SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. યોગ નૈયાયિક અને યોગસાધકઃ યશોવિજય ઉપાધ્યાય અઢારમા શતકમાં થયેલા મહાન નૈયાયિક અને યોગી ઉપાધ્યાય યશોવિજયજીનો જન્મ પાટણ પાસે કનોડા ગામમાં થયો હતો અને એમના સ્મારક તરીકે ત્યાં શ્રી યશોવિજય વિદ્યાલયની સ્થાપના તાજેતરમાં થઈ છે. યશોવિજયજીએ કાશીમાં વિદ્યાધ્યયન કર્યું હતું અને નવ્યન્યાયમાં પ્રવીણતા પ્રાપ્ત કરી ત્યાંના પંડિતો ઉપર સરસાઈ મેળવી હતી. એમણે સંસ્કૃત અને પ્રાકૃતમાં યોગવિષયક ગહન ગ્રન્થો રચ્યા છે તેમજ મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ ઉપર નવ્ય ન્યાયની શૈલીએ ટીકા લખી છે. વિશેષ નોંધપાત્ર એ છે કે આમાંના કેટલાક ગ્રન્થોની હસ્તપ્રતો યશોવિજયજીના હસ્તાક્ષરોમાં મળે છે અને તેમણે યોગમાર્ગના ગહન પ્રમેયોને સરલ ગુજરાતીમાં ઉતાર્યા છે. યશોવિજયજીની જીવનરેખા આપતું પદ્યમય ચરિત્ર મુનિ કાન્તિવિજયજીએ યશોવિજયજીની કર્મભૂમિ ડભોઈમાં રચ્યું છે; ડભોઈમાં યશોવિજયજીના સ્મારકરૂપ સ્તૂપ છે. એ નગરમાં ૧૯૫૩માં વિજયયશોસૂરીશ્વરની પ્રેરણાથી યશોવિજય સારસ્વતસત્ર ઊજવાયું હતું. અધ્યાત્મજ્ઞાની મહાત્મા આનંદઘનના સંપર્કથી નૈયાયિક યશોવિજયજી અધ્યાત્મયોગી બન્યા હતા. રામ કહો રહમાન કોઉ કહાન કહો મહાદેવ રી, પારસનાથ કહો કોઉ બ્રહ્મા સકલ બ્રહ્મ સ્વયમેવ રી. એ અમર પદ આનંદઘનજીની રચના છે અને તેમનાં બીજાં અનેક પદો રાજસ્થાની-ગુજરાતી સાહિત્યમાં અમર છે. ૨૩ યશોવિજયજીએ ‘દ્રવ્યગુણ પર્યાય'નો રાસ રચીને નયનાદના ગહન પ્રમેયોને સરલ ગુજરાતીમાં સમજાવ્યા છે. Jain Education International યશોવિજયજીની આધ્યાત્મિક લહરીનો આસ્વાદ લેવા માટે, સ્થાલીપુલાક ન્યાયે, એમનું માત્ર એક પદ જોઇએ મન ટેક મન કિતહી ન લાગે છે જે રે, પૂરન આસ ભઈ અલિ ! મેરી, અવિનાસી કી સેજે ૨, અંગે અંગ સુનિ વિઉ-ગુન હરખે, લાગો રંગ કરે જે રે, For Private & Personal Use Only મન મન www.jainelibrary.org
SR No.001418
Book TitleYoga Anuyoga ane Mantrayog
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherB J Institute
Publication Year1996
Total Pages108
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Spiritual, & Occult
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy