SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ જૈન દર્શનમાં નય ૪. વિધિનિયમ द्रव्याथिक संग्रहनय ५. उभयम् द्रव्यार्थिक नैगमनय ૬. ૩મવિધિ द्रव्यार्थिक नैगमनय ७. उभयोभयम् पर्यायार्थिक ऋजुसूत्र ૮. મમ: पर्यायार्थिक शब्दनय ૨. નિયમ: पर्यायार्थिक शब्दनय ૨૦. નિયમવિધિ पर्यायार्थिक समभिरूढ़ ११. नियमोभयम् पर्यायार्थिक समभिरूढ़ १२. नियमनियमः पर्यायार्थिक एवंभूतनय ઉપર્યુક્ત બાર “અર” દ્વાદશાર-નયચક્રની સ્વયં વિશેષતા છે. વિધિ અને નિયમ શબ્દનો અર્થ અનુક્રમે સત્નો સ્વીકાર અને અસ્વીકાર છે. આ બે શબ્દોના સંયોજનથી જ બાર ભેદ કરાયા છે. તેમાં તે યુગના સમગ્ર ભારતીય દર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ચાર અરમાં સતને નિત્ય માનતાં દર્શનોનો સમાવેશ કરાયો છે. ઉભયાદિ ચાર અરમાં સને નિત્યાનિત્યાત્મક માનતાં દર્શનોનો તેમજ અંતના ચાર અરમાં સતને અનિત્ય માનતાં દર્શનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં ગ્રંથકારે પોતે કહ્યું છે કે વિધિ આદિ શબ્દ આગમમાંથી ઉદ્ધત કરાયા છે, પરંતુ વિધિનિયમ શબ્દનો પ્રયોગ કરીને નયોનું વિભાજન કરવાની શૈલી જૈન દર્શનના ઉપલબ્ધ સાહિત્યમાં અન્ય કોઈ જગ્યાએ દષ્ટિગોચર થતી નથી. તત્કાલીન સમગ્ર દર્શનોનો જૈન દર્શનમાં સમાવેશ કરવા માટે જ ગ્રંથકારે વિધિ નિયમ શબ્દોનો પ્રયોગ કરીને બાર અરનું વિવેચન કર્યું છે, એમ માલૂમ થાય છે. આ પ્રમાણે જૈન દર્શનમાં નયોનો ક્રમિક વિકાસ થયો છે પરંતુ દ્વાદશાર-નયચક્રમાં પ્રયોજાયેલ શૈલી તેમજ નયોનાં નામ નયચક્રના પૂર્વવર્તી કે પરવર્તી સાહિત્યમાં ઉપલબ્ધ થતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001416
Book TitleJain Darshnma Nay
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherB J Institute
Publication Year2002
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Nyay
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy