SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ " જૈનધર્મચિંતન ભક્તિમાર્ગનાં આ મૌલિક તો ઉપરાંત ભગવાનના બ્રાહ્ય શરીરની શોભાનું વર્ણન કરવાની પ્રણાલી, નામ-જપનું માહામ્ય, મુક્તિને રમણી' કહીને એનું શૃંગારમય વર્ણન, તીર્થકરનું અવતાર રૂપે વર્ણન, ભગવાનની કરુણાનું વર્ણન, તીર્થકરની મૂર્તિની પૂજાના પ્રકારોમાં નૈવેદ્ય વગેરેને સમાવેશ, નામસ્મરણથી મુક્તિ થવાનું કથન વગેરે આ બધાં તો પણ જૈન સ્તુતિઓ ઉપર પડેલ ભક્તિમાર્ગના પ્રભાવને જ સૂચવે છે. જૈન દૃષ્ટિએ ભક્તિનું રહસ્ય આચાર્ય દેવચંદ્રજીએ, પિતાના ઋષભજિન સ્તવનમાં, ભક્તિનું જૈન દષ્ટિએ જે વિવેચન કર્યું છે, એને આધારે અહીં જૈન ભક્તિ અંગે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. - આચાર્ય દેવચંદ્રજીનું કહેવું છે કે મનુષ્યસ્વભાવમાં પ્રીતિનું તત્ત્વ તે રહેલું જ છે. જ્યાં સુધી પ્રીતિનું આલંબન કેઈ પણ દુન્યવી પદાર્થ હોય છે, ત્યાં સુધી જીવની ઉન્નતિને સંભવ નથી. એટલા માટે પ્રીતિનું આલંબન બદલવું જોઈએ. જે વીતરાગને પ્રીતિનું આલંબન બનાવવામાં આવે તે ભક્તિને સ્થાન મળી જાય છે, પણ સવાલ એ છે કે વીતરાગ તીર્થકર અને જીવની વચ્ચે પ્રીતિ કેવી રીતે સંભવે ? કારણ કે તીર્થકર તો સિદ્ધ થઈ ગયા છે, અને શુદ્ધ છે; અને જીવ તો સંસારમાં રહેલું છે, અને અશુદ્ધ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવની દષ્ટિએ બંનેના મેળાપને સંભવ જ નથી. સંદેશ મોકલીને પણ પરિચયને સંભવ નથી; કેમ કે જે કઈ ભગવાનની પાસે જાય છે, એ પણ ભગવાનના જે જ બની જાય છે, અને ખબર આપવા પાછો આવતો નથી ! એક બીજી પણ મુશ્કેલી એ છે કે પ્રીતિ એક પાથી તે થઈ જ નથી શકતી. જીવ, જે પ્રીતિ કરવા ચાહે છે, તે રાગી છે; પણ એ જેની સાથે પ્રીતિ કરવા ઇચ્છે છે, તે વીતરાગ છે. રાગી તે ગમે તે રીતે પ્રીતિ કરી લે છે, પણ વીતરાગને કેવી રીતે મનાવી શકાય ? આ તો એWક્ષી પ્રીતિ થાય. સંસારમાં જે પ્રીતિ જોવામાં આવે છે, એ ઉભયપક્ષી અને રાગમૂલક હોય છે અને એક પક્ષમાં રાગ હોવાથી વીતરાગની સાથે પ્રીતિ કરવાની વાત વિલક્ષણ હોવાને લીધે જ લોકોત્તર છે. એના લોકેસરપણાનું એક બીજું પણ કારણ છે. જીવને જેવી પ્રીતિને અભ્યાસ છે, એથી તો એના સંસારની જ વૃદ્ધિ થાય છે, કેમ કે એથી નવાં કર્મોને જ બંધ થાય છે. પણ વિતરાગ તરફ જે રાગ છે, તે એવો નથી હોતો કે જેને લીધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy