SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શાહુ નીલાંજના એસ. પાલિજાતકમાં દ્રોપદીના અપહરણ પ્રસ`ગના ઉલ્લેખ સરખા પણ નથી. જૈન આગમ અને ‘મ. ભા.’ બંનેમાં મળતા આ પ્રસંગની રજૂઆતમાં અમુક સામ્ય છે. આમાં પદ્મનાભ અને ‘મ. ભા.’માં જયદ્રથ બ ંને દ્રોપદીના રૂપથી માહાંધ થઈ. તેનુ અપહરણ કરે છે, જૈન આગમ પ્રમાણે કૃષ્ણના પરાક્રમથી ગભરાઈ ને પદ્મનાભ અને ‘મ. ભા.’ પ્રમાણે પાંડવાના પરાક્રમથી પરાજિત થઈ ને, જયદ્રથ દ્રોપદીને સેાંપી જાય છે. વળી ‘મ. ભા’માં વસ્ત્રાહરણ પ્રસંગે દ્રોપદીએ દ્વારકામાં રહેલા કૃષ્ણને ઉત્કટતાથી જે રીતે યાદ કરેલા,૪૬ એટલી જ ઉત્કટતાથી અને શ્રદ્ધાથી અમરક’કામાં, પદ્મ નાભ વડે અપહૃત થયેલી દ્રોપદીએ કૃષ્ણને યાદ કર્યાં છે. 'મ. ભા’માં કૃષ્ણની સખી ’ તરીકે દ્રોપદી પેાતાને નિર્દેશ કરે છે,૪૭ તા રાધમાં તે કૃષ્ણને પેાતાના પ્રિયના ભ્રાતા તરીકે ઓળખાવે છે. ( પૃ ૧૬૦) આમ મ. ભા'માં દર્શાવાયેલા કૃષ્ણ અને દ્રોપદી વચ્ચેના સબધની સહેજ ઝાંખી જૈન આગમમાં પણ થાય છે સુકુમાલિકા તરીકેના ભવમાં દ્રૌપદીએ સાથી તરીકે દાખવેલ શિથિલ આચાર. 4 ૨૪૮ સુકુમાલિકા તરીકેના ભવમાં, દ્રોપદી દીક્ષા લીધા પછી સાધ્વી તરીકેના આચારમાં ખૂબ શિથિલ થઈ હતી, તે ખાખતના નિર્દેશ જૈન આગમ ગ્રંથામાં ઘણીવાર આવે છે.૪૮ તે ભવમાં, લગ્નજીવન નિષ્ફળ ગયા બાદ, તેણે આર્યાં ગેાપાલિકા પાસે દીક્ષા લીધી, પણ, તે સાધ્વીજીવનના નિયમા અરાબર પાળતી ન હતી. તે શરીરમકુશા એટલે કે શરીરની શે!ભા કરનારી થઈ. આર્યાં ગેાપાલિકાએ તેને આ માટે પ્રાયશ્ચિત્ત કરવાનુ` કહ્યુ', તે પણ તેણે કર્યુ નહી. તે જ્ઞાન, દર્શીન અને ચારિત્રને યથા પણે પાળતી ન હતી, તેમની ક્રિયાના અનુષ્ઠાનમાં પણ આળસ કરતી હતી. આર્યા ગપાલિકાને છોડીને તે ગઈ, તે પછી તેને અકાથી અટકાવનાર કાઇ રહ્યું નહી”, તેથી અનાચાર સેવનારી થઇ. આથી જૈન આગમમાં કોઇ સાધ્વીના શિથિલ આચારની વાત જ્યારે આવે, ત્યારે દૃષ્ટાંત તરીકે દ્રોપદીને આ પૂ`ભવ ટાંકવામાં આવે છે, જેમ કે ‘આવશ્યક ચૂર્ણ ’માં ભદ્રસેન નામના શેઠની પુત્રી શ્રીના શિથિલ આચારની બાબતમાં સુકુમાલિકાનુ દૃષ્ટાંત આપવામાં આવે છે. ‘ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર ’ ( ભગવતી સૂત્ર ) પરની અભયદેવસૂરિની વૃત્તિમાં આ બાબતની ચર્ચા કરતાં સમજાવ્યુ` છે કે દ્રોપદી સંયમની વિરાધના કરતી હતી, પણ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001431
Book TitleJain Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorK R Chandra
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1992
Total Pages330
LanguagePrakrit, Hindi, Enlgish, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & agam_related_articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy