SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જૈનધર્મચિ તન તેમના પણ અનેક વિરાધીઓ રહે છે. પ્રત્યેક મહાપુરુષોને સમકાલીન પરિસ્થિતિની કુરીતિઓ-ભૂરાઈએ સામે લડવુ પડે છે, ક્રાન્તિ કરવી પડે છે, તેમ જ નવા ચીલા પાડી સુધારા પણ કરવા પડે છે. જેએ જેટલું સુધારકામ કરી શકે છે તેટલુ' જ તેમનું નામ પ્રસિદ્ધિને પામે છે, શ્રમણ...સ્કૃતિની એવી માન્યતા છે કે, જે કાઈ ત્યાગ અને તપશ્ચર્યાના માર્ગે ચાલી પોતાના આત્મવિકાસની પરાકાષ્ઠાએ પહોંચે છે, તે પૂર્ણ' બની જાય છે. ભગવાન મહાવીરે પોતાની પૂર્ણતામાં જ કૃતકૃત્યા ન માની પણ તે વખતના સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે પણ તેમણે પૂરેપૂરા પ્રયત્ન કર્યો. આ માટે તેમણે પાતે તથા તેમના શિષ્યાએ ચારેકાર જનપદવિહાર કરી જનતાને સ્વતંત્રતાને સદેશ સ'ભળાવ્યેા અને અનેકાને આંતર તેમ જ બાહ્ય અધનાથી મુક્ત કર્યાં. પરિસ્થિતિ ભગવાન મહાવીરને કવી સ્થિતિમાંથી પસાર થવું પડયું હતું તેને સક્ષેપમાં અત્રે નિર્દેશ કરવા આવશ્યક છે. બ્રાહ્માએ ધાર્મિ ક અનુષ્ઠાનાને એવી રીતે પેાતાના હસ્તક કરી રાખ્યાં હતાં, કે જ્યાં સુધી પુરાહિત વચ્ચે પડી સહાયતા ન કરે ત્યાં સુધી મનુષ્ય અને દેવે વચ્ચે સીધા સબંધ સ્થાપિત થઈ શકતા ન હતા. પુરાહિત એક સહાયક રૂપે વચ્ચે પડતા હાત તા તેમાં કાંઈ વાંધા ન હતા, પણ તેમણે તા પોતાના સ્થિર સ્વાર્થાની રક્ષા માટે પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાતામાં પેાતાની મધ્યસ્થતા અનિવાય કરી દીધી હતી. એક બાજુ બ્રાહ્મણ પુરાહિતાએ ધાર્મિ ક અનુષ્ઠાનોમાં એવી જટિલતા પેદા કરી દીધી હતી કે જેથી તેમના વિના કામ જ ચાલી ન શકે; અને બીજી બાજુ તેમણે પોતાના સ્વાની સિદ્ધિ માટે અનુષ્ઠાન-વિધિવિધાના વિપુલ સાધનસામગ્રીથી સપન્ન થાય એવાં બનાવી દીધાં હતાં કે જેને પરિણામે તેમને પુષ્કળ અ་પ્રાપ્તિ પણ થઈ જાય. આવાં અનુષ્કાનાને બ્રાહ્મણ જાતિ સિવાય બીજા કોઈ સÖપન્ન કરાવી શકતા ન હતા. આ કારણે બ્રાહ્મણામાં જાતિભમાનની માત્રા પણ ધણી વધી જવા પામી હતી. માનવનતિની સમાનતા અને એકતાના સ્થાને ઊંચનીચ-ભાવનાના આધારે જાતિવાનું ભૂત ઊભું કરી સમાજના એક અગ-શૂદ્રને ધામિક આદિ બધા લાભોથી ચિત કરી દેવામાં આવ્યા હતા! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy