SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ તે અસંગત-અયુક્ત જ જણાય છે. કારણ કે રથરેણુથી ત્રસરેણુ આઠ ગુણો હોય એમ બની શક્ત નથી; પરંતુ પૂર્વે કહેલી રીતિ પ્રમાણે વિચારતાં તો વિપરીત જ સમજાય છે (અર્થાત્ ૮ રથરેણુનો ૧ ટસરેણુ એ તો વિપરીત સંભવે છે.) વળી જે કે સંગ્રહણી સૂત્રકર્તાએ પરમાણૂ રજૂ ઇત્યાદિ જ પાઠ કહ્યો છે એમ કહેવાય છે, તેમાં પણ સમાન પંથ છે (એટલે એ પાઠ પણ ઘટી શકતો નથી), કારણ કે એ પાઠ પણ (સંગ્રહણી કર્તાએ કહેલો પાઠ પણ) ઘટાવવા જતા વિચારણીય થઈ પડે છે, તેમજ આગમની સાથે વિરોધ આવે છે, અને યુક્તિથી પણ સંગત નથી (સમજાય તેવો નથી). - તિ પઠાન્તરવિસંવાઃ | તથા આઠ રથરેણુ મળીને દેવકુરુ અથવા ઉત્તરકુરુમનુષ્યોનો ૧ વીનાગ્ર થાય છે. તેવા આઠ વાલાગ્ર વડે હરિવર્ષ અને રમ્યક્ષેત્રના મનુષ્યોનો વાલાગ્ર થાય છે. તેવા આઠ વાલાઝો વડે હૈમવત-હિરણ્યવતના મનુષ્યનો વાલાગ્ર થાય છે. પુનઃ તે આઠ વાલાગ્રોનો પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહના મનુષ્યોનો વાલાગ્ર થાય છે. પુનઃ એવા આઠ વાલાગ્ર વડે ભરત તથા ઐરાવત ક્ષેત્રના મનુષ્યનો એક વાલાગ્ર થાય છે. અહીં એ પ્રમાણે વાલાઝના અનેક ભેદ હોવા છતાં પણ સર્વમાં વાલીગ્રપણું તુલ્ય હોવાથી સમાન જાતિની વિરક્ષા વડે ‘વાની.” એ પ્રમાણે ગાથામાં સામાન્યથી એક જ ભેદ દર્શાવ્યો છે. (સર્વ વાલાઝોમાં અહીં ભરત - ઐરાવતના મનુષ્યના જ વાલાગ્ર ગ્રહણ કરવા). તથા તે ભરત-ઐરાવત ક્ષેત્રના મનુષ્યોના ૮ વાલાઝ મળીને ૧ તિક્ષા= લીખ થાય છે. અને તેવી ૮ લીખ વડે ૧ યૂઝT = જૂ થાય છે. અને તેવા ૮ યૂકા મળીને ગાથામાં સૂચવેલાં નવ શબ્દથી એક યવમધ્ય થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ સમાપ્ત થયો. ૯૮. અવતરણ: પૂર્વ ગાથામાં યવમધ્ય સુધીનાં પ્રમાણ કહીને હવે એ યવમધ્ય પછી કયા કયા (ઉત્સધાંગુલની ઉત્પત્તિમાં કારણભૂત) છે? તે દર્શાવે છે : अट्ठेव य जवमज्झाणि, अंगुलं छत्र अंगुला पाओ । पाया य दो विहत्थी, दो य विहत्थी भवे हत्थो ॥१९॥ પથાર્થ: આઠ જ યવમધ્ય મળીને ૧ અંગુલ (૩ોધાં'ન) થાય છે. તેવા ૬ અંગુલનો ૧ પાદ (= પગ) થાય છે, તેવા બે પદનો ૧ વેંત, અને બે વેંતનો ૧ હાથ થાય છે. I૯૯ (એથી આગળ પણ હજી પ્રમાણભેદ ધનુષ્ય આદિ છે). ટીવાર્થ: આઠ યવમધ્ય” વડે ૧ અંગુલ થાય છે, અર્થાત્ પૂર્વ ગાથામાં કહેલા સ્વરૂપવાળા ૧. એ પ્રમાણની વાત પ્રાયઃ બૃહત્ સંગ્રહણી કે જે વર્તમાન કાળે પઠન - પાઠનના ઉપયોગમાં આવે છે તેમાં નથી, પરંતુ ક્ષેત્રમાસ (લઘુક્ષેત્રસમાસ)માં છે. ૨-૩. દેવગુરુ અને ઉત્તરકુરુ એ બંન્ને ક્ષેત્રમાં એક સરખા ભાવ હોવાથી, બન્ને ક્ષેત્ર ગ્રહણ કર્યા છે. એ ક્ષેત્રોમાં સર્વદા પહેલો આરો છે, અને યુગલિક મનુષ્યો રહે છે. તેના વાળ બારીક અને સુંવાળા હોય છે, તેવા બારીક વાળનો અગ્રભાગ તે પણ શીર્ષ મુંડાવ્યા બાદ એકથી સાત દિવસ સુધીમાં ઉગેલા વાળનો અગ્રભાગ ગ્રહણ કરવો. એમ અન્ય ગ્રંથોમાં કહ્યું છે. ૪. અહીં યવમધ્ય એટલે યવ નામના ધાન્યના દાણાનો તિર્થો (ડો) મધ્યભાગ જાણવો, પરંતુ યવની લંબાઈ નહિ, અર્થાત્ યવમધ્ય શબ્દથી મધ્યભાગની જાડાઈ ગ્રહણ કરવી, જેથી આઠ યવને સાથે સાથે આડા ગોઠવતાં ૧ ઉત્સધાંગુલ જેટલી જગ્યામાં સમાય છે – એ તાત્પર્ય છે. Jain Education International www.jainelibrary.org For Private Personal Use Only
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy