SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. અનુયોગ ર૯ સૈત્તિરીય ઉપનિષદમાં જ્યાં સ્થૂલથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર આત્મસ્વરૂપનું ક્રમશ: વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં સૌ પહેલાં અન્નમય આત્માનો પરિચય આપ્યો છે અને એ બતાવ્યું છે કે અન્નથી પુરુષની ઉત્પત્તિ થઈ છે, એની વૃદ્ધિ પણ અન્નથી થાય છે અને તે અન્નમાં વિલીન થાય છે આથી પુરુષ અન્નરસમય છે. દેહને આત્મા માનીને આ વિચારણા થઈ છે. સંસ્કૃત અને પાલિ ગ્રન્થોમાં આ મતને તજીવનચ્છરીરવાદ નામ અપાયું છે અને સૂત્રકાળમાં એનો નિર્દેશ દેહાત્મવાદ' તરીકે થયો છે. જૈન આગમ અને ત્રિપિટક ઉપરથી જણાય છે કે દેહાત્મવાદને મળતો, ચતુર્ભુત અને પંચભૂતને આત્મા માનનારો વાદ પણ પ્રચલિત હતો. એનું પ્રતિપાદન આ રીતે કરવામાં આવતું હતું–જેમ કોઈ મનુષ્ય મ્યાનમાંથી તલવાર બહાર કાઢી તેને અલગ બતાવી શકે છે તેમ આત્માને શરીરમાંથી બહાર કાઢી બતાવી શકાતો નથી. અથવા જે રીતે તલમાંથી તેલ કાઢીને બતાવી શકાય છે તેમ જીવને શરીરથી પૃથફ દેખાડી શકાતો નથી. જ્યાં સુધી શરીર સ્થિર રહે છે ત્યાં સુધી આત્મા સ્થિર રહે છે; શરીરનો નાશ થતાં આત્મા પણ નાશ પામે છે. દીઘનિકાય'-અંતર્ગત “પાયાની સુત્ત'માં અને જૈન આગમો પૈકી “રાયપાસેણઈએ સુત્ત'માં આ પ્રયોગોનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે; એ પ્રયોગો રાજા પાયાસી-પીએસીએ “જીવ શરીરથી પૃથક્ નથી” એ સિદ્ધ કરવા માટે કર્યા હતા. એ રાજાએ મરણોન્મુખ વ્યક્તિઓને કહ્યું હતું કે “તમે મરીને જે લોકમાં જનમો ત્યાંથી મને જરૂર સમાચાર આપજો” પરન્તુ એકેય વ્યક્તિએ સમાચાર આપ્યા નહિ. આથી એને ખાત્રી થઈ કે શરીરથી ભિન્ન આત્મા નથી. શરીર જ આત્મા છે” એ વાત પ્રમાણિત કરવા માટે રાજાએ મનુષ્યને પેટીમાં બંધ કરીને એ જોવાનો પ્રયત્ન કર્યો કે મૃત્યુ સમયે જીવ શરીરની બહાર નીકળે છે કે નહિ ? વ્યક્તિને જીવિત અને મૃત અવસ્થામાં તોલીને એ જોયું કે જીવ ગયા પછી શરીરનું વજન ઘટે છે કે નહિ ? મૃત મનુષ્યના શરીરના ટુકડા કરીને જોયું કે હાડ, ચામ, માંસ આદિમાં ક્યાંય જીવ છે કે નહિ ? વળી રાજાએ એવી પણ દલીલ કરી કે શરીરથી જીવ અલગ હોય તો એક બાલક એક સાથે અનેક બાણ કેમ ચલાવી શકતું નથી ? એ શક્તિ શરીરની નહિ, પણ આત્માની છે અને શરીર નાશની સાથે એ શક્તિનો પણ નાશ થાય છે. પએસી રાજા આત્માનું સ્વરૂપ અમૂર્ત માનીને એની શોધ કરત તો એની શોધ-પ્રક્રિયા જુદી હોત. “રાયપાસેણઈય’ના વૃત્તાત્ત અનુસાર, એ રાજાનો પિતામહ પણ નાસ્તિક હતો. એથી સિદ્ધ થાય છે કે આત્માને ભૌતિક પદાર્થ માનીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001418
Book TitleYoga Anuyoga ane Mantrayog
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherB J Institute
Publication Year1996
Total Pages108
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Spiritual, & Occult
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy