SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ સંખ્યાતવાળી રાશિઓનો અધિકાર ન હોય; કારણ કે તે સંખ્યાત રાશિઓ અલ્પ સંખ્યાવાળી હોવાથી અહીં તેનું કંઈપણ પ્રયોજન - સાર્થકતા નથી. તેમજ અનન્તરૂપ રાશિઓ પણ ઉમેરાય નહિ, કારણ કે અસંખ્યાતમાં અનન્તનો પ્રવેશ હોય નહિ. તો શું આ સ્થિતિબંધાધ્યવસાયસ્થાનો અસંખ્યાત છે કે જેને અહીં અધિકૃત કર્યા છે? (એટલે ઉમેરવામાં ગણ્યા છે !). ઉત્તર:- હા, તે એ પ્રમાણે જ છે. (એટલે સ્થિતિબંધાવ્યવસાયસ્થાનો અસંખ્યાત જ છે). તે આ પ્રમાણે – જ્ઞાનાવરણીય કર્મનો જઘન્ય સ્થિતિબંધ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત્રીસ કોડાકોડી સાગરોપમપ્રમાણની છે અને મધ્યમ સ્થિતિબંધ તો એક અન્તર્મુહૂર્તથી એક સમય અધિક, બે સમય અધિક, ત્રણ સમય અધિક, ચાર સમય અધિક ઇત્યાદિ રીતે અન્તર્મુહૂર્ત આદિ અસંખ્ય પ્રકારનો છે. અને એ સ્થિતિબંધોને ઉત્પન્ન કરનાર અધ્યવસાયસ્થાનો પ્રત્યેકનાં જુદાં જુદાં જ છે. અને એ પ્રમાણે હોવાથી એક જ્ઞાનાવરણીયકર્મમાં જ અસંખ્ય સ્થિતિબંધાધ્યવસાયસ્થાનો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે દર્શનાવરણીય વગેરે કર્મોનાં પણ અસંખ્ય અસંખ્ય સ્થિતિબંધાવ્યવસાયસ્થાનો જાણવાં. એથી આ રીતે એ અધ્યવસાયોનું અસંખ્ય પણું તો સ્પષ્ટ જ છે. તથા મજુમા એટલે જ્ઞાનાવરણીય આદિ કર્મોના સ્થિતિબંધમાં પ્રત્યેકમાં જઘન્ય, મધ્યમ ઇત્યાદિ વિશેષવાળા રસના ભેદો તે પણ અસંખ્યાત જ છે. અને તે દરેક અનુભાગભેદને (રસભેદને) ઉત્પન્ન કરનારાં અધ્યવસાયસ્થાનો પણ અસંખ્ય લોકાકાશના પ્રદેશ જેટલાં છે. તે કારણથી અધ્યવસાયસ્થાનો જે કારણભૂત છે તે અસંખ્યાત હોવાથી તેના કાર્યરૂપ અનુભાગભેદ પણ અસંખ્યાત જ જાણવા. કારણ કે કાર્યના ભેદ કારણના ભેદની અપેક્ષાવાળા હોય છે. (એ પ્રમાણે અનુભાગસ્થાનો અસંખ્યાત જાણવાં). તથા નોન-છે-પનિHIT એટલે યોગ તે મન-વચન-કાયાસંબંધી વીર્ય; તેને કેવલી ભગવંતની બુદ્ધિરૂપ શસ્ત્ર વડે છેદતાં છેદતાં જે પ્રતિવિશિષ્ટ એવા નિર્વિભાજ્ય વિભાગો તે યોગચ્છેદપ્રતિભાગ” કહેવાય, અને તે નિગોદથી પ્રારંભીને સંશિપંચેન્દ્રિય સુધીના જીવોની અપેક્ષાએ જઘન્યાદિ ભેટવાળા અસંખ્ય યોગ જાણવા. તથા દુષ્ઠ ય સમજુ સમય એટલે બે સમય તે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળરૂપ તેના સમયો તે અસંખ્યાત છે. એ પ્રમાણે એ દરેક અસંખ્ય અસંખ્ય અંકરાશિવાળા દશ શેપ (એટલે) ક્ષેપવવા યોગ્ય ૧૦ પદાર્થો પૂર્વોક્ત ત્રણ વાર વર્ગ કરેલા અંકરાશિમાં પ્રક્ષેપીએ-ઉમેરીએ, અને એ રીતે (પ્રમાણે) સર્વ રાશિઓ એકત્ર કરતાં જે મહાન અંકરાશિ પ્રાપ્ત થાય, તેનો ફરીથી પણ ત્રણ વાર વર્ગ કરીએ, અને તેમ કરવાથી જે રાશિ થાય તેમાંથી એક બાદ કરે ત્યારે ઉત્કૃષ્ટ વસથીતીસધ્યાત થાય. એ પ્રમાણે ૯ પ્રકારનું અસંખ્યાત કહ્યું. || ત નવવિઘં असङ्ख्यातम् ।। Jain Education International For Pro Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy