SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કસ્તૂરભાઈની ક્લાદષ્ટિને જૂના પ્રેમાભાઈ હોલની બાંધણી ખૂંચતી હતી. તેને કાયાકલ્પ કરાવવાની તેમણે ભેજના કરી, રૂા. ૫૫,૭૦,૦૦૦ ના ખર્ચે પ્રેમાભાઈ હેલની નવરચના થઈ તેમાં રૂ. ૩૨,૧૫,૦૦૦નું દાન કસ્તુરભાઈ પરિવાર અને લાલભાઈ ગ્રુપના ઉદ્યોગગૃહએ આપેલું. - વિખ્યાત સ્થપતિ સૂઈ કહે કસ્તૂરભાઈને કુદરતી સૂઝવાળા સ્થપતિ કહ્યા હતા તે, તેમણે પોતાની જાત દેખરેખ નીચે રાણપુર, દેલવાડા, શંત્રુજય અને તારંગા તીર્થનાં મંદિરોના શિલ્પ-સ્થાપત્યને જીર્ણોદ્ધાર કરાવ્યો છે તે જોતાં, સાચું લાગે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ તરીકે તેમણે દાયકાઓથી જીર્ણ અવસ્થામાં પડેલાં તીથ મંદિરની રોનક સુધારવાની યોજના ઘડી, ચારે બાજુ ટેકરીઓની વચ્ચે જંગલમાં બિસ્માર હાલતમાં ઉપેક્ષિત રહેલા રાણપુર તીર્થ પુનરુદ્ધાર પામતાં નવી રોનક ધારણ કરી છે. કસ્તૂરભાઈએ ખૂબ જહેમત ઉઠાવીને જૂની કતરણું જ્યાં જ્યાં ક્ષત થઈ હતી ત્યાંત્યાં તેમાં ભળી જાય તેવી નવી કોતરણી અને ભાત કારીગર પાસે ઉપસાવરાવી હતી. એવું જ દેલવાડા. તારંગા અને શત્રુંજય તીર્થનું છે. દેલવાડાનાં દહેરાના આરસના કુળનો આરસ દાંતના ડુંગરામાંથી મેળવતાં ખૂબ તકલીફ પડી હતી. જીર્ણોદ્ધારને ખર્ચ શિ૯પીએ ઘનફૂટના પચાસ રૂપિયા કહેલે પણ શિલ્પ તૈયાર થયા પછી તે પચાસને બદલે બસે રૂપિયા થયેલે માલૂમ પડ્યો, પણ એટલી સુંદર પ્રતિકૃતિ બની હતી કે કસ્તૂરભાઈને કલાપ્રેમી આત્મા પ્રસન્ન થઈ ગયો અને વધુ ખર્ચને જરા પણ રંજ ન થયા, શંત્રુજય તીર્થમાં તેમણે જૂના પ્રવેશદ્વારોને સ્થાને ભવ્ય દરવાજા મુકાવ્યા છે અને મુખ્ય દેરાસરની કળાને ઢાંકી દેતી નાની દેરીઓ અને તેમાંની મૂર્તિઓને વચ્ચેથી ખસેડી લીધી છે. ધર્મદષ્ટિ ખૂલતાં જીવનદર્શનની ક્ષિતિજો વિસ્તાર થાય છે તેવું જીર્ણોદ્ધાર પામેલાં આ ધર્મસ્થાને જેનારને લાગવાને સંભવ છે. એક અમેરિકન મુલાકાતીએ એક વાર કસ્તૂરભાઈને, પ્રશ્ન કર્યો, “આવતી કાલે જ તમારું અવસાન થવાનું હોય તે..” મને આનંદ થશે.” અટ્ટહાસ્ય કરતાં કસ્તૂરભાઈ કહ્યું. પણ પછી શું ? . પછી શું થશે તેની મને જરાય ચિન્તા નથી.” તમારું શું થશે તેને વિચાર આવે છે ખરે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy