SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ગોઠવીને એમાં પાંચનો પ્રથમ અંકરાશિ છે, તેને ઉત્તરવર્તી (એની સાથેના જ) પાંચના અંકરાશિ સાથે ગુણીએ તો ૨૫ (પચીસ) થયા. તેને પુનઃ ત્રીજા પાંચ સાથે ગુણતાં ૧૨૫ (એકસો પચીસ) થયા, ઇત્યાદિ અનુક્રમ પ્રમાણે એ પાંચ વાર સ્થાપેલા પાંચ પાંચના પાંચે અંકરાશિઓનો પરસ્પર અભ્યાસ કરતાં ૩૧૨૫ (એકત્રીસસો પચીસ) થયા. એટલા પ્રમાણનો આ રાશિ થયો તે તો અસત્કલ્પનાએ થયો, પરંતુ એ જ રાશિ સભાવથી (સપણે) તો અસંખ્યાતસ્વરૂપ છે. તે અસંખ્યાતમાંથી એક ઓછો કરતાં ઉત્કૃષ્ટ પરિત્તાસંખ્યાત થાય છે. વળી જે એક ઓછો કરીને એ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત રાશિ કહ્યો, તે જ એકને પુનઃ તેમાં ઉમેરીએ તો નધન્ય પુરૂ સંધ્યાત થાય છે. (એ ચોથું અસંખ્યાત ક). એ જઘન્ય યુક્ત અસંખ્યાતમાં જેટલાં રૂ૫ (જેટલી સંખ્યા) પ્રાપ્ત થાય છે, તેટલા સમયો પૂર્વે કહેલી (૧૦૬મી ગાથામાં કહેલી) આવલિકાના પણ છે એમ જાણવું. (અર્થાત્ એક આવલિકાના અસંખ્ય સમય તે જઘન્ય યુક્ત અસંખ્યાત જેટલા છે). તે કારણથી શાસ્ત્રમાં જ્યાં કોઈપણ સ્થાને આવલિકા ગ્રહણ કરી હોય, ત્યાં સર્વ સ્થાને જઘન્ય યુક્ત અસંખ્યાત જેટલા સમયપ્રમાણની આવલિકા જાણવી. (એ પ્રમાણે ચોથા અસંખ્યાતમાં પ્રાપ્ત થતી વસ્તુ કહી.) - હવે અહીં જઘન્ય યુક્ત અસંખ્યાતના અંકરાશિથી આગળ એકોત્તર વૃદ્ધિએ (એકેક અધિક સંખ્યાવાળા) વધતાં જેટલાં સંખ્યાસ્થાનો છે (એટલે જેટલા સંખ્યાભેદ છે) તે સર્વે સંખ્યાસ્થાનો મધ્યમ યુt Hસધ્યાત રૂપ જાણવાં. તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત પ્રાપ્ત ન થાય. હવે જો એમ પૂછતા હો કે – તે ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત કેટલી મોટી સંખ્યાવાળું છે? તો કહીએ છીએ કે – જઘન્ય યુક્ત અસંખ્યાતનો જે અંકરાશિ છે, તેને તે જ અંકરાશિ વડે ગુણીએ (એટલે જઘન્ય યુક્ત અસંખ્યાતનો વર્ગ કરીએ) અને તે ગુણવાથી જેટલી અંકરાશિ આવે તે અંકરાશિમાંથી એક રૂપ ઓછું કરીએ તો ઉત્કૃષ્ટ યુ ૩ સથાત થાય છે. અને જે એક ઓછો કર્યો છે, તે જ એકને પુનઃ તેમાં ઉમેરીએ તો નન્ય મધ્યાત સંધ્યાત થાય છે. ત્યારબાદ એકોત્તર વૃદ્ધિએ વધતાં આગળ આગળનાં જેટલાં સંખ્યાસ્થાનો છે તે સર્વે મધ્યમ મધ્યાત સંધ્યાત જાણવા, તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત પ્રાપ્ત ન થાય. ૧-૨. પરસ્પર અભ્યાસની અંક સ્થાપના. ૫-૫-૫-૫-૫ અહીં જે સંખ્યા હોય તે સંખ્યાને તેટલીવાર એક પંક્તિએ જુદી જુદી સ્થાપી પરસ્પર ગુણાકાર કરવો તે ચીસ અથવા રાશિન્યાસ કહેવાય, એ સિદ્ધાન્તની ૨૫. પરિભાષા છે. ૧૨૫ - ૫ ૬ ૨૫ ૩૧૨૫ રાશિ અભ્યાસનો જવાબ. Jain Education International ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy