SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. યોગ યોગશાસ્ત્ર શંકરાચાર્ય સમક્ષ હતાં. પણ સૈકાઓ થયાં આપણી પાસે પાતંજલ ‘યોગસૂત્ર’ સિવાય યોગશાસ્ત્રનો એકેય મૂલ ગ્રન્થ નથી. યોગ અને આયુર્વેદ યોગશાસ્ત્ર અને આયુર્વેદની દાર્શનિક ભૂમિકા સમાન હોઈ આયુર્વેદ પણ ચતુર્વ્યૂહાત્મક છે. એ વિષે ‘યોગસૂત્ર’શું કહે છે એ જુઓ- યથા ચિત્સિાશાસ્ત્ર चतुर्व्यूहम् - रोगो रोगहेतुरारोग्यं भैषज्यमिति, एवमिदमपि शास्त्रं चतुर्व्यूहमेव तद्यथा-संसारः संसारहेतुर्मोक्षो मोक्षोपाय इति । तत्र दुःखबहुलः संसारोद्धेयः । प्रधानपुरुषयोः संयोगो योगहेतुः । संयोगस्य त्यन्तिकी निवृत्तिर्हानम् । हानोपायः સમાવર્શનમ્ । (‘યોગસૂત્ર’૨-૧૫ ઉપર વ્યાસભાષ્ય) ૩ ‘ચરકસંહિતા’ના પહેલા અધ્યાયનું નામ છે- વીર્યનીવિતમધ્યાયમ્ । દીર્ઘ જીવનની આરોગ્યમય પ્રાપ્તિ એ આયુર્વેદનું ધ્યેય છે. દીર્ધ જીવનની પ્રાપ્તિ માટે ભરદ્વાજ ઋષિ આયુર્વેદ શીખવા માટે ઈન્દ્ર પાસે ગયા હતા. ચરક કહે છે કે અનન્તપાર (સરખાવો અનન્તવામિદ્દ શબ્દશાસ્ત્રમ્ ) આયુર્વેદના અભ્યાસથી ભરદ્વાજને અમિત આયુ પ્રાપ્ત થયું હતું. ચરકનો સમર્થ ટીકાકાર ચક્રપાણિદત્ત કહે છે કે પ્રાણિમાત્રના ઉપકારાર્થે શીખેલા ( નાત્માર્થ નાપિ ામાર્થમથ મૂતળ્યાં પ્રતિ) આયુર્વેદશાસ્ત્રથી ભરદ્વાજને અમિત આયુ મળ્યું અને દીર્ધ જીવનની ઈચ્છા રાખનાર બીજા ઋષિઓએ આયુને વધારનાર વેદને-આયુર્વેદને પ્રજાહિતની કામનાથી પ્રસાર્યો (વીર્યમાŕશીર્ષનો વેટું વચનમાત્મનઃ । સૂત્ર ૧-૨૭) ‘ચરકસંહિતા’ના પ્રતિસંસ્કર્તા દઢબલે મુક્ત કંઠે ઉચ્ચાર્યું છે કે दीर्घमायुः यशः स्वास्थ्यं त्रिवर्गं चापि पुष्कलम् । सिद्धिं चानुत्तमां लोके प्राप्नोति विधिना पठन् । (સિ. સ્થા. ૧૨-રૂપ) આયુર્વેદમાં જીવનની વ્યાખ્યા-“શરીર, ઇન્દ્રિય, સત્ત્વ અને આત્માનો સંયોગ,”એવી છે. ‘ચરકસંહિતા’ના શ્રદ્ધાપૂર્વક અધ્યયન અને તદનુસાર આમરણથી દીર્ધાયુપ્રાપ્તિ થવી જોઈએ, એવી એના કર્તાને શ્રદ્ધા છે; આયુર્વેદ આ લોક અને પરલોક ઉભયના હિત સારુ છે– तस्यायुषः पुण्यतमो योगो योगविदां वरः । लोकयोरुभयोर्हितम् ॥ (સૂ. ૧-૪૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001418
Book TitleYoga Anuyoga ane Mantrayog
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherB J Institute
Publication Year1996
Total Pages108
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Spiritual, & Occult
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy