SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ નાણાં, શબ્દ અને સમય એ ત્રણમાં તેમની કઈ કરકસર ચડે તે કહેવું મુશ્કેલ છે. એ ત્રણે બાબતોને ચખે અને ચોક્કસ હિસાબ રાખવામાં તેમને આગ્રહ રહે. આ બધું તેઓ કોઈ પણ આધુનિકને શરમાવે તેટલી ચીવટ ને સુઘડતાથી કરતા. શિસ્ત ને સંયમના તેઓ ચાહક હતા. વજ જેવા દેખાતા તેમના હદયની નીચે સ્વજને, સ્વધર્મીઓ અને સ્વદેશવાસીઓ માટે પ્રેમ કરો વહેતો. તેમની જાહેર સેવા પ્રવૃત્તિ ૧૯૧૮માં ગુજરાત રેલસંકટના રાહતકાર્યથી શરૂ થયેલી તે મેરબીની હોનારત સુધીનાં રાહતકાર્યો સુધી ચાલેલી. જોકકલ્યાણનાં વિવિધ ક્ષેત્રોમાં તેમણે કરેલા કાનને પ્રવાહ અમદાવાદથી ગુજરાતમાં ફેલાઈને ભારતભરમાં ફરી વળેલ છે, જેના ફળસ્વરૂપે જેન તીર્થો અને ધર્મસ્થાનને કલાદષ્ટિપૂર્વકને જીર્ણોદ્ધાર થયું છે, ગુજરાત વિશ્વવિદ્યાલય અને તેને સંલગ્ન વિવિધ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના થયેલ છે અને ગ્રામ્ય વિદ્યાકલાના સંશોધનની તેમજ કાપડઉદ્યોગ અને વ્યવસ્થાપન (બિઝનેસ મેનેજમેન્ટ)ના તથા ભૌતિકશાસ્ત્ર, પર્યાવરણવિદ્યા વગેરેના શિક્ષણની અભિનવ ઉત્તમ સગવડ ઊભી થઈ શકી છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા, ગુજરાતના આ મહાન સપૂતના જીવનની ઝલક જોઈએ. કરભાઈને જન્મ ઈ. સ. ૧૮૯૪ના ડિસેમ્બરની ૧૯ મી તારીખે અમદાવાદમાં થયો હતો. તેમના પિતા લાલભાઈ દલપતભાઈ શેઠ બી.એ. સુધી ભણેલા. ધનોપાર્જનની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની ભાવના તેમનામાં હતી. એટલે જૈન સમાજનાં અને વ્યાપક લોકહિતનાં કામમાં તેમને અગ્રહિસ્સો રહે. નગરશેઠ મયાભાઈના અવસાન પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પ્રમુખપદ તેમને સોપાયું હતું. લોર્ડ કર્ઝને માઉન્ટ આબુની મુલાકાત દરમ્યાન દેલવાડાનાં દહેરાંનાં શિલ્પ સ્થાપત્યથી પ્રભાવિત થઈને તે મંદિરે સરકારી પુરાતત્વ ખાતાને સંપવાનો પ્રસ્તાવ મૂકેલે, ત્યારે લાલભાઈ શેઠે તેને વિરોધ કરેલો, અને પેઢી હસ્તક તેની સુરક્ષા સુપેરે ચાલે છે તેની ખાતરી કરાવવા આઠદસ વર્ષ સુધી મંદિરોમાં કારીગરોને કામ કરતા બતાવ્યા હતા. ૧૯૦૩ થી ૧૯૦૮ સુધી જેન વેતાંબર કેન્ફરન્સના મહામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી હતી. ૧૯૦૮માં સમેતશિખર પર ખાનગી બંગલા બાંધવાની સરકારે મંજૂરી આપેલી તેની સામે વિરોધ નોંધાવીને સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy