SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિંતન આનંદ મળે છે તે બીજે પરમાત્માના સાયુજ્યમાંથી મેળવે છે. ધર્મતત્ત્વના આ સનાતન સત્યને જે બરાબર સમજવામાં આવે તો આગળ ધાર્મિક ક્રિયાકાંડે અને વિધિવિધાનની જે નાનાપ્રકારની પ્રક્રિયા શરૂ થઈ છે. તે બધાંનું સામંજસ્ય સમજવામાં જરા પણ મુશ્કેલી ઊભી થવા સંભવ નથી. ઐતિહાસિક અને સાધક આમ ધર્મો સનાતન હોવાની માન્યતા તે તે ધર્મોની છે, પણ તેથી કાંઈ ઈતિહાસના વિદ્વાનોને સંતોષ થાય નહિ. જેમને ધર્મમાં રસ નથી પણ ઈતિહાસમાં રસ છે એટલે કે સ્વયં ધાર્મિક સાધના કરવામાં રસ નથી, પણ તટસ્થભાવે ધાર્મિક માન્યતાઓના ઉત્થાન–પતનને ઈતિહાસ જાણવામાં રસ છે, તેઓને એ ધર્મોની સનાતનતામાં શંકા ઉભવે તે સ્વાભાવિક છે. ધાર્મિક પુરુષની શ્રદ્ધા તેને આગળ વધારે છે ત્યારે એતિહાસિકની જિજ્ઞાસા તેને અનેક ઠેસે ખવરાવ્યા પછી જ નવાં નવાં ક્ષેત્ર ઉઘાડી આપે છે. ધાર્મિક પુરુષને એ જોવાની જરૂર નથી કે જે ધાર્મિક અનુષ્ઠાન હું કરું છું તે ક્યારથી શરૂ થયું છે. પણ તે માત્ર એટલું જ જુવે છે કે આ મારું અનુષ્ઠાન મને એય પ્રતિ અગ્રસર કરે છે કે નહિ ? ત્યારે એતિહાસિકને એની સાથે બહુ સંબંધ નથી; એ તો એ અનુષ્ઠાનનું મૂળ તપાસવામાં જ રસ ધરાવે છે. આથી ધાર્મિક પુરુષને આત્મસાક્ષીએ પતી જાય છે, પણ એતિહાસિકને અનેક પ્રકારની સાક્ષીઓની જરૂર પડે છે. આથી બને છે એવું કે જે બાબત ધાર્મિક પુરુષને સાવ સાદા અંતિમ સત્ય તરીકે માન્ય હોય છે, તેને એતિહાસિક કાલિક કે દેશિક સત્ય ત કે આકારતાં પહેલાં પણ તેની અનેક સાક્ષીએ ચકાસણી કરીને જ આગળ ચાલે છે, આમાને ઠગવો સહેલો નથી. આત્મપ્રત્યયથી વિરુદ્ધ વત નારને એક ડંખ તો રહે જ છે; એટલે આત્માના અવાજને દાબી શકાતું નથી. આથી ધાર્મિક પુરુષ, જે તે ખરેખર ધાર્મિક હોય તે, આગળને આગળ જ વધે છે; આત્મવંચના જ કરવી હોય અને આત્માના અવાજને દાબી દઈને જ ધાર્મિક કહેવરાવવું હોય તે જુદી વાત છે. પણ આત્માનો અવાજ ધાર્મિક પુરુષને માર્ગ બતાવે છે એમાં શક નથી. આથી ઊલટું, ઇતિહાસના સાક્ષીઓમાં આત્મપ્રત્યયનો જે લાભ છે તે મળતો નથી અને એતિહાસિક પિતાના ગમા-અણગમાને આધારે મોટે ભાગે આગળ વધતો હોય છે. આથી અનેક બાબતે વિષે સમાન સામગ્રી છતાં મતભેદને અવકાશ મળે છે. આ જ કારણને લઈને ધર્મના ઐતિહાસિક આલેચનમાં અમાત્ય સ્થાપી શકાયું નથી. પણ અહીં જે કહેવામાં આવશે તે અધિકાંશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy