SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવું યોગ્ય છે કે – “તે પલ્મમાં જે આકાશપ્રદેશો છે, તે આકાશપ્રદેશોને પ્રતિસમય એકેક અપહરતાં જે કાળ લાગે, તેટલો કાળ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કહેવાય એ પ્રમાણે કહેવું યોગ્ય છે, પરંતુ વાલાઝો વડે પલ્યને ભરવાનું શું પ્રયોજન? ઉત્તર: - તમે કહો છો તેમ નથી; કારણ કે પલ્યને પૂર્યા વિના પ્રથમ પ્રકારમાં કહેલા (એટલે પહેલા અર્થવાળા) સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમની પ્રરૂપણા કરવી અશક્ય છે. વળી (તમો એમ પણ પૂછતા હો કે) તે પહેલા પ્રકારના પલ્યોપમની પ્રરૂપણા કરવાનું પણ શું કારણ? કેમ કે બીજો પ્રકાર જ હવે અહીં (સિદ્ધાન્તમાં) અધિકૃત (સ્વીકૃત) છે. તો તે સત્ય છે, પરંતુ પ્રસ્તુત પલ્યોપમ વડે (એટલે પહેલા પ્રકારના અર્થવાળા સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ વડે) દૃષ્ટિવાદ સૂત્રમાં દ્રવ્યો મપાય છે, અને તે દ્રવ્યો કેટલાંક તો સૂક્ષ્મ વાલીગ્રખંડોએ સ્પર્શેલા આકાશપ્રદેશો વડે મપાય છે, અને કેટલાંક દ્રવ્યો સ્પષ્ટ અને અસ્પષ્ટ એ બન્ને આકાશપ્રદેશો વડે મપાય છે, માટે એ પ્રમાણે દૃષ્ટિવાદ અંગમાં કહેલાં દ્રવ્યોના પ્રમાણમાં (માપમાં) પહેલા પ્રકારનો પલ્યોપમ પણ ઉપયોગી હોવાથી વાલાગ્રખંડો વડે પલ્ય ભરવો તે અયુક્ત નથી, (અર્થાત્ યુક્ત છે). એ પ્રમાણે આ ગાથાનો ભાવાર્થ સમાપ્ત થયો. ૧૩૧// નવતરણ: પૂર્વ ગાથામાં બાદર ક્ષેત્રપલ્યોપમ અને સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ કહ્યો, અને હવે તે પ્રમાણના અનુક્રમથી ઉત્પન્ન થયેલ ક્ષેત્ર સાગરોપમ કહે છે : एएसिं पल्लाणं, कोडाकोडी हवेज दसगुणिया । तं सागरोवमस्स उ, एक्कस्स भवे परीमाणं ॥१३२॥ થાઈ: એ બાદર અને સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમની કોડાકોડીને દશ વડે ગુણી હોય તો તે પ્રમાણ તેવા એક ક્ષેત્ર સાગરોપમનું થાય. ૧૩રો. ટીકીર્થ: બાદર ક્ષેત્રપલ્યોપમની દશ કોડાકોડી વડે (એટલે દશ કોડાકોડી બાદર ક્ષેત્ર પલ્યોપમનો) એક વાર ક્ષેત્રના રોપમ થાય છે, અને સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમની દશ કોડાકોડી વડે (એટલે દશ કોડાકોડી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમનો) એક સૂક્ષ્મ ક્ષેત્ર સારોપમ થાય છે, એ તાત્પર્યાર્થ છે, અને ગાથાનો અક્ષરાર્થ તો પૂર્વે કહ્યા પ્રમાણે (ઉદ્ધાર અને અદ્ધા સાગરોપમના પ્રસંગે કહ્યા પ્રમાણે) જ જાણવો. એ પ્રમાણે આ ગાથાનો વ્યાખ્યાર્થ સમાપ્ત થયો. ૧૩૨ વતર: અહીં પણ બાદર ક્ષેત્રપલ્યોપમ તથા બાદરક્ષેત્ર સાગરોપમનું કંઈપણ પ્રયોજન નથી, તો પણ પૂર્વે કહેલા (બાદર ઉદ્ધાર પલ્યોપમ અને બાદર ઉદ્ધાર સાગરોપમની પ્રરૂપણાના પ્રસંગે કહેલા) કારણથી અહીં તેનું નિરૂપણ કર્યું છે, અને સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ તથા સાગરોપમનું તો અહીં પ્રયોજન છે, તે કયું પ્રયોજન છે? તે દર્શાવવાને આ ગાથા કહેવાય છે (અર્થાત્ આ ગાથામાં સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ અને સૂક્ષ્મ ક્ષેત્રાસાગરોપમનું પ્રયોજન કહેવાય છે) : एएण खेत्तसागर - उवमाणेणं हवेज नायव्यं । પુત્રવિ-૪- ૩ળ-મારુચ-દરિ-તતા ૨ રિમાનં 9 રૂપા Tથાર્થ: એ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ તથા સાગરોપમની ઉપમા વડે પૃથ્વીકાય – અપૂકાય - Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy