SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ જૈનધમ ચિતન બનાવટી ધમ, ઠગાર ધર્મ કહેવા. એવા ધર્માંથી જીવનું ભલું થવાને બદલે અહિત જ થવાનું છે. નિશ્ચય અને વ્યવહારની સમતુલા આ કસાટી ઉપર ચડાવી જો ધમની પરીક્ષા કરવામાં આવે તો તે નહિ મળે એકાંત નિશ્ચયના ઉપદેશ કરનારામાં અને નહિ મળે માત્ર વ્યવહારની મોટી મેટી વાતે કરનારામાં. ઉપદેશ નિશ્ચયના હોય કે વ્યવહારના, પણ તેથી સમાજમાં લહવૃદ્ધિ જે થતી હોય તો તે ધમ હાઈ શકે જ નહિ અને તેના ઉપદેશક કથાંઈક ભૂલે છે એમ જરૂર માનવું જોઈએ. ધર્માંના ઉપદેશ અને અનુષ્ઠાનને પરિણામે જો જીવનમાં અશાંતિ જ લાધતી હાય તો સમજવુ કે તે ધર્મ નથી, ધર્માનુષ્ઠાન નથી, પણ ધર્મના નામે કાંઈક ભળતુ' જ આપવામાં આવ્યુ છે. હરિભદ્રાચાય એક સ્થળે વ્યવહારધમ અને નિશ્રયધના સમન્વય કરતાં કહે છે કે જૈન સિદ્ધાંતમાં તે બ ંને નયાનું સમપ્રાધાન્ય છે. જો તુ જૈન મતને સ્વીકારતે હોય તો પછી એ એમાંથી એકને પશુ ડીશ નહિ. વ્યવહારના ઉચ્છેદથી તીને ઉચ્છેદ થાય છે અને વ્યવહારમાં પ્રવૃત્તિ થવાથી ક્રમશ: જીવના શુભ પરિણામ થઈ તે દ્વારા તે પરિણામે તો કબ ધનેને ઢીલા કરી મેાક્ષમાગે ચડે છે અને તે જ તો નિશ્ચયનયને ઇષ્ટ છે. તો પછી વ્યવહાર છેાડી નિશ્ચયમાં શા માટે રાચવુ’? આચાર્ય ભદ્રબાહુના શબ્દોમાં કહેવુ હાય તો કહી શકાય કે જેમને આકરાં અનુષ્ઠાને! ગમતાં નથી, કાંઈક કરવુ પડે તેમાં આળસ ચડે છે, તે વાતો કરીને ભગવાનના શાસનના નાશ કરે છે. નિશ્ચયની પણ તેથી ઊલટુ, જે લેાકેા ખાલી વ્યવહારની વાતો કરે છે, ભાવની નિશ્ચયની પરવા નથી કરતા, વ્યવહારના નામે સમાજની શાંતિને પણ જેખમમાં નાખે છે, તે સમાજને શાંતિના માર્ગે તો લઈ જતાં જ નથી, ઊલટું આ બરમાં જ પડી ધર્માંનાં રહસ્યને, સાધારણ મનુષ્યની સમાજમાં તે આવવા જ ન પામે તેવી રીતે, ગેપવી રાખી મહાપાતક કરે છે. એટલે ગમે તેને ઉપદેશ સાંભળીએ, પણ તેની ફુસાટી સદાય પોતાની હાવા જોઈએ; તે કસોટી આચાય હરિભદ્રે બતાવી છે તે અગર તેવી જ પાતે ઘડી કાઢવી જોઈએ અને તે કસાટીએ કસી જોયા પછી જ એ ઉપદેશના આદર પ્રંગ અનાદાર ક! જોઈએ. ---પ્રમુદ્વવન”. તા. ૧૫-૮-૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy