SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. અનુયોગ એ જ પ્રમાણે કોઈ માણસ કારણવશાત્ “અગ્નિને શીત કહે છે અને ‘વિષને “મધુર' કહે છે. કલાલના ઘરમાં હંમેશાં “અશ્લ'ને બદલે “સ્વાદુ’ શબ્દ બોલવામાં આવે છે. આના કારણમાં ટીકાકાર મલધારી હેમચન્દ્ર નોંધે છે કે – કલાલના ઘરમાં “અશ્લ' બોલવાથી સુરા બગડી જાય એવી માન્યતાને કારણે અનિષ્ટ પરિહાર માટે “અસ્લ’ને બદલે “સ્વાદુ' બોલાય છે. આ ઉપરાંત જે “રક્ત' રાતું છે તે “અરક્તક' (ા. “અળતો’) જે ના છે તે અત્ના અને જે “સુંભ' (ટીકાકાર અનુસાર “શુભવર્ણકારી') છે તે “કુસુંભ” (ગુજ. “કસુંબો') કહેવાય એ વિપરીત ભાષા છે. (અર્વાચીન ભારતીય ભાષાઓમાં આવાં નામ કે વિશેષણો માટે જુઓ મુંબઈ યુનિવર્સિટીમાં મારાં વ્યાખ્યાનો શબ્દ અને અર્થ; પૂ.૧૦૧-૧૭.) આ પ્રકારનાં નામો નાગૌણ નામોથી કઈ રીતે જુદાં પડે છે એ સમજાવતાં ટીકાકાર કહે છે કે-“સકુન્ત' વગેરે નામોમાં કુન્તાદિ પ્રવૃત્તિ નિવૃત્તિનો માત્ર અભાવ છે, જ્યારે અહીં તો પ્રતિપક્ષ ધર્મના વાચકત્વની અપેક્ષા છે; એ બંને વચ્ચેનો ભેદ છે. પ્રધાનતાથી પડતાં નામોમાં અશોકવન, સપ્તપર્ણવન, ચંપકવન, નાગવન, પુનાગવન, ઈભુવન, શાલિવન આદિ છે. અમુક વનમાં અમુક વૃક્ષની પ્રધાનતા હોય તેથી આવાં નામ પડે. અનાદિસિદ્ધાન્ત નામોમાં સૂરકારે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય, અદ્ધાસમય આદિ જૈન સિદ્ધાન્તો સાથે સંબંધ ધરાવતા શબ્દોનો સમાવેશ કર્યો છે. સૂત્રકારે એવાં નામ અનાદિ કાળથી ચાલતાં આવેલાં ગયાં છે. પિતા-પિતામહના નામથી કોઈને બોલાવાય એ નામથી પડતું નામ કહેવાય. પિતાનું જ નામ હોય તે જ પુત્રનું પણ પાડવામાં આવે એ રિવાજની ટીકાકાર અહીં નોંધ કરે છે. અવયવથી પડતાં નામોમાં શૃંગી, શિખી, વિષાણી, દાઢી, પક્ષી, ખુરી, નખી, વાલી, દ્વિપદ, ચતુષ્પદ, બહુપદ, નંગુલી, કેસરી, કકુદી આદિ પ્રકારનાં નામ આવે. *ગતી એટલે તુંબડી' . મસાજ નું રૂપ પ્રાકૃત નાક અસ્વરિત પ્રથમ શ્રુતિલોપથી થયું છે, એટલે મૂળે આ બંને શબ્દો અભિન્ન છે. જો કે ટીકાકારે વેવ સતિ ના ધતિ પ્રક્ષાં ગત વસ્તુ ત નિવું એવી વ્યુત્પત્તિ સ્વીકારીને અસાધુ સાથેની એની પ્રતિપક્ષતા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. વળી “રક્ત'ની પૂર્વે “અ” લાગીને “અરક્તક (અળતો) થયું ત્યાં અ” વડે “અતિ'નો ભાવ વ્યક્ત થાય છે; જેમ કે ઘોર-અઘોર, લોપ-અલોપ, મુંઝવણઅમુંઝવણ, છાનું-અછાનું, લેખે-અલેખે, ભડંગ-અડબંગ, ઈત્યાદિ મરાઠીમાં અને પીરસ્યા હિન્દીમાં “અચપલ' શબ્દ “ચપલ'ના અર્થમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001418
Book TitleYoga Anuyoga ane Mantrayog
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherB J Institute
Publication Year1996
Total Pages108
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Spiritual, & Occult
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy