SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણ ભારત અને જૈન ધર્મ ૫૫ પશ્ચિમ અને દક્ષિણનાં જૈન આરકે દક્ષિણની વિશેષતા કળાના ક્ષેત્રમાં જ્યાં પશ્ચિમ ભારતમાં શત્રુંજય, ગિરનાર અને આબુના પર્વત ઉપર અભુત જૈન મંદિરોની રચના થઈ, ત્યાં દક્ષિણમાં પણ શ્રમણબેલગોલાના પહાડ ઉપર બાહુબલીની જે જબરજસ્ત. મનોહર મૂર્તિ કરવામાં આવી છે, તે દુનિયાનું એક અનન્ય આશ્રય મનાય છે. ઘણે ભાગે જૈનોની આ જ એક પ્રાચીન દર્શનીય વિશાળકાય મૂર્તિ પિતાના અસલ રૂપમાં અને અસલ સ્થાનમાં છે કે જે જૈનોનું પ્રાચીનમાં પ્રાચીન સ્મારક હોવાની સાથોસાથ પોતાના પ્રાચીન રૂપમાં આજે પણ વિદ્યમાન છે. મથુરાનું સ્થાપત્ય આના કરતાંય પ્રાચીન છે, પણ આજે એ એના અસલ રૂપમાં નથી, ફક્ત ખંડેરરૂપે છે. ગિરનાર અને શત્રુંજયમાં કેટલીય વાર જીર્ણોદ્ધાર થયા પછી અત્યારનાં મંદિરે ઊભા થયાં છે. આબુનાં મંદિરોની રચના બાહુબલીની મૂર્તિની પછી થઈ છે. આ રીતે જોતાં જેમ પ્રાચીન હિંદુ સ્મારકેને સાચવવાને યશ દક્ષિણ ભારતને ફાળે જાય છે, તેમ પ્રાચીન જૈન સ્મારકની રક્ષાને યશ પણ એને જ મળવા જોઈએ. પશ્ચિમમાં અને દક્ષિણમાં જેના પ્રભાવની સ્થિતિ ઉત્તર ભારતમાં ક્યારેય જૈનોનું પ્રભુત્વ નથી રહ્યું, પણ પશ્ચિમ ભારતમાં રાજા કુમારપાળને કારણે જેનોનું પ્રભુત્વ પ્રવર્તતું હતું અને સમસ્ત ગુજરાતના સાંસ્કૃતિક જીવનના ઘડતરમાં જેનેનો પૂરેપૂરે ફાળે હતો. રાજા અમેઘવર્ષના સમયમાં–ખાસ કરીને રાષ્ટ્રકૂટોના સમયમાં–દક્ષિણમાં જેને પ્રભાવ વધ્યો તો ખરો, પણ એ ચિરસ્થાયી ન થયો. શિવધમી રાજાઓએ ત્યાં જેને ઉપર જે અત્યાચાર ગુજાર્યા હતા, એનું વર્ણન વાંચતાં આજે પણ રૂંવાડા ખડાં થઈ જાય છે. આ પછી દક્ષિણમાં જૈનધર્મ ટકી રહ્યો તો ખરે, પણ તે બ્રાહ્મણ ધર્મના આચારાને અપનાવીને જ ! એને લીધે જ પશ્ચિમ ભારતના જેન કરતાં દક્ષિણ ભારતના જૈન વણચારની બાબતમાં વધારે કદર છે. દક્ષિણની લોકભાષાના વિકાસમાં જૈનોને ફાળે દક્ષિણ ભારતની કન્નડ ભાષાના મોટા ભાગના પ્રાચીન ગ્રંથે જૈનાચાર્યોએ રચેલા જ મળે છે. આ દષ્ટિએ જૈનાચાર્યોએ એ ભાષાની જે સેવા કરી છે, તે સર્વમાન્ય છે. તામિલ ભાષાના પ્રાચીન સાહિત્ય ઉપર પણ જેનેના વિચારોને સારો એવો પ્રભાવ પડ્યો છે. આ ઉપરથી એમ કહી શકાય કે દક્ષિણ ભારતની લેકભાષાઓના વિકાસમાં જેનેને ફાળો નોંધપાત્ર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy