SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપાદન કરે છે (કહે છે) તેમ જ છે કે અવસ્થિત ઉદયવાળી કૃષ્ણલેશ્યા આગન્તુક નીલલેશ્યા - દ્રવ્યોના ઉદય વડે તેના વર્ણ-ગંધ-રસ-સ્પર્શપણે પરિણમતી નથી. એ પ્રમાણે ભગવંતે ઉત્તર આપ્યું છતે શ્રી ગૌતમસ્વામીએ પુનઃ પ્રશ્ન કર્યો કેઃ તે કયા કારણથી હે ભગવંત ! એમ કહી શકાય કે – કૃષ્ણલેશ્યા નલલેશ્યાનો સંબંધ પામીને તેના રૂપપણે યાવત્ તેના સ્પર્શપણે ન પરિણમે ?' અહીં ભગવંતે કારણ આ પ્રમાણે કહ્યું છે કે – સા રમાવાયા, વી સિયા, પરિમા - मायाए वा से सिया, किन्हलेसाएणं सा नो खलु नीललेसा तत्थ गया ओस्सक्कइत्तिामान અર્થમાં (બાર) માાર એટલે આગન્તુક નીલ વિગેરે લેશ્યાદ્રવ્યોનો આભાસ, અર્થાત્ બહુ નજીકમાં નહિ પણ કિંચિત્ દૂર પાસે) રહેલા જાસુદ વિગેરેનાં પુષ્પ આદિ વસ્તુઓનું પ્રતિબિંબ જેમ દર્પણમાં (આરીસામાં) પડ્યું હોય તે પ્રતિબિંબ તે આકારમાત્ર કહેવાય, અને તે આકાર એજ ભાવ એટલે પદાર્થ તે શરમાવે, અને તે આકારભાવ જ માત્ર - ફક્ત તે મીરમવમાત્ર, અને તે આકારભાવમાત્ર વડે જે તે અવસ્થિત-કૃષ્ણલેશ્યા આગન્તુક નીલલેશ્યરૂપ થાય છે, પરન્તુ (પોતાનું સ્વરૂપ સર્વથા છોડીને) સર્વથા નીલલેશ્યરૂપ થતી નથી, એ ભાવાર્થ છે. તથા પ્રતિરૂપ ભાગ તે પ્રતિમાનું એટલે પ્રતિબિંબ એ ભાવાર્થ છે. તે (પ્રતિબિંબ)ને વિષે જ જાસુદ પુષ્પ વિગેરે વસ્તુઓ નિકટવર્તી છતે દર્પણમાં સંક્રમેલા તે પ્રતિબિંબની પેઠે. તથા કેવળ પ્રતિભાગ તે પ્રતિભાગમાત્ર કહેવાય, તે પ્રતિભાગમાત્ર વડે જ (આગન્તુક વેશ્યાના સંબંધથી) તે કૃષ્ણલેશ્યા જે અવસ્થિત છે તે અવસ્થિત લેશ્યા નીલ આદિ આગન્તુક લેશ્યાના સ્વરૂપવાળી થાય છે, પરન્તુ સર્વથા તસ્વરૂપ થતી નથી, એ ભાવાર્થ છે. અહીં તાત્પર્ય એ છે કે – આગન્તુક વેશ્યાનો ઉદય પ્રથમ મંદતર (અતિમન્ટ) હોય ત્યારે અવસ્થિત લેશ્યા તેના આકારભાવમાત્રને જ પામે છે, અને ત્યારબાદ તે આગન્તુક વેશ્યાનો ઉદય પ્રકૃષ્ટ (અધિક) થાય ત્યારે ઇતર લેશ્યા (અવસ્થિત લેશ્યા) તેના પ્રતિબિંબમાત્રપણાને જ પામે છે, અર્થાત્ અધિક પ્રકૃષ્ટ ઉદય (આગંતુક વેશ્યાનો) થાય ત્યારે તે અવસ્થિત લેશ્યા તેના વિશેષ આકારને પામે છે અર્થાત્ (વિશેષ) તદાકાર થાય છે, પરન્તુ સર્વથા પોતાનું સ્વરૂપ છોડી દઈને તદ્રુપતા (આગન્તુકલેશ્યાસ્વરૂપતા) પામતી નથી. તે કારણથી (સમ્યક્તપ્રાપ્તિ વખતે સાતમી પૃથ્વીના નારકોને આગન્તુક તેજલેશ્યા હોવા છતાં) સ્વરૂપથી તો તે કૃષ્ણલેશ્યા જ છે, પરન્તુ નીલલેશ્યા નહિ; માત્ર એટલું જ કે તે અવસ્થિત લેશ્યા ત્યાં રહી છતી જ ખસી જાય છે, એટલે ત્યાં જ પોતાના સ્વરૂપમાં રહેલી અવસ્થિત લેશ્યા બીજી નીલ આદિ વેશ્યાઓ પામીને ખસી જાય છે. અર્થાત્ કહેવાનો ભાવાર્થ એ છે કે – આગન્તુક શુભ લેશ્યાના સંબંધથી તે અવસ્થિત અશુભ લેશ્યા કિંચિત્ શુભ તદાકારમાત્રને અથવા તેના પ્રતિબિંબમાત્રને પામે છે. આ પ્રમાણે કૃષ્ણલેશ્યાની સાથે કાપોતલેશ્યા વિગેરેના પણ આલાપક (નીલલેશ્યાવતુ) . : For Private I onal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy