SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ : આરામશેાલા રાસમાળા બીજી કથા(આચાર્ય)માં જેની પાછળ મદારી પડેલા છે એવા સર્પને છેકરી બચાવે છે અને છેકરીને ખાવાપીવાનું દુ:ખ છે એમ જાણવા મળતાં નાગદેવતા એને વરદાન આપે છે કે એને ભૂખ લાગશે ત્યારે એ મૂડી ખેાલશે તે। એમાંથી અન્નપાણી એને મળી રહેશે. આ વરદાનને કારણે એક વખત ચમત્કાર બને છે. એ સૂતી હેાય છે તે મૂઠી ઉધાડી રહી ગઈ હૈાય છે ત્યારે એમાંથી પાણીનું ઝરણું વહે છે અને એક રાજકુમાર એ ઝરણામાંથી પાણી પીએ છે. પાણીનું મૂળ શેાધવા જતાં એ પેલી છેાકરીને મળે છે અને એના દિવ્ય પ્રભાવથી આકર્ષાઈ એની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. જોઈ શકાય છે કે આરામરોાભાની કથામાં નાગદેવતાની કૃપાથી માથે છવાયેલી વાડી મળે છે તે રાજા એનાથી આકર્ષાય છે એવું જ અહીં છે, માત્ર ચમત્કારની ઘટના જુદા પ્રકારની છે. આરામશાભાની કથામાં નાગદેવતા ત્રણ વાર આરામશાભાને મેાકલાચેલી ઝેરવાળી મીઠાઈ અમૃતમય કરી બચાવે છે તેમ અહીં પણ ત્રણ વાર નાગદેવતા અપરમાએ ખાધેલા ખાડામાં પડતી એને બચાવે છે. પ્રસૂતિ પછીના પ્રસંગ તા છે જ, આરામશાભાની કથાને મળતા જ. ફરક એટલેકે અહીં નાગની સવારીએ છેાકરી પેાતાના પુત્રને ધવડાવવા આવે છે. ત્રીજી કથા( કાઠારી)માં પણ ઉપર મુજબ છેકરી નાગને બચાવે છે ને નાગ એને વરદાન આપે છે. એ વરદાન ઘેાડું જુદું પડે છે – જમણા હાથની મૂઠ્ઠી ખેાલતાં તેમાંથી પે'ડાબરફી વગેરે મિષ્ટાન્ન નીકળશે, ડાબા હાથની મૂઠી ખાલતાં તેમાંથી ભજિયાં વગેરે નીકળશે, ચેાટલેા છેડતાં તેમાંથી મીઠું પાણી નીકળશે. કહેવાતી કથામાં ચડેલે અર્વાચીન રંગ અહીં જોઈ શકાય છે. અહીં ઊંઘમાં છેાકરીને ચેટલા છૂટી જતાં પાણી વહીને તળાવડી થઈ જવાની વાત છે. પાણીની શોધમાં રાજ તળાવડી પાસે આવે છે, પરંતુ ઘેાડાના ડાબલાના અવાજથી જાગી જતાં છેાકરી પેાતાના ચેાટલા સંકેલી લે છે ને તળાવડી અલેાપ થઈ જાય છે. આરામરોાભાની કથામાં આરામરાભા ચાલવા માંડતાં વાડી ઊપડી જાય છે અને હાથીઘાડા વગેરે એની સાથે ખેંચાય છે એના જેવી કૌતુકભરી આ ઘટના છે. રાણી બનેલી આ કરીને પછીથી નાગદેવતા! ધાતામાંથી બચાવે છે એ પ્રસંગેા આ કથામાં નથી, એ પોતાના બાળકને રમાડવા જાય છે એ પ્રસંગ પણ નથી. કથા અછડતી રીતે પૂરી થઈ જાય છે. અંતમાં એક વિનાદી પ્રસંગ નવા જ જોડાય છે – બનાવટી રાણી કેવી રીતે પાછી આવી તેનેા. કહેવાતી કથામાં કેટલુંક વીસરાય, કેટલુંક અન્યત્રથી જોડાય, તેવું અહીં બન્યું લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy