસમ ઉપશમ શબ્દથી ગ્રહણ કરવા; તથા ૧૦. સાસ્વાદન સમ્યદૃષ્ટિ, અને ૧૧. મિશ્ર એટલે સમ્યમિથ્યાદૃષ્ટિ જીવો; એ ૧૧ (અગિયાર) જીવરાશિઓ મા = ભજનીય છે, એટલે લોકમાં કદાચિત્ હોય છે, અને કદાચિત્ નથી હોતા. તે આ પ્રમાણે : = ॥૧૧ અધ્રુવ જીવરાશિઓનું સંખ્યાપ્રમાણ ।। સિદ્ધાન્તમાં મનુષ્યગતિને વિષે ગર્ભજ મનુષ્યોનો ઉ૫જવાનો વિરહકાળ જઘન્યથી ૧ For Private &onal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy