SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ રાજચંદ્ર ચિંતા, ભય, વેદના, દુઃખ આદિ આવતાં તેનાથી રક્ષણ કરવા મંત્ર, તંત્ર, દેવ, દાનવ, ઔષધાદિક, કઈ સમર્થ નથી, કર્મને ઉદય આકાશ, પાતાલ, કે ક્યાંય પણ નથી છોડતે. ઔષધાદિક બાહા નિમિત્ત, અશુભ કર્મને ઉદય મંદ થતાં ઉપકાર કરે છે. દુષ્ટ, ચેર, ભીલ, ઘેરી તથા સિંહ, વાઘ, સર્પાદિક ગામમાં કે વનમાં મારે, જલચરાદિક પાણીમાં મારે પણ અશુભ કર્મને ઉદય જળમાં, સ્થળમાં, વનમાં, સમુદ્રમાં, પહાડમાં, ગઢમાં, ઘરમાં, શય્યામાં, કુટુંબમાં, રાજાદિક સામંતની વચમાં, શસ્ત્રોથી રક્ષા કરતાં છતાં ક્યાંય પણ નથી છોડતે. આ લેકમાં એવાં સ્થાન છે કે જેમાં સૂર્ય, ચંદ્રમાના ઉદ્યોત તથા પવન તથા ક્રિયિક રિદ્ધિવાળાં જઈ શકતાં નથી, પરંતુ કર્મને ઉદય તે સર્વત્ર જાય છે. પ્રબળ કર્મને ઉદય થતાં, વિદ્યા, મંત્ર, બળ, ઔષધિ, પરાક્રમ, વહાલા મિત્ર, સામંત, હાથી, ઘોડા, રથ, પાયદળ, ગઢ, કેટ, શસ્ત્ર, સામ, દામ, દંડ, ભેદાદિક બધા ઉપાય શરણરૂપ થતા નથી. જેમ ઉદય થતા સૂર્યને કેણ રેકે ? તેમ કર્મને ઉદયને ન રોકી શકાય એવા જાણ સમતાભાવનું શરણ ગ્રહણ કરે, તે અશુભ કર્મની નિર્જરા થાય, અને તે બંધ ન થાય. રોગ, વિયેગ, દારિત્ર્ય, મરણ દિકને ભય છેડી પરમ પૈર્ય ગ્રહણ કરે. પિતાને વીતરાગભાવ, સંતેષભાવ, પરમ સમતાભાવ, એ જ શરણ છે, બીજું કઈ શરણ નથી. આ જીવના ઉત્તમ ક્ષમાદિક ભાવ પિતે જ શરણરૂપ છે. ક્રોધાદિક ભાવ આ લેક પરલેકમાં આ જીવના ઘાતક છે. આ જીવને કષાયની મંદતા આ લેકમાં હજારે વિઘની નાશ કરનારી પરમ શરણરૂપ છે, અને પરલેકમાં નરક તિર્યંચ ગતિથી રક્ષા કરે છે. મંદ-કષાયનું દેવલેકમાં તથા ઉત્તમ મનુષ્યજાતિમાં ઊપજવું થાય છે. જે પૂર્વકર્મના ઉદયમાં આર્ત, રૌદ્ર પરિણામ કરશે તે ઉદીરણને પ્રાપ્ત થયાં, તે રેકવા કોઈ સમર્થ નથી. કેવળ દુર્ગતિનાં કારણે નવાં કર્મ વધારે વધશે. કર્મને ઉદય આવવા માટેનાં જોઈતાં બાહ્ય નિમિત્તે ક્ષેત્ર, કાળ, ભાવ મળ્યા પછી તે કર્મને ઉદય ઇંદ્ર, જિનેન્દ્ર, મણિ, મંત્ર, ઔષધાદિક કઈ પણ રોકવા સમર્થ નથી. રેગના ઇલાજ તે ઔષધાદિક જગતમાં દેખીએ છીએ, પરંતુ પ્રબળ કર્મના ઉદયને રેકવાને ઔષધાદિક સમર્થ નથી, ઊલટા તે વિપરીત થઈ પરિણમે છે. આ જીવને અશાતા વેદનીય કર્મનો ઉદય પ્રબળ થાય ત્યારે ઔષધાદિક વિપરીત થઈ પરિણમે છે. અશાતાને મંદ ઉદય હોય અથવા ઉપશમ હોય ત્યારે ઔષધાદિક ઉપકાર કરે છે. કારણકે મંદ ઉદયને રેકવાને સમર્થ તે અલ્પ શક્તિવાળા પણ થાય છે. પ્રબળ બળવાળાને અલ્પ શક્તિધારક રેકવાને સમર્થ નથી. આ પંચમકાળમાં અલ્પ માત્ર બાહ્ય દ્રવ્ય, ક્ષેત્રાદિક સામગ્રી છે, અલ્પ માત્ર જ્ઞાનાદિક છે, અ૫ માત્ર પુરુષાર્થ છે. અને અશુભને ઉદય આવવાથી બાહ્ય સામગ્રી પ્રબળ છે, તે તે અલ્પ સામગ્રી અલ્પ પુરુષાર્થથી પ્રબળ અશાતાના ઉદયને કેમ જીતે? મેટી નદીઓને પ્રવાહ પ્રબળ માં ઉછાળતે ચા આવતા હોય તેમાં તરવાની કળામાં સમર્થ પુરુષ પણ તરી નથી શક્ત. નદીના પ્રવાહને વેગ મંદ થતું જાય ત્યારે તરવાની વિદ્યા જાણનાર તરી પાર ઊતરી જાય છે, તેવી રીતે પ્રબળ કર્મના ઉદયમાં પિતાને અશરણ જાણે. પૃથ્વી અને સમુદ્ર અને મોટાં છે, પરંતુ પૃથ્વીને છેડે લેવાને અને સમુદ્રને તરવાને ઘણું સમર્થ જોઈએ છીએ, પરંતુ કર્મ-ઉદયને તરવાને સમર્થ થતાં દેખાતાં નથી. આ સંસારમાં સમ્યકજ્ઞાન, સમ્યફદર્શન, સમ્યફચારિત્ર, સમ્યકતપ–સંયમ શરણું છે. આ ચાર આરાધના વિના કઈ શરણ નથી. તથા ઉત્તમ ક્ષમાદિક દશ ધર્મ પ્રત્યક્ષ આ લેકમાં સમસ્ત ક્લેશ, દુ:ખ, મરણ, અપમાન, હાનિથી રક્ષા કરવાવાળાં છે. મંદ કષાયનાં કુલ સ્વાધીન સુખ, આત્મરક્ષા, ઉજજવળ યશ, ક્લેશરહિતપણું, ઉચતા આ લેકમાં પ્રત્યક્ષ દેખી એનું શરણ ગ્રહણ કરે. પરલેકમાં એનું ફળ સ્વર્ગલેક છે. વિશેષમાં વ્યવહારમાં ચાર શરણ છે. અહંત, સિદ્ધ, સાધુ, કેવળજ્ઞાનીને પ્રકાશેલ ધર્મ એ જ શરણ જાણવું. એ પ્રમાણે અહીં એના શરણ વિના આત્માની ઉજજવળતા પ્રાપ્ત નથી થતી એવું દર્શાવનારી અશરણ અનુપ્રેક્ષા વિચારી. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy